પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 11, 2025 3:05 પી એમ(PM)

views 11

સિંહોના અસ્તિત્વ માટે તેમના પ્રાકૃતિક આવાસનું રક્ષણ જરૂરી : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યુ, સિંહોના અસ્તિત્વ માટે તેમના પ્રાકૃતિક આવાસનું રક્ષણ જરૂરી છે. જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે આજે સિંહ સંવર્ધન પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય સેમિનારમાં શ્રી બેરાએ જણાવ્યુ કે કેન્દ્ર સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને રાજ્ય સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું કાર્ય ...

ઓગસ્ટ 11, 2025 3:03 પી એમ(PM)

views 252

આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની 9 હજાર જગ્યાઓ ભરતી..

આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની 9 હજાર જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી ૩૦મી ઓગસ્ટ સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પદ્વતિની માર્ગદર્શિકા e-HRMS.gujarat.gov.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. આંગણવાડીમાં અરજી કરવા માટે ગ્રામીણ...

ઓગસ્ટ 11, 2025 3:02 પી એમ(PM)

views 31

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલી તિરંગા યાત્રામા 1300 જેટલા વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગના 200થી વધુ કર્મચારીઓ સહિત અંદાજે 2 હજાર લોકો જોડાયા હતા. મહીસાગર જિલ્લા પોલીસે લુણાવાડાની એસ.પી. કચેરીથી કડાણા ડેમ સુધી તિરંગા...

ઓગસ્ટ 11, 2025 2:59 પી એમ(PM)

views 6

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. ત્યારે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. સોમનાથ મંદિરે આજે વહેલી સવારથી દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા. બમબમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજયું હતું. મંદિર પરિસરમાં આજે પાલખીયાત્રા યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. દરમિ...

ઓગસ્ટ 11, 2025 3:05 પી એમ(PM)

views 14

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જળાશયોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો રાજ્યના 52 જળાશય હાઇએલર્ટ પર છે એટલે કે 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્...

ઓગસ્ટ 11, 2025 12:11 પી એમ(PM)

views 11

તાપીનાં 28 આદિવાસી બાળકો પહેલી વાર ઇસરોના શ્રીહરિકોટા સ્થિત સૅટેલાઈટ લૉન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે ગયાં

તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો પહેલી વાર ઇસરોના શ્રીહરિકોટા સ્થિત સૅટેલાઈટ લૉન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે ગયાં છે. “તાપી કે તારે” પ્રૉજેક્ટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમ વાર ખાસ કરીને આદિજાતિ બાળકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે. 15 સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહના આ બાળકો 13 ઑગસ્ટ ...

ઓગસ્ટ 11, 2025 12:10 પી એમ(PM)

views 7

ગીર સોમનાથના ખેલાડી ધાર્મિક કુહાડા જાપાન વર્લ્ડ કરાટે ચૅમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગીર સોમનાથ જિલ્લાના ખેલાડી ધાર્મિક કુહાડા જાપાન વર્લ્ડ કરાટે ચૅમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મળતી માહિતી મુજબ, વેરાવળના ધાર્મિક કુહાડા આગામી 17 ઑગસ્ટે જાપાનમાં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં 40 દેશના ખેલાડીઓ વચ્ચે મુકાબલો થશે. વેરાવળ તાલુકાના ખેલાડી ધાર્મિક કુહાડાના પિતા માછીમા...

ઓગસ્ટ 11, 2025 12:09 પી એમ(PM)

views 10

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, પોલીસ અને સરપંચ વચ્ચેના પરિસંવાદ થકી લાખો લોકોને ગુનાનો ભોગ બનતા બચાવી શકાશે

રાજ્યભરમાં ગઈકાલે ગ્રામ્ય પોલીસિંગ અંતર્ગત પોલીસ અને સરપંચ પરિસંવાદ યોજાયો. ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવા યોજાયેલા પરિસંવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના કામરેજ પોલીસમથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં બનતા બનાવને અટકાવવામાં પરિસંવાદ સેતુ બનશે તેવો વિશ્વાસ વ...

ઓગસ્ટ 11, 2025 11:46 એ એમ (AM)

views 7

રાજ્યમાં અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત

રાજ્યમાં ગઈકાલે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે વડોદરા—મુંબઈ ઍક્સપ્રેસ હાઈ-વૅ પર રક્ષાબંધન માટે સુરત જતાં એક દંપતીનું મોત થયું. જ્યારે તેમના પુત્રને ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ, વડોદરાના બિલ કૅનાલ રોડ વિસ્તારનો પરિવાર સુરત જતો હતો ત્યારે સરસવણી ગામ નજીક તેમની કાર અને પીક...

ઓગસ્ટ 10, 2025 2:28 પી એમ(PM)

views 14

ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું,ગુજરાતનાં સાવજ આજે દેશની અસ્મિતાનું પ્રતિક બન્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડીખાતે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં શ્રી પટેલે જણાવ્યું કે વન્ય પ્રાણીસંરક્ષણના રાજ્ય સરકારના સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે. ગુજરાત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.