પ્રાદેશિક સમાચાર

જુલાઇ 7, 2025 7:14 પી એમ(PM)

views 6

મધ્ય ગુજરાતમાં એક બાળકનું મોત ચાંદીપુરા વાયરસથી થયું હોવાની રાજ્યના આરોગ્ય વિભાગની પુષ્ટિ

રાજ્યના આરોગ્ય વિભાગે મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આઠ બાળકોના મોતમાંથી ચાંદીપુરા વાયરસથી એકના મોતની પુષ્ટિ કરી છે. આ અગાઉ પુણેમાં સાત ગંભીર વાયરસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. નીલમ પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ અને તબીબી સહાય...

જુલાઇ 7, 2025 3:37 પી એમ(PM)

views 41

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત પાટણમાં સહકાર સંમેલનનું આયોજન કરાયું

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત પાટણમાં સહકાર સંમેલનનું આયોજન કરાયું. જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સહકારી મંડળીઓ થકી છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની સાથે વિના સહકાર નહિ ઉદ્ધારના સૂત્રને ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો. આ સહકાર સંમેલનમાં કૃભકોના ડિરેક્ટર બિપિન પટેલ તેમજ હુડકોન...

જુલાઇ 7, 2025 3:24 પી એમ(PM)

views 9

મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું અને વરિયાળીની હરાજી થઈ રહી છે

મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું અને વરિયાળીની હરાજી થઈ રહી છે. જીરુની 4 હજાર બોરી અને વરિયાળીની 1500 બોરી જ્યારે ઇસબગુલની 2 હજાર બોરીનો વેપાર થઈ રહ્યો છે. જીરુનો ભાવ 3 હજાર 600 થી 3 હજાર 800 રૂપિયાનો અને વરિયાળીનો ભાવ 1 હજારથી 1 હજાર 700 રૂપિયા રહ્યો છે. જ્યારે ઇસબગુલનો 1 હજાર 700 થી 2 હ...

જુલાઇ 7, 2025 3:20 પી એમ(PM)

views 10

ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રૉસિંગ નંબર 15 આવતીકાલે અને બુધવારે નવ જુલાઈએ બંધ રહેશે

ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રૉસિંગ નંબર 15 આવતીકાલે અને બુધવારે નવ જુલાઈએ બંધ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની યાદી મુજબ, ખોડિયાર-ગાંધીનગર સેક્શન વચ્ચેનું આ ક્રૉસિંગ આવતીકાલે સવેરા આઠ વાગ્યાથી નવ જુલાઈએ સાંજે છ વાગ્યા સુધી કામ માટે બંધ રખાશે. આ સમયગાળા દરમિયાન મુસાફરો રોડ યુઝર્સ રેલવે ક્રૉસ...

જુલાઇ 7, 2025 3:12 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસાના કારણે માર્ગ, ધોરીમાર્ગ અને બ્રિજની સ્થિતિ અંગે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસાના કારણે માર્ગ, ધોરીમાર્ગ અને બ્રિજની સ્થિતિ અંગે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠકમાં શ્રી પટેલે વિભાગોને તાકીદ કરી હતી કે જવાબદારીના સમયગાળામાં નુકસાનગ્રસ્ત થયેલા કામોને પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે. અમારા પ્રતિનિધિ દુર...

જુલાઇ 7, 2025 3:07 પી એમ(PM)

views 8

પાટણ જિલ્લાના રાધનપુરના સુલતાનપુરા અને કામલપુર ગામમાં ખેડૂતોએ ખારેકની સફળ ખેતી કરી છે

પાટણ જિલ્લાના રાધનપુરના સુલતાનપુરા અને કામલપુર ગામમાં ખેડૂતોએ ખારેકની સફળ ખેતી કરી છે. ખેડૂત નરેશ ચૌધરીએ જણાવ્યું, એક છોડ પર સરેરાશ 200 કિલો ખારેક મળે છે અને વર્ષે 8 લાખ રૂપિયાનો નફો થાય છે. સરકાર દ્વારા ખેડૂતોને ખારેકની પ્રાકૃતિક ખેતી કરવા પર સબસિડી અપાતી હોવીનું જિલ્લા બાગાયત અધિકારી મુકેશ ગાલવાડિ...

જુલાઇ 7, 2025 9:05 એ એમ (AM)

views 11

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુસ્લિમ બિરાદરોના માતમના તહેવાર મહોરમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન

સમગ્ર રાજ્યમાં ગઇકાલે મહોરમનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે તાજીયા જુલુસના રૂટ ઉપર પેટ્રોલિંગ દરમિયાન પોલીસ બંદોબસ્તનુ અને તાજીયા ઠંડા કરવાના કુંડની વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યુ હતું. અમદાવાદ શહેર તાજીયા કમિટિ દ્વારા, સીદી સૈયદની જાળી વિજળી ઘર પાસે તા...

જુલાઇ 7, 2025 9:03 એ એમ (AM)

views 6

કંડલા બંદર પર કેમિકલ ભરેલા જહાજમાં વિસ્ફોટ થતાં લાગેલી આગમાં ફસાયેલા ચાલકદળના 21 સભ્યોને તટ રક્ષકની ટુકડીએ બચાવ્યા

કંડલાના દિનદયાળ બંદરની જેટી નજીક કેમિકલ ખાલી કરી જઈ રહેલા જહાજમાં વિસ્ફોટ થતાં આગ દુર્ઘટના સર્જાઇ હતી. અમારા કચ્છના પ્રતિનીધી હેમાંગ પટણી જણાવે છે કે જહાજમાં વિસ્ફોટ થયા બાદ જહાજ એક તરફ નમી ગયું હતું. આ દુર્ઘટનામાં ચાલકદળના 21 સભ્યોને તટ રક્ષકની ટુકડીએ બચાવી લીધા હતા. હોંગકોંગના આ જહાજની દુર્ઘટના અં...

જુલાઇ 6, 2025 8:10 પી એમ(PM)

views 18

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો

રાજ્યની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાજકોટમાં જિલ્લાના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન શ્રી માંડવિયાએ ગોરસ કાર્યાલય ખાતે પોતાના લોકસભા વિસ્તારના પ્રશ્નો સાંભળ્યા હતા. ગઇકાલે તેમણે ઉપલેટા તાલુકામાં ભાયાવદરના સરદાર પટેલ સાંસ...

જુલાઇ 6, 2025 8:07 પી એમ(PM)

views 11

રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં 8 લોકોના મોત

રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે. પાટણ જિલ્લાના રાધનપુર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. રાધનપુર-મહેસાણા માર્ગ પર ટ્રક અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા-ગોધરા ધોરીમાર્ગ પર જોખા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.