પ્રાદેશિક સમાચાર

જુલાઇ 13, 2025 7:13 પી એમ(PM)

views 10

રાજ્યના 104 તાલુકામાં આજે વરસાદ- આવતીકાલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યના 104 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને ભાવનગરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાટણના સિદ્ધપુર, વલસાડ જિલ્લાના કપરાડામાં સહિત સાત તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળામાં પણ એક ઇ...

જુલાઇ 13, 2025 3:04 પી એમ(PM)

views 9

રાજ્યના 69 તાલુકામાં આજે વરસાદ નોંધાયો

રાજ્યના 69 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 49 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્...

જુલાઇ 13, 2025 3:03 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામ અને થાનગઢના જામવાળી ગામેથી સફેદ માટી અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામ અને થાનગઢના જામવાળી ગામેથી સફેદ માટી અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની ટીમે ખનીજ ચોરી અંગે દરોડા પાડ્યા હતા. જેમાં એક હિટાચી મશીન, બે ટ્રેક્ટર, એક ડમ્પર અને 80 મેટ્રિક ટન કોલસો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે થ...

જુલાઇ 13, 2025 3:02 પી એમ(PM)

views 9

રાજ્યમાં પુલ મરામતનું કાર્ય પૂરજોશમાં

રાજ્યમાં પુલ મરામતનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના 50 જેટલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાંથી ઈસરીથી શામળાજી જતાં એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા-કુડા રોડ આવેલા કુડા ગામ નજીકના પુલ પર ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિ...

જુલાઇ 13, 2025 3:01 પી એમ(PM)

views 7

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન અબડાસા તાલુકામાં સતત વરસાદ બાદ વિંઝાણ ગામને જોડતો કોઝ વે બંધ કરવામાં આવ્યો હતો. પાણીના વહેણના લીધે રસ્તાને નુકસાન પણ થયું હતું. જોકે વહેતું વરસાદી પાણી બંધ થયા બાદ તેનું સમારકામ કરીને રસ્ત...

જુલાઇ 13, 2025 2:58 પી એમ(PM)

views 9

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ દેવભૂમિ દ્વારકા ખાતે અંદાજે એક કરોડ 30 લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું.

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં અંદાજે એક કરોડ 30 લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. ભાણવડ તાલુકાના ઢેબર, રાણપર, રેટા કાલાવડ તથા સઈ દેવળિયા ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી બેરાએ કહ્યું કે, ગ્રામ્ય ...

જુલાઇ 13, 2025 3:07 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે ગાંધીનગર ખાતે સન્ડેઝ ઓન સાઇકલ રેલીમાં જોડાયા.

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે ગાંધીનગર ખાતે સન્ડેઝ ઓન સાઇકલ રેલીમાં જોડાયા. મહાત્મા મંદિરથી યોજાયેલી આ સાયકલ રેલીમાં શ્રી માંડવીયાએ ફિટ રહેવા સાયકલ ચલાવવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયકલ ચલાવવાથી માનસિક આરોગ્ય પણ જળવાય છે. આજે સમગ્ર દેશમાં 7 હજારથી વધુ સ્થળોએ સાયક...

જુલાઇ 13, 2025 9:00 એ એમ (AM)

views 9

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં અવિરત પણે પોતાની ફરજ બજાવનારા સિવિલ હોસ્પિટલના વર્ગ-3 અને ચારના કર્મચારીઓનું સન્માન કરીને પ્રોત્સાહિત કરાયા

અમદાવાદમા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવમાં સ...

જુલાઇ 13, 2025 8:59 એ એમ (AM)

views 9

લોક અદાલતમાં સૌથી વધુ કેસોના નિકાલમાં સાડા ત્રણ લાખ કેસ સાથે સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે

લોક અદાલતમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ગઈકાલે યોજાયેલી લોક અદાલતમાં 1 લાખ 5 હજાર 554 કેસ રજૂ કરવામાં આવ્યા હતાં, જેમાંથી 1 લાખ 1 હજાર 559 કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો. ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ અન્વયેના ક...

જુલાઇ 13, 2025 8:57 એ એમ (AM)

views 8

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે, ભવિષ્યની પેઢી માટે ધનની જેમ જળ ભેગુ કરવું એ સમયની માંગ

રાજકોટ ખાતે જળ સંમેલન અને 12 હિટાચી મશીનનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો. વરસાદી પાણીનો જમીનમા સંગ્રહ વધુ થાય તે માટે લોકોએ જાગૃતતા કેળવવી પડશે તેવું સી.આર. પાટીલે લોકોને અપીલ કરી હતી. તેમણે પાણીના મહત્વ સમજાવતા કહ્યું હતું કે ભવિષ્યની પેઢી માટે ઘન ભેગુ કરીએ છીએ પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.