પ્રાદેશિક સમાચાર

જુલાઇ 15, 2025 8:56 એ એમ (AM) જુલાઇ 15, 2025 8:56 એ એમ (AM)

views 5

બોટાદના ગોધવટા ગામ કાર તણાઈ જતા ત્રણ લોકોના મોત

બોટાદના ગોધવટા ગામમાં કાર તણાઈ જતા ત્રણ લોકોના મોત થયા છે. કારમાં કુલ 7 લોકો સવાર હતા જેમાં 4નો બચાવ અને જયારે એક બાળક મળી 2 લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ ગુમ થઈ છે. ત્યારે NDRF ટીમે ગુમ વ્યક્તિની શોધખોળ હાથ ધરતા મોડી રાત્રે ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

જુલાઇ 15, 2025 8:53 એ એમ (AM) જુલાઇ 15, 2025 8:53 એ એમ (AM)

views 7

રાજ્યમાં ચાલી રહેલા માર્ગ અને પુલના સમારકામનું જિલ્લા વહીવટી તંત્રના વડાઓએ નિરીક્ષણ કર્યું

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા માર્ગ અને પુલના સમારકામનું જિલ્લા વહીવટી તંત્રના વડાઓએ નિરીક્ષણ કર્યું. વરસાદને કારણે નુકસાનગ્રસ્ત થયેલા રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે.જે અંતર્ગત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લ...

જુલાઇ 14, 2025 7:11 પી એમ(PM) જુલાઇ 14, 2025 7:11 પી એમ(PM)

views 4

સરદાર સરોવર પુનઃ વસવાટ સંસ્થા હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવા, હસ્તાંતરણ કરવાના નિયમોને આખરી ઓપ અપાયો.

રાજ્ય સરકારે સરદાર સરોવર પુનઃ વસવાટ સંસ્થા હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવા, હસ્તાંતરણ કરવાના નિયમોને આખરી ઓપ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભે નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય પદ્ધતિને મંજૂરી આપી છે. હસ્તાંતરણની આ કાર્ય પદ્ધતિ આગામી બે મહિનામાં પૂર્ણ કરાશે. આ વસાહ...

જુલાઇ 14, 2025 6:59 પી એમ(PM) જુલાઇ 14, 2025 6:59 પી એમ(PM)

views 7

ગુજરાત ATS-એ સત્તાવાર પરવાના વગરની રિવૉલ્વર સાથે સાત વેપારીની ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ A.T.S.-એ સત્તાવાર પરવાના વગરના અને કોઈકના U.I.D. સાથે ચેડાં કરીને મેળવેલી રિવૉલ્વર સાથે સાત જેટલા વેપારીની ધરપકડ કરી. વેપારીઓએ ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાંથી એક જ લાઈનથી હથિયાર મેળવ્યા હોવાનું જણાયું છે. ધરપકડ બાદ તમામ વેપારીની રિમાન્ડ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. વેપારીઓ પા...

જુલાઇ 14, 2025 6:57 પી એમ(PM) જુલાઇ 14, 2025 6:57 પી એમ(PM)

views 7

રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ યથાવત્ રહેશે.

રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ યથાવત્ રહેશે. દરમિયાન આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ માછીમારોને 18 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

જુલાઇ 14, 2025 6:55 પી એમ(PM) જુલાઇ 14, 2025 6:55 પી એમ(PM)

views 6

રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાં કુલ 47 ટકા પેચવર્કની તથા 63 ટકા ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. તે અંતર્ગત અત્યાર સુધી 47 ટકા પૅચવર્કની કામગીરી એટલે કે કુલ એક હજાર 401 કિલોમીટર જેટલી લંબાઈના મૅજર અને માઈનૉર રસ્તાઓમાં પેચવર્કનું કામ પૂર્ણ થયું છે. જ્યારે રસ્તાઓમાં પડેલા માઈનર પોટહૉલ્સ-ખાડ...

જુલાઇ 14, 2025 6:50 પી એમ(PM) જુલાઇ 14, 2025 6:50 પી એમ(PM)

views 3

પાટણના ખેલાડી વિહંગ સાલ્વીએ રાજ્ય તરણ સ્પર્ધામાં પાંચ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યા.

પાટણના ખેલાડી વિહંગ સાલ્વીએ રાજ્ય તરણ સ્પર્ધામાં પાંચ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં યોજાયેલી ગુજરાત રાજ્ય જૂનિયર અને સબ-જૂનિયર તરણ સ્પર્ધામાં આ ખેલાડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શ્રી સાલ્વીએ 14 વર્ષથી ઓછી વયની શ્રેણીની 200, 400, 800 અને એક હજાર 500 ફ્રી સ્ટાઈલ તે...

જુલાઇ 14, 2025 3:08 પી એમ(PM) જુલાઇ 14, 2025 3:08 પી એમ(PM)

views 34

હવામાન વિભાગ દ્વારા આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓગણસાઈઠ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સવા બે ઈંચ જેટલો વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરે...

જુલાઇ 14, 2025 3:07 પી એમ(PM) જુલાઇ 14, 2025 3:07 પી એમ(PM)

views 8

મહીસાગરમાં ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

મહીસાગરમાં ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, લુણાવાડા-મોડાસા ધોરીમાર્ગ પર પાનમ નદી પાસે બે કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. 108 ઈમરજન્સી ઍમ્બુલૅન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટ...

જુલાઇ 14, 2025 3:05 પી એમ(PM) જુલાઇ 14, 2025 3:05 પી એમ(PM)

views 2

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ આ મોસમમાં ત્રીજી વખત 100 ટકા ભરાતાં પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને ચેતવણી અપાઈ

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ આ મોસમમાં ત્રીજી વખત 100 ટકા ભરાતાં પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને ચેતવણી અપાઈ. આ બંધ અગાઉ 17 જૂન અને 6 જુલાઈએ પણ 100 ટકા ભરાયો હતો. જિલ્લામાં વરસાદને લઈ શેત્રુજી બંધમાં પાણીની આવક શરૂ થઇ હતી. દરમિયાન પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.