પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 2, 2025 3:55 પી એમ(PM)

views 14

અરવલ્લી જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ નજીક સેવા અંતર્ગત સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર, નગર પાલિકા પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો જોડાયા હતા....

ઓક્ટોબર 2, 2025 3:52 પી એમ(PM)

views 18

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે થરાદ ખાતે જિલ્લા કલેકટર કચેરીનો આજે વિધિવત શુભારંભ કરાવ્યો.

રાજ્યનો નવો જિલ્લો વાવ-થરાદ આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે થરાદ ખાતે જિલ્લા કલેકટર કચેરીનો આજે વિધિવત શુભારંભ કરાવ્યો. આ સાથે, વાવ થરાદ જિલ્લાના નવા ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. થરાદ ખાતે...

ઓક્ટોબર 2, 2025 4:02 પી એમ(PM)

views 11

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભુજ ખાતેના મિલેટ્રી સ્ટેશનમાં શસ્ત્રપૂજન સમારોહમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું.

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભુજ ખાતેના મિલેટ્રી સ્ટેશનમાં શસ્ત્રપૂજન સમારોહમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું. દશેરા નિમિત્તે આયોજીત આ કાર્યક્રમમાં તેમણે જવાનોને સંબોધન પણ કર્યું. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન સિરક્રીક ક્ષેત્રમાં કોઈ પણ ગતિવિધી કરવાની હિંમત કરશે, તો તે...

ઓક્ટોબર 2, 2025 9:41 એ એમ (AM)

views 96

વાવ–થરાદ જિલ્લો આજે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે

બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો આજે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે. આ સાથે ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવશે. જેનાથી વહીવટી કાર્યક્ષમતા, વિકાસ યોજનાઓ અને નાગરિક સેવાઓ વધુ સુગમ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકો...

ઓક્ટોબર 1, 2025 7:48 પી એમ(PM)

views 31

અમદાવાદથી ખેલ મહાકુંભ 2025નો આજે શુભારંભ

રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી આજે અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતેથી ખેલ મહાકુંભ 2025નો શુભારંભ કરાવ્યો. શ્રી સંઘવીએ કહ્યું, યુવા રમતવીરોનું સ્વપ્ન પૂરું કરવા સરકાર કટિબદ્ધ છે. 5600 ખેલાડીઓને દર વર્ષે એક લાખ 60 હજાર રૂપિયાની સહાય દ્વારા રાજ્ય સરકાર તાલીમ આપે છે. આ વખતે ખેલ મહાકુંભમાં વિક્રમ...

ઓક્ટોબર 1, 2025 7:47 પી એમ(PM)

views 13

રાજ્યમાં આજે અકસ્માતની વિવિધ ઘટનામાં 7 લોકોના મોત

રાજ્યમાં આજે અકસ્માતની વિવિધ ઘટનામાં 7 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા માર્ગ પર કાર પલટી જતા ત્રણ મહિલા સહિત ચારનાં મોત થયા. મુળી તાલુકાના દાધોળિયા ગામથી એક મહિલાને સારવાર માટે દવાખાને લઈ જતી કારમાં નદીમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય એક ઘટના ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમા...

ઓક્ટોબર 1, 2025 7:46 પી એમ(PM)

views 18

રાજ્યમાં આવતીકાલથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન વળતર અપાશે

રાજ્યમાં આવતીકાલ ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે. સ્વદેશીના પ્રતિક ખાદીને પ્રોત્સાહન આપવા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે. ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર થવાથી રાજ્યમાં ખાદી અને પોલીવસ્ત્...

ઓક્ટોબર 1, 2025 7:45 પી એમ(PM)

views 119

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે-સાંસ્કૃતિક કાર્યક્રમ, લશ્કરી કવાયત સહિતના કાર્યક્રમામાં ઉપસ્થિત રહેશે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન શ્રી સિંહ આજે સાંજે ભુજમાં લશ્કરી મથક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી સિંહ લક્કીનાળા લશ્કરી મથક ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળશે સાથે જ શસ્ત્ર પૂજા કરશે. શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવીન સુવ...

ઓક્ટોબર 1, 2025 7:45 પી એમ(PM)

views 12

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ છલકાયો- મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં કર્યા

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ છલકાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદાના નીરના વધામણાં કર્યા. નર્મદા બંધ 2017 બાદ ૬ઠ્ઠી વાર સંપૂર્ણ ભરાયો છે. આ પ્રસંગે શ્રી પટેલે સરદાર પટેલની 150મી જન્મ જયંતી અવસરે 31મી ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી અને એકતા પરેડ સહિતના કાર્યક્રમનું સ્...

સપ્ટેમ્બર 30, 2025 8:04 પી એમ(PM)

views 33

આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.