પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 5, 2025 3:01 પી એમ(PM)

views 15

આજે રાત્રે વર્ષ 2025નો સૌથી તેજસ્વી અને સૌથી મોટો ચંદ્ર એટલે કે સુપરમૂનનો અવકાશી નજારો જોવા મળશે.

આજે રાત્રે વર્ષ 2025નો સૌથી તેજસ્વી અને સૌથી મોટો ચંદ્ર એટલે કે સુપરમૂનનો અવકાશી નજારો જોવા મળશે. ઑક્ટોબર 2025 થી જાન્યુઆરી 2026 સુધીના ચાર સુપરમૂનની શ્રેણીનો આ બીજો સુપરમૂન છે. આ અસાધારણ પૂર્ણ ચંદ્ર સામાન્ય કરતાં લગભગ 14 ટકા મોટો અને 30 ટકા વધુ તેજસ્વી દેખાશે, કારણ કે તે પૃથ્વીના સૌથી નજીકના બિંદુ ...

નવેમ્બર 5, 2025 3:08 પી એમ(PM)

views 10

રાજ્ય સરકાર આગામી નવ નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે.

રાજ્ય સરકાર આગામી નવ નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, કમોસમી વરસાદની અણધારી આફતના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે સરકાર ખેડૂતોની પડખે ઊભી છે. કુદરતી આપત્તિની આ સ્થ...

નવેમ્બર 5, 2025 10:09 એ એમ (AM)

views 12

વિશેષ આરતી અને અન્નકૂટ સાથે દેવદિવાળીની ઉજવણી, શીખો દ્વારા ગુરૂનાનક જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં આજે દેવદિવાળી અને ગુરુનાનક જયંતિની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે. આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું.રાજ્યભરના મંદિરોમાં આજે વિશેષ શણગાર સાથ...

નવેમ્બર 5, 2025 10:05 એ એમ (AM)

views 10

બોટાદ સાઈબર ક્રાઇમે 43 કરોડ કરતા વધુની છેતરપીંડી આચરનારા ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપીને ઝડપ્યો

બોટાદ સાઈબર ક્રાઇમે કરોડો રૂપિયાનો સાઈબર ફોર્ડ કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ષડયંત્રના એક મુખ્ય આરોપીની અટકાયત કરી છે. આ ગેંગ દ્વારા 43 કરોડ 60 લાખ જેટલા નાણાકીય વ્યવહાર સાઈબર ફ્રોડ દ્વારા કરાયા હોવાનું જાહેર થયું, તમામ રકમ ઉપાડી સગે વગે કરી હોવાની જાણકારી મળી હતી. સરકારના એનસીઆરપી પોર્ટલમાં આ ગેંગ વિ...

નવેમ્બર 5, 2025 10:04 એ એમ (AM)

views 25

ઘરેઘરે BLO દ્વારા માહિતી એકત્રિકરણ સાથે સમગ્ર રાજ્યમાં સઘન મતદાર સુધારણા અભિયાનનો આરંભ

રાજ્યભરમાં ગઇકાલથી મતદારયાદીની ખાસ સઘન સુધારણા-SIR કામગીરીનો પ્રારંભ થયો છે. આગામી ચાર ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈ મતદારોનો સરવે કરાશે.જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર્સ- BLO દ્વારા ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.ગાંધીનગર જિલ્લામાં 13 લાખ 89 હજાર 7...

નવેમ્બર 5, 2025 10:02 એ એમ (AM)

views 13

સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની હડતાળનો સરકાર સાથેની સકારાત્મક વાટાઘાટ બાદ સુખદ અંત આવ્યો

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ સસ્તા અનાજના સંચાલકોની હડતાળનો સુખદ અંત આવ્યો છે.ગઇકાલે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી સાથે સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના એસોસિએશનની મીટીંગ સંપન્ન થઈ હતી જેમાં સંચાલકોની મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કરી દેવાયો હતો.બંને એસોસિએસનના પ્રમુખોએ કહ્યું કે, અમારી પાંચ પ...

નવેમ્બર 4, 2025 8:26 પી એમ(PM)

views 12

અમદાવાદમાં હયાતીના દાખલાના ડિજિટલ પ્રમાણપત્ર માટેના કેમ્પમાં કેન્દ્ર સરકારના એક હજાર જેટલા પેન્શનધારક જોડાયા

સંચાર મંત્રાલય હેઠળના રાજ્યના ગુજરાત કન્ટ્રોલર ઓફ કમ્યુનિકેશન ઍકાઉન્ટ્સ વિભાગ - CCA દ્વારા અમદાવાદના પાલડીમાં હયાતીના દાખલાનું ડિજિટલ પ્રમાણપત્ર – DLC કેમ્પ યોજાયો. CCA કચેરી દ્વારા યોજાયેલી મહા શિબિરમાં સંચાર મંત્રાલય, કર્મચારી મંત્રાલય, સંરક્ષણ, રેલવે, આવકવેરા અને અન્ય કેન્દ્ર સરકારના અંદાજે એક હજ...

નવેમ્બર 4, 2025 7:58 પી એમ(PM)

views 14

રાજ્યભરમાં આજથી વિશેષ સઘન સુધારણા – SIR પ્રક્રિયાનો પ્રારંભ

કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ રાજ્યભરમાં આજથી મતદાર યાદીનું વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગાંધીનગરમાં S.I.R. પ્રક્રિયાના પ્રાથમિક તબક્કા હેઠળ બારકોડેડ પત્રકનું પ્રિન્ટીંગ અને બૂથ સ્તરના અધિકારી – BLOને તાલીમ આપવાનું કામ પૂર્ણ કરાયું છે. જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર કુલ ...

નવેમ્બર 4, 2025 7:57 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરની બેઠકમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લામાં ખેડૂતોની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આજે ઉચ્ચ સ્તરની બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં ખેડૂતોની સ્થિતિની સમીક્ષા કરી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત અને કૃષિમંત્રી જિતુ વાઘાણીએ ભાવનગરની મુલાકાત દરમિયાન ખેડૂતોના પાકના નુકસાનની માહિતી આપી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ ...

નવેમ્બર 4, 2025 7:57 પી એમ(PM)

views 12

ગત ત્રણ વર્ષમાં 77 લાખથી વધુ મુલાકાતીઓએ અમદાવાદના અટલ બ્રિજની મુલાકાત લેતા 27 કરોડ રૂપિયાથી વધુની આવક

અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા પ્રતિકાત્મક અટલબ્રિજની ગત ત્રણ વર્ષમાં 77 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. તેના કારણે મહાનગરપાલિકાને 27 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઑગસ્ટ 2022ના રોજ સાબરમતી નદી પર અંદાજે 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.