પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 30, 2025 3:51 પી એમ(PM)

views 47

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં માહિતી નિયામક કે.એલ.બચાણી, સહિત અધિકારીઓએ આજે શપથ ગ્રહણ કર્યા.

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં માહિતી નિયામક કે.એલ.બચાણી, સહિત અધિકારીઓએ આજે શપથ ગ્રહણ કર્યા. નવસારી જિલ્લામાં પણ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે જિલ્લા સેવા સદન ખાતે કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં શપથ લેવામ...

ઓક્ટોબર 30, 2025 2:04 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આવતીકાલે તેઓ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ...

ઓક્ટોબર 30, 2025 3:53 પી એમ(PM)

views 40

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે 69 તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે. ભાવનગરના મહુવામાં અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. આ ઉપરાંત સિહોર, પાલિતાણા, તળાજામાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ...

ઓક્ટોબર 30, 2025 8:31 એ એમ (AM)

views 24

અમદાવાદ મહાનગરપાલિકા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા મકાન મળી રહે તે માટે 10 હજાર મકાનોનું નિર્માણ કરશે

અમદાવાદ મહાનગરપાલિકા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા મકાન મળી રહે તે માટે 10 હજાર મકાનોનું નિર્માણ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ 2.0 યોજના અંતર્ગત LIG, EWS, તેમજ જૂના થઈ ગયેલા મકાનોને રી-ડેવલોપ કરી 10 હજારથી પણ વધુ મકાનોનું નિર્માણ કરશે. જે અંગે ટેન્ડરન...

ઓક્ટોબર 29, 2025 7:23 પી એમ(PM)

views 18

રાજ્યમાં વરસાદથી થયેલા પાકના નુકસાનનો સરવે કરાશે – રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસ, રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનના સરવે સહિતના મુદ્દા પર ચર્ચા થઈ. આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યમાં જ્યાં વરસાદ અને નુકસાન થયું છે ત્યાં સરકાર ...

ઓક્ટોબર 29, 2025 7:20 પી એમ(PM)

views 18

ગુજરાત સમૂદ્રી બૉર્ડ અને પીપાવાવ બંદર લિમિટેડ વચ્ચે 17 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરાર – 25 હજાર રોજગારીનું સર્જન થશે.

ગાંધીનગરમાં આજે ગુજરાત સમૂદ્રી બૉર્ડ અને ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ – APM ટર્મિનલ્સ વચ્ચે 17 હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણના સમજૂતી કરાર – MoU થયા. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કરારથી પીપાવાવ બંદરના વિસ્તરણના કારણે ગુજરાતની ભારતના સમૂદ્રી પ્રવેશદ્વાર તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વ...

ઓક્ટોબર 29, 2025 7:19 પી એમ(PM)

views 38

ગુજરાત વહીવટી સુધારણા પંચે 12 જેટલી મુખ્ય ભલામણ સાથેનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો

રાજ્યમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ – GARC-એ પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. તેમાં પંચે “નાગરિક દેવો ભવઃ”ના અભિગમને રાજ્યમાં ડિજિટલ સુશાસનથી સાકાર કરવા 12 જેટલી મુખ્ય ભલામણ કરી છે. પંચે અહેવાલમાં ‘એક રાજ્ય - એક પૉર્ટલ’ના સંકલ્પ સાથે “સરકાર નાગરિકોના ઘરઆંગણે” “ગવર્મેન્ટ ઍટ ધ ડૉર...

ઓક્ટોબર 29, 2025 7:14 પી એમ(PM)

views 106

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ થઈ શકે છે. તો, દેવભૂમિદ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દા...

ઓક્ટોબર 29, 2025 3:06 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. તેમાં રાજ્યના વરિષ્ઠ મંત્રીઓએ કમોસમી વરસાદની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો. બેઠકમાં ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે પણ ચર્ચા થઈ. આ ઉપરાંત 31 ઓક્ટોબર કેવડીયા એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન ...

ઓક્ટોબર 29, 2025 3:06 પી એમ(PM)

views 17

ગુજરાત સમુદ્રી બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ દ્વારા 17 હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટેના સમજૂતી કરાર-MoU સંપન્ન.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સમુદ્રી બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ દ્વારા 17 હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટેના સમજૂતી કરાર-MoU સંપન્ન થયા. આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 25 હજાર જેટલી નવી રોજગારીની તકનું સર્જેન થશે. આ પ્રસંગે શ્રી પટેલે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.