પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 4, 2025 2:47 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત—શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું ત્રીજું સત્ર યોજાયું

ગાંધીનગરમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત—શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું ત્રીજું સત્ર યોજાયું. સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત ધી સેક્રેટરીઍટના સહકારથી સરદાર પટેલ જાહેર વહીવટ સંસ્થા – સ્પીપા પરિસરમાં આ સત્ર યોજાયું. તેમાં વિકસિત ભારત 2047 હેઠળ...

નવેમ્બર 4, 2025 2:44 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોરબીમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોરબીમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના બીજા દિવસે તેમણે સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી. આ તકે શ્રી પટેલે આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. શ્રી દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવા...

નવેમ્બર 4, 2025 2:39 પી એમ(PM)

views 24

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી અંતર્ગત આવતીકાલે યોજાનાર મતદાનને લઈ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી અંતર્ગત આવતીકાલે યોજાનાર મતદાનને લઈ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથક પર મોકલવામાં આવ્યા છે. દમણમાં કુલ 120 મતદાન મથક છે જેમાં પંચાયત વિસ્તારમાં 109 બુથ હોવાનું મદદનીશ ચૂંટણી ...

નવેમ્બર 4, 2025 2:34 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સહાય અંગે બેઠક યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સહાય અંગે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જિતુ વાઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદથી 68 હજાર હ...

નવેમ્બર 4, 2025 2:31 પી એમ(PM)

views 68

અમદાવાદમાં આગામી 13 તારીખથી આંતર-રાષ્ટ્રીય પુસ્તક મેળા 2025નો પ્રારંભ થશે

અમદાવાદમાં આગામી 13 તારીખથી આંતર-રાષ્ટ્રીય પુસ્તક મેળા 2025નો પ્રારંભ થશે. મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખ સુધી પાલડીમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ મેળો યોજાશે. તેમાં રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ ઉપસ્થિત રહેશે. આ સાથે જ મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાનગંગા, રંગમંચ, અભિકલ્પ સ...

નવેમ્બર 4, 2025 10:06 એ એમ (AM)

views 18

તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઇને કૃષિમંત્રીએ કહ્યું કે, કપરા સમયમાં સરકાર ધરતીપુત્રોની પડખે

રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ તાપી જિલ્લાના ખોડતળાવ તેમજ સુરત-બારડોલીના સમથાણ ગામે ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પાક નુકસાનીનો તાગ મેળવ્યો.રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઉભી હોવાનું જણાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું. સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ રાહત પેકેજ જાહેર કરશે. જેન...

નવેમ્બર 4, 2025 9:57 એ એમ (AM)

views 21

માવઠાગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે પહોંચીને મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતોને સધિયારો આપ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે. ખેડૂતો પર આવી પડેલી આ વિપદામાં રાજ્ય સરકાર પુરી સંવેદનાથી સાથે ઉભી હોવાનો વ્યથતિ ખેડૂતોને સધિયારો આપ્યો હતો.તેમણે ખેડૂતોને સાંત્વના આપ્યા બાદ જણાવ્યું કે, ખૂબજ ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને નુકસા...

નવેમ્બર 4, 2025 9:55 એ એમ (AM)

views 40

આજથી સઘન મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઇને માહિતી એકત્રિત કરશે

સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત આજથી ચોથી ડિસેમ્બર સુધી બેથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે માહિતી એકત્રિત કરશે.માહિતી એકત્રિત કર્યા બદા આગામી વર્ષની સાતમી ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો મા...

નવેમ્બર 3, 2025 7:36 પી એમ(PM)

views 24

CA ફાઉન્ડેશન અને ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર

ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા-ICAI એ સપ્ટેમ્બરમાં લેવાયેલી CA ફાઉન્ડેશન અને ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર કર્યા છે. અમદાવાદના ક્રિતિ શર્મા CA ઇન્ટરમીડિયેટમાં દેશમાં બીજા ક્રમે રહ્યા છે. ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ થયો છે. જેમાં ખુશવંત કુમારનો 18મો, પાર્થ જેટનીનો 25મો...

નવેમ્બર 3, 2025 7:35 પી એમ(PM)

views 26

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વરસાદથી અસરગ્રસ્ત ગીરસોમનાથ અને જુનાગઢ જિલ્લાની મુલાકાત લીધી- ખેડૂતો સાથે વાતચીત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની મુલાકાત લીધી. દરમિયાન તેઓ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત આ જિલ્લાઓની સ્થિતિનું નિરીક્ષણ કરશે. શ્રી પટેલે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી. તેઓ જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.