પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 27, 2025 7:00 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:00 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી.આર.ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી.આર.ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા-સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પમાં શ્રી ગવઈએ આમ જણાવ્યું હતું.આ કેમ્પમાં કાનૂની અધિકારો અને સરકારી યોજનાઓ અંગે આદિવાસ...

એપ્રિલ 27, 2025 6:58 પી એમ(PM) એપ્રિલ 27, 2025 6:58 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી. મન કી બાતની 121મી કડીમાં શ્રી મોદીએ કહ્યું, આ સાયન્સ ગેલેરીમાં આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવે છે.મન કી બાત કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું, છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લ...

એપ્રિલ 27, 2025 3:53 પી એમ(PM) એપ્રિલ 27, 2025 3:53 પી એમ(PM)

views 3

ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ

ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ થઈ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, અત્યાર સુધી અમદાવાદથી ગાંધીનગરના સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન દોડતી હતી. આજથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સાત નવા મેટ્રો સ્ટેશનની પણ શરૂઆત થઈ છે. નાગરિકોને દર અડધા કલાકે સચિવાલય આવવા માટે મેટ...

એપ્રિલ 27, 2025 3:52 પી એમ(PM) એપ્રિલ 27, 2025 3:52 પી એમ(PM)

views 2

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે 24 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા 18 રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું.આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, રાજયમાં શહેરોની સમાંતર વિકાસ કાર્યોથી ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા છે. તેમણે કહ્યું કે, ઓલપાડ તાલુકામાં ભવિષ્યમાં પાણી...

એપ્રિલ 27, 2025 3:46 પી એમ(PM) એપ્રિલ 27, 2025 3:46 પી એમ(PM)

views 4

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પ...

એપ્રિલ 27, 2025 3:43 પી એમ(PM) એપ્રિલ 27, 2025 3:43 પી એમ(PM)

views 2

ભરૂચમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 15 નાગરિકોને પોલીસ ઝડપી પાડ્યા

ભરૂચમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 15 નાગરિકોને પોલીસ ઝડપી પાડ્યા છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે કે, શહેરમાં SOG પોલીસે નન્નૂ મિયા નાળા અને વ્હાલુ ગામ વિસ્તારમાં દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા આ નાગરિકોના પાસપોર્ટ અને રહેઠાણ સંબંધિત તમામ કાગળો જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મ...

એપ્રિલ 27, 2025 3:39 પી એમ(PM) એપ્રિલ 27, 2025 3:39 પી એમ(PM)

views 3

છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં મુખ્ય શહેરોમાંનું એક બન્યું-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે. મન કી બાતની 121મી કડીમાં શ્રી મોદીએ કહ્યું, અમદાવાદમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવાયાં છે. આ વૃક્ષોએ અમદાવાદમાં હરિયાળો વિસ્તાર ઘણો વધારી દીધો છે....

એપ્રિલ 27, 2025 7:07 એ એમ (AM) એપ્રિલ 27, 2025 7:07 એ એમ (AM)

views 3

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેની જોડીએ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સના ખિતાબ જીત્યો

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેની જોડીએ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સના ખિતાબ જીત્યો છે. ગઈકાલે ટ્યુનિશિયાની રાજધાની ટ્યુનિસમાં રમાયેલી ફાઇનલમાં, માનુષ અને દિયાની જોડીએ જાપાનની સોરા માત્સુશિમા અને મિવા હરિમોટોની બીજી ક્રમાંકિત જોડીને 3-2 થી હરાવીને ખિતાબ જીત્યો છે.

એપ્રિલ 27, 2025 7:06 એ એમ (AM) એપ્રિલ 27, 2025 7:06 એ એમ (AM)

views 3

અમદાવાદથી ગાંધીનગરના સચિવાલય સુધીની મેટ્રો સેવાનો આજથી આરંભ

અમદાવાદની મૅટ્રો ટ્રેનની સેવાઓ આજથી સચિવાલય સુધી લંબાવવામાં આવશે. ગુજરાત મૅટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ- G.M.R.C.ની યાદી મુજબ, આ સાથે જ કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કૉલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર 10-એ, સચિવાલય એમ સાત નવા મથક પણ કાર્યરત્ થશે

એપ્રિલ 27, 2025 7:05 એ એમ (AM) એપ્રિલ 27, 2025 7:05 એ એમ (AM)

views 3

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ ઉપર તવાઇ. ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો જપ્ત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં આવેલા મિલન ઓઇલસ પ્રાઇવેટ લિમિટેડ નામના ગોડાઉનમાંથી ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કર્યો છે. કુલ 105 જેટલા ડબ્બાઓ જપ્ત કરી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલડી વિસ્તારમાં આવેલા યશ્સ્વી...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.