પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 21, 2025 7:27 પી એમ(PM)

views 13

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ આવાસનું નિર્માણ પૂર્ણ થયું

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ આવાસનું નિર્માણ પૂર્ણ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા આઠ લાખ 43 હજાર 168 આવાસનો લક્ષ્યાંક મળ્યો છે. તે પૈકી કુલ છ લાખ 932 આવાસનું બાંધકામ પૂર્ણ થયું છે. રાજ્યમાં પ...

ઓગસ્ટ 21, 2025 7:26 પી એમ(PM)

views 29

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અહેવાલના આધારે અમદાવાદની ખાનગી શાળામાં થયેલી ઘટના અંગે પગલાં લેશે

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે અમદાવાદની ખાનગી શાળામાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાની ટીકા કરી છે. તેમણે કહ્યું, આયોગે શાળા અને પોલીસ પાસેથી અહેવાલ મગાવ્યો છે. તેના આધારે કડક પગલાં લેવાશે. સોશિયલ મીડિયા પર બાળક શું જોવે છે તેની પર ધ્યાન રાખવા પણ સુશ્રી ગજ્જરે વાલીઓને અ...

ઓગસ્ટ 21, 2025 7:24 પી એમ(PM)

views 6

રાજકોટમાંથી છ હજાર 500 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું

ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળ- F.S.S.A.I.એ રાજકોટમાંથી છ હજાર 500 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે. F.S.S.A.I.એ નકલી ઘી પકડવાની કાર્યવાહી હેઠળ ખાનગી પેઢી પર દરોડા પાડી. ઘીના નમૂના પ્રયોગશાળામાં મોકલાતા તેમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ભેળસેળના પુષ્ટી થયેલા પૂરાવાના આધારે, ખાદ્ય ઘટક...

ઓગસ્ટ 21, 2025 7:20 પી એમ(PM)

views 9

કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 27 ઑગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આવતીકાલે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની વકી છે. માછીમારોને પણ આગામી 25 તારીખ સુધી દરિયો ...

ઓગસ્ટ 21, 2025 7:18 પી એમ(PM)

views 7

ઉત્તર ગુજરાતની સહકારી શક્તિ-એ ગામડાથી વૈશ્વિક બજાર સુધી વિશેષ પહોંચ બનાવી

બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લામાં ડેરી સહકારી મંડળીઓમાં આવેલા પ્રસંસ્કરણ ક્ષમતા અને અદ્યતન સુવિધાને કારણે રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ડેરી ક્ષેત્રે આ નોંધપાત્ર પરિવર્તનના કારણે ઉત્તર ગુજરાત ગ્રામીણ આજીવિકા અને વિકાસનું શક્તિશાળી માધ્યમ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર...

ઓગસ્ટ 21, 2025 3:21 પી એમ(PM)

views 11

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, જુનાગઢ, ગીરસોમનાથ અને દેવભૂમિદ્વારકા સહિત સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે જુનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરના કેટલાક ગ્રામીણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેના કારણે આઠ રા...

ઓગસ્ટ 21, 2025 3:20 પી એમ(PM)

views 67

હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને પણ 24 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 90 તા...

ઓગસ્ટ 21, 2025 3:19 પી એમ(PM)

views 6

ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ખાનગી હૉસ્પિટલમાં કૅન્સર માટેના તબીબી ઉપકરણ – ટ્રૂબિમ લિનિયર ઍક્સિલરૅટરની ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ખાનગી હૉસ્પિટલમાં કૅન્સર માટેના તબીબી ઉપકરણ - ટ્રૂબિમ લિનિયર ઍક્સિલરૅટરની ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે આ મશીનની મદદથી કૅન્સરના દર્દીઓના ચોક્સાઈપૂર્વક નિદાન મેળવવામાં સરળતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ટ્રૂબિમ 3.0...

ઓગસ્ટ 21, 2025 3:18 પી એમ(PM)

views 10

ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પહેલ હેઠળ બે અઠવાડિયાનો વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ

ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પહેલ હેઠળ બે અઠવાડિયાનો વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમે નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય જોડાણ મેળવ્યું છે અને વિવિધ સરહદો પર મજબૂત સહયોગને પ્રોત્સાહન આપ્યું છે. માલદીવ્સ, માલાવી, ફીજી, એસ્વાટિની, દક્ષિણ આફ્રિક...

ઓગસ્ટ 21, 2025 3:17 પી એમ(PM)

views 10

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલની અમદાવાદની કચેરી ખાતે 10મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલત યોજાશે.

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલની અમદાવાદની કચેરી ખાતે 10મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલત યોજાશે. તેમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળવામાં આવે છે. આ માટેની ફરિયાદો શ્રી આર. એન. ગાંધી, સહાયક નિદેશક ડાક સેવા ફરિયાદ વિભાગ, ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.