પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 20, 2025 7:42 પી એમ(PM)

views 12

સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ લડાઈની રમતગમત એટલે કે, ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પાટડીનાં જીવણગઢ ગામનાં આ ખેલાડીએ તાજેતરમાં સુરતમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગમાં આ સિદ્ધિ મેળવી. તેમણે ભવ્ય પ્રદર્શન કરીને અન્ય ખેલાડીઓને મ્હાત આપી છે. આરતી નાગોહે હાલ નડિઆદનાં જિલ્લાકક્ષ...

સપ્ટેમ્બર 20, 2025 3:52 પી એમ(PM)

views 5

દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓની કાર્યશાળા યોજાઇ.

દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓની કાર્યશાળા યોજાઇ. આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ વિવિધ મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું, ગ્રામીણ અર્થતંત્રને વધુ સશક્ત બનાવવામાં સહકારી ક્ષેત્રનું યો...

સપ્ટેમ્બર 20, 2025 3:50 પી એમ(PM)

views 17

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. બોટાદ અને ગઢડા બાદ રાણપુર શહેરના ધારપીપળા માર્ગ, લીંબડી માર્ગ, બોટાદ માર્ગ સહિત રાણપુરની મુખ્યબજારોમાં વરસાદ થઈ રહ્યો છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, અમદાવાદના કેટલાક વિસ્તારમાં પણ હાલ મધ્યમ વરસાદ થઈ ...

સપ્ટેમ્બર 20, 2025 3:49 પી એમ(PM)

views 12

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુક્તેશ્વર બંધની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુક્તેશ્વર બંધની મુલાકાત લીધી. તેમણે જળાશયનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સાર્વત્રિક વરસાદને કારણે સરસ્વતી નદી ...

સપ્ટેમ્બર 20, 2025 3:30 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઈએ ચિપ હોય કે શીપ ભારતમાં જ બનાવવા પડશે. ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી મોદીએ કહ્યું, વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ મા...

સપ્ટેમ્બર 20, 2025 3:29 પી એમ(PM)

views 9

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પહેલા તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. નવી મુંબઈમાં ઘણસોલી અને શિલ્ફાટા ટનલની કામગીરીની સમીક્ષા બાદ મીડિયા સાથે વાત કરતા, તેમણે માહિતી આપી કે પ્રોજેક્ટના થાણે વિભાગની કામગીરી 2028 સુધીમાં પૂર્ણ થશે...

સપ્ટેમ્બર 20, 2025 3:33 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌરઊર્જા ગામનું ઇ-લોકાર્પણ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌરઊર્જા ગામનું ઇ-લોકાર્પણ કર્યું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સૌરઊર્જાથી સંચાલિત ગામ બન્યું છે. આ ગામમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન- U.N.W.T.O. દ્વારા શ્રેષ્ઠ...

સપ્ટેમ્બર 20, 2025 10:57 એ એમ (AM)

views 11

દરિયાઈ ક્ષેત્રમાં શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે, ત્યારે દરિયાઈ ક્ષેત્રમાં શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્...

સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM)

views 14

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ રાજ્યમાં 30 હજારથી વધુ આરોગ્ય ચકાસણી શિબિરો યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં 30 હજાર 219 થી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા.રાજ્યમાં અભિયાન હેઠળ ત્રણ દિવસમાં 15 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે. સાથે જ 42 હજારથી વધુ આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં...

સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM)

views 12

દેશની સૌથી મોટી ચોથા તબક્કાની રાષ્ટ્રીય STEM ક્વિઝનો ગાંધીનગર ખાતેથી શુભારંભ

દેશની સૌથી મોટી ચોથા તબક્કાની રાષ્ટ્રીય STEM ક્વિઝનો ગાંધીનગર ખાતેથી શુભારંભ થયો. ગુજરાત વિજ્ઞાન અને ટેક્નોલોજી પરિષદ-GUJCOST દ્વારા શરૂ કરાયેલી આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને બે કરોડ સુધીના ઇનામો અપાશે. આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.