પ્રાદેશિક સમાચાર

જૂન 14, 2025 7:35 પી એમ(PM)

views 49

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA એ આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું.

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA એ આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાતનાં 2 વિદ્યાર્થી, જેનીલ ભાયાણીએ છઠ્ઠો અને અમદાવાદના ભવ્ય ઝાએ આઠમો ક્રમ મેળવી ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુરત પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થી જેનિલ ભાયાણી ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે રહ્યા છે. ...

જૂન 14, 2025 7:33 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે.

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જેમાં કાટમાળ દૂર કરવાની તેમજ મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિશમન દળ અને NDRFની ટીમ દ્વારા અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગમાં ફસાયેલો વિમાનનો ભાગ કાપી અને યુવતીનો...

જૂન 14, 2025 7:32 પી એમ(PM)

views 10

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે.

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના પારસ સોસાયટી સ્થિત નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા છે. શહેરમાં રેસકોર્...

જૂન 14, 2025 7:30 પી એમ(PM)

views 7

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આ નિમિતે પહેલી થી 15 જૂન દરમિયાન મેઘા રકતદાન શિબિરનું આયોજન કર્યું છે.રાજ્યભરમાં અનેક સ્થળોએ યોજાયેલી આ શિબિરમાં અત્યાર સુધી એક હજાર 400થી વધુ યુનિટ રકતદાન કરવામાં આવ્યું છે. ત્યારે પં...

જૂન 14, 2025 7:28 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.આ ઘટનાને લઈ ટંકરાના પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો પ્રથમ જોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગતોની આત્માની ...

જૂન 14, 2025 7:27 પી એમ(PM)

views 15

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્રના જિલ્લ...

જૂન 14, 2025 7:25 પી એમ(PM)

views 9

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આમાંથી આઠ વિમાનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઘ...

જૂન 14, 2025 7:23 પી એમ(PM)

views 22

સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે.

સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે. નાનપુરા વિસ્તારમાં કૈલાશનગરના શાલિભદ્ર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લેટની બહાર બારી નજીક એસી રિપેરિંગનું કામ કરી રહેલા બે કારીગરો લોખંડની એંગલ તૂટી જતા સાતમા માળેથી નીચે પડ્યા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ...

જૂન 14, 2025 3:41 પી એમ(PM)

views 18

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે ભાજપ અને ગુજરાતે સમાજ સેવી આગેવાન ગુમાવ્યા છે. વિજયભાઇ, વિદ્યાર્થી કાળથી જ સંઘર્ષ કરતા રહ્યા છે, અમને પણ કાયમ એમનો સહકાર મળતો રહ્યો છે.

જૂન 14, 2025 3:39 પી એમ(PM)

views 7

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 39 જેટલા મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે અને તેમના મૃતદેહ તૈયાર રાખવામાં આવ્યા છે. મૃતકના DNA મેચ થયા છે તેમના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવશે. રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ બંદોબસ્ત સ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.