પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 15, 2025 7:09 પી એમ(PM)

views 7

આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી-આજે ઉત્તર ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદ

આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિયામક ડો. એ.કે.દાસે જણાવ્યુ કે આવતીકાલથી પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સમયગાળા દર...

ઓગસ્ટ 14, 2025 6:52 પી એમ(PM)

views 8

79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનું આહ્વાન કર્યું.

79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનું આહ્વાન કર્યું. શ્રી પટેલે કહ્યું, દરેક ગામ અને શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બન્યું છે. આજે ભારત વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે...

ઓગસ્ટ 14, 2025 6:50 પી એમ(PM)

views 11

રાજ્ય પોલીસ દળના 23 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિનાં ચંદ્રક જાહેર કરાયા

સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રપતિ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દળના 23 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિનાં ચંદ્રક જાહેર કરાયા છે. તેમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-ACBના નિયામક IPS પિયુષ પટેલ, ઇંટેલિજન્સના ADGP મુકેશ સોલંકીને વિશિષ્ટ સેવા અંગેના ચંદ્રક જાહેર કરાયા. જ્યારે અમદાવા...

ઓગસ્ટ 14, 2025 6:48 પી એમ(PM)

views 23

રાજ્યમાંથી ૩૦ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ જાહેર

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025 માટેના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ જાહેર કરાયા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યમાંથી કુલ ૩૦ શિક્ષકોની પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં સૌરાષ્ટ્રમાંથી 9 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ઝોનમાંથી 5, ઉત્તર અને મધ્ય ઝોનમાંથી ...

ઓગસ્ટ 14, 2025 6:47 પી એમ(PM)

views 15

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉતર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન 30થી 40 કિલોમીટર પવન ફૂંકવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો. એ....

ઓગસ્ટ 14, 2025 3:13 પી એમ(PM)

views 10

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ

રાજ્યના વિવિધ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેકટર કચેરી સુધીની આ તિરંગા યાત્રામાં ચોમેર લહેરાતા તિરંગાઓએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. સાબરકાં...

ઓગસ્ટ 14, 2025 3:12 પી એમ(PM)

views 8

સાતમ‌-આઠમના તહેવારને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વિશેષ ઝુંબેશમાં મીઠાઇ-ફરસાણના 500 વિવિધ એકમોમાં દરોડા પાડ્યા

સાતમ‌-આઠમના તહેવારને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વિશેષ ઝુંબેશમાં મીઠાઇ-ફરસાણના 500 વિવિધ એકમોમાં દરોડા પાડ્યા, જેમાં 800 વધુ નમૂના એકત્ર કર્યા. નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તેના માટે આ ઝુંબેશ હાથ ધરાઇ હોવાનું ખોરાક અને ઔષધ કમિશ્નર ડોક્ટર એચ.જી કોશિયાએ જણાવ્યુ.

ઓગસ્ટ 14, 2025 3:10 પી એમ(PM)

views 8

રાજ્ય પોલીસ દળના 23 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિનાં ચંદ્રક જાહેર કરાયા

સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રપતિ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દળના 23 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિનાં ચંદ્રક જાહેર કરાયા છે. તેમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-ACBના નિયામક IPS પિયુષ પટેલ, ઇંટેલિજન્સના ADGP મુકેશ સોલંકીને વિશિષ્ટ સેવા અંગેના ચંદ્રક જાહેર કરાયા. જ્યારે અમદાવા...

ઓગસ્ટ 14, 2025 3:15 પી એમ(PM)

views 11

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશને સંબોધન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 79-મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવણીના તમામ રાષ્ટ્રીય નૅટવર્ક પર પ્રસારિત કરાશે. આકાશવાણીના પ્રાદેશિક નૅટવર્ક પર રાત્રે સાડા નવ વાગ્યે પ્રાદેશિક ભાષાઓમાં તેમના સંબોધનનું પ્રસારણ કરાશે. દૂરદર્શનની તમામ ચૅનલ...

ઓગસ્ટ 14, 2025 3:14 પી એમ(PM)

views 10

79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે.

79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે. આ પ્રજાજોગ સંદેશનું વિવિધ ટીવી ચેનલ પરથી સાંજે સાડા 6 વાગ્યાથી જ્યારે આકાશવાણી પર 9 ને 15 કલાકે પ્રસારણ કરાશે. જ્યારે ડીડી ગીરનાર ચેનલ પરથી આવતીકાલે સવારે 9 કલાકે પ્રસારિત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.