પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 1, 2025 3:15 પી એમ(PM) એપ્રિલ 1, 2025 3:15 પી એમ(PM)

views 4

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં ઓછામાં ઓછા દસ શ્રમિકોના મોતની આશંકા

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં ઓછામાં ઓછા દસ શ્રમિકોના મોતની આશંકા છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે શ્રમિકો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળના જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. ગાંધીનગર જિલ્લાન...

એપ્રિલ 1, 2025 3:14 પી એમ(PM) એપ્રિલ 1, 2025 3:14 પી એમ(PM)

views 4

હવામાન વિભાગે કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં કેટલાંક સ્થળોએ આજે સવારથી હવામાનમાં પલ્ટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે, જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા શીત લહેર વ્યાપી ગઇ છે. ડાંગ જિલ્લામાં ખેડૂતોએ તેમ...

એપ્રિલ 1, 2025 3:13 પી એમ(PM) એપ્રિલ 1, 2025 3:13 પી એમ(PM)

views 4

પોલીસે આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી

પોલીસે આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પડતર પ્રશ્નો અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકો હડતાળ પર ઉતર્યા હતા. આ માટે તેમણે કોઈ પણ પ્રકારની મંજૂરી ન લીધી હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી. ...

એપ્રિલ 1, 2025 3:12 પી એમ(PM) એપ્રિલ 1, 2025 3:12 પી એમ(PM)

views 4

મહેસાણાની એતિહાસિક નગરી વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝીયમ ખાતે 5 મી અને 6ઠ્ઠી એપ્રિલે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન

મહેસાણા જિલ્લાની એતિહાસિક નગરી વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝીયમ ખાતે 5 મી અને 6ઠ્ઠી એપ્રિલે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં ભારતીય દરિયાઈ સફરનાં સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. આ પરિષદમાં વિવિધ દેશોના 22 પ્રોફેસરો અને સમુદ્રી નિષ્ણાતો ભાગ લેશે. દર્શક ઇતિહાસ નિધિના સે...

એપ્રિલ 1, 2025 3:09 પી એમ(PM) એપ્રિલ 1, 2025 3:09 પી એમ(PM)

views 6

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટૉલ બનાવાયા

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટૉલ બનાવાયા છે. નર્મદા પરિક્રમામાં રણછોડરાયના મંદિર પાસે શરૂ કરાયેલા આરોગ્ય સ્ટૉલમાં હાજર ડૉ. પ્રવિણ વસાવાએ જણાવ્યું કે, રણછોડરાય મંદિરથી લઈ શહેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ 24 કલાક...

એપ્રિલ 1, 2025 2:48 પી એમ(PM) એપ્રિલ 1, 2025 2:48 પી એમ(PM)

views 7

મહેસાણામાં આવેલી જનરલ હોસ્પિટલને ભારત સરકારના લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ગુણવત્તાનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું

મહેસાણામાં આવેલી જનરલ હોસ્પિટલને ભારત સરકારના લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ગુણવત્તાનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક તેમજ રાજ્યકક્ષાએ પૃથક્કરણ થયા બાદ રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા લેબર રૂમ વિભાગને 85 ટકા જ્યારે મેટરનીટી ઓટીને 91 ટકા અંક પ્રાપ્ત થતા પ્રમાણપત્ર જાહેર કરાયું છે. જિલ્લા તબીબી અધિ...

એપ્રિલ 1, 2025 10:15 એ એમ (AM) એપ્રિલ 1, 2025 10:15 એ એમ (AM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે અને માતા-પિતાની લગ્નની તિથિએ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે. શ્રી દેવવ્રતે પૃથ્વીની સપાટી પર વધતા તાપમાન- ગ્લૉબલ વૉર્મિંગ અંગે માહિતગાર કરી બાળકોને પર્યાવરણની માવજત કરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું.ગાંધીનગરના રાજભવન ખાતે ગઈકાલે ગુજરાત રાજ...

એપ્રિલ 1, 2025 10:10 એ એમ (AM) એપ્રિલ 1, 2025 10:10 એ એમ (AM)

views 4

માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે

પોરબંદરના માધવપુર ખાતે આગામી છ-થી નવ એપ્રિલ સુધી માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં મેળાની ઉજવણી કરાશે. તેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથ ખાતે આજથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. સત્તાવાર યાદી મુજબ, આજે સુરતના ઇન્ડૉર સ્ટેડિયમમાં, આવતીકાલે વડોદરામાં, ગુરૂવારે અમદાવાદમાં ...

એપ્રિલ 1, 2025 10:08 એ એમ (AM) એપ્રિલ 1, 2025 10:08 એ એમ (AM)

views 7

સેમિ-કન્ડક્ટર, ગ્રીન ગ્રૉથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિ-કન્ડક્ટર, ગ્રીન ગ્રૉથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ હોવાનું જણાવ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગઈકાલે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે કહ્યું, ગુજરાત હવે સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. આજે વિશ્વની ટોપ 500-માંથી 100 કંપની ગુજ...

માર્ચ 31, 2025 7:08 પી એમ(PM) માર્ચ 31, 2025 7:08 પી એમ(PM)

views 5

પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. એસટી વિભાગ દ્વારા 50 જેટલી એસટી બસો 24 કલાક દોડવવા માટેની સુવિધા કરાઈ છે. યાત્રાળુઓની સુરક્ષા માટે તળેટીથી લઈને નીજ મંદિર સુધી ત્રણ ડીવાયએસપી 12 પીઆઇ, 12 પીએસઆઇ, સહિત 950 થી વધુ પોલીસ જવા...