પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 20, 2025 3:50 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:50 પી એમ(PM)

views 13

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. બોટાદ અને ગઢડા બાદ રાણપુર શહેરના ધારપીપળા માર્ગ, લીંબડી માર્ગ, બોટાદ માર્ગ સહિત રાણપુરની મુખ્યબજારોમાં વરસાદ થઈ રહ્યો છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, અમદાવાદના કેટલાક વિસ્તારમાં પણ હાલ મધ્યમ વરસાદ થઈ ...

સપ્ટેમ્બર 20, 2025 3:49 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:49 પી એમ(PM)

views 5

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુક્તેશ્વર બંધની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુક્તેશ્વર બંધની મુલાકાત લીધી. તેમણે જળાશયનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સાર્વત્રિક વરસાદને કારણે સરસ્વતી નદી ...

સપ્ટેમ્બર 20, 2025 3:30 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:30 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઈએ ચિપ હોય કે શીપ ભારતમાં જ બનાવવા પડશે. ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી મોદીએ કહ્યું, વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ મા...

સપ્ટેમ્બર 20, 2025 3:29 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:29 પી એમ(PM)

views 6

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પહેલા તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. નવી મુંબઈમાં ઘણસોલી અને શિલ્ફાટા ટનલની કામગીરીની સમીક્ષા બાદ મીડિયા સાથે વાત કરતા, તેમણે માહિતી આપી કે પ્રોજેક્ટના થાણે વિભાગની કામગીરી 2028 સુધીમાં પૂર્ણ થશે...

સપ્ટેમ્બર 20, 2025 3:33 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:33 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌરઊર્જા ગામનું ઇ-લોકાર્પણ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌરઊર્જા ગામનું ઇ-લોકાર્પણ કર્યું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સૌરઊર્જાથી સંચાલિત ગામ બન્યું છે. આ ગામમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન- U.N.W.T.O. દ્વારા શ્રેષ્ઠ...

સપ્ટેમ્બર 20, 2025 10:57 એ એમ (AM) સપ્ટેમ્બર 20, 2025 10:57 એ એમ (AM)

views 7

દરિયાઈ ક્ષેત્રમાં શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે, ત્યારે દરિયાઈ ક્ષેત્રમાં શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્...

સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM) સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM)

views 9

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ રાજ્યમાં 30 હજારથી વધુ આરોગ્ય ચકાસણી શિબિરો યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં 30 હજાર 219 થી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા.રાજ્યમાં અભિયાન હેઠળ ત્રણ દિવસમાં 15 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે. સાથે જ 42 હજારથી વધુ આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં...

સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM) સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM)

views 6

દેશની સૌથી મોટી ચોથા તબક્કાની રાષ્ટ્રીય STEM ક્વિઝનો ગાંધીનગર ખાતેથી શુભારંભ

દેશની સૌથી મોટી ચોથા તબક્કાની રાષ્ટ્રીય STEM ક્વિઝનો ગાંધીનગર ખાતેથી શુભારંભ થયો. ગુજરાત વિજ્ઞાન અને ટેક્નોલોજી પરિષદ-GUJCOST દ્વારા શરૂ કરાયેલી આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને બે કરોડ સુધીના ઇનામો અપાશે. આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની ...

સપ્ટેમ્બર 20, 2025 10:41 એ એમ (AM) સપ્ટેમ્બર 20, 2025 10:41 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાત આવશે. પ્રધાનમંત્રી ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે શરૂ થનારા પ્રકલ્પો દેશ અને રાજ્યમાં દરિયાઈ વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને વેગ આપ...

સપ્ટેમ્બર 19, 2025 7:46 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 7:46 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે-34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે છે. તેઓ ભાવનગર હવાઈમથકથી જવાહર મેદાન સુધી રોડ શો યોજશે અને ભાવનગરમાં અંદાજે 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં બંદર વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને લગતા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 'સમુદ્રથ...