પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 6, 2025 9:35 એ એમ (AM)

views 8

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે 30 IPS અધિકારીઓ સાથે કચ્છના સરહદી ગામોની મુલાકાત લેશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે 30 વરિષ્ઠ IPS અધિકારીઓ સાથે કચ્છ જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદનાં ગામડાઓની મુલાકાત લેશે. આ દરમિયાન શ્રી સંઘવી સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે,જ્યાંથી તેમના આ પ્રવ...

નવેમ્બર 5, 2025 7:12 પી એમ(PM)

views 17

રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી, અડદ, મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે

રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી, અડદ, મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. વેચાણ માટે ખેડૂતોને મેસેજ મોકલવામાં આવશે જેના આધારે ખેડૂતોએ વેચાણ કેન્દ્ર પર જવાનું રહેશે. આ અંગે વધુ માહિતી આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરાશે.

નવેમ્બર 5, 2025 7:15 પી એમ(PM)

views 13

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ૩૦ IPS અધિકારીઓ સાથે કચ્છના સરહદી ગામડાઓની મુલાકાત લેશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ૩૦ વરિષ્ઠ IPS અધિકારીઓની ટીમ આવતીકાલે કચ્છ જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદનાં ગામડાઓની મુલાકાત લેશે. દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રી ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે સવારે ભ...

નવેમ્બર 5, 2025 7:08 પી એમ(PM)

views 15

રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી

સમગ્ર દેશમાં આજે દેવતાઓની દિવાળી એટલે કે દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દિવાળીના પંદર દિવસ બાદ કારતક પૂનમની રાત્રે દેવદિવાળી ઉજવાય છે. માન્યતા મુજબ, આજના દિવસે દેવતા પવિત્ર ગંગા નદીમાં સ્નાન માટે પૃથ્વી પર આવે છે. બીજી તરફ આજે કાર્તિકી પૂનમ નિમિત્તે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપ...

નવેમ્બર 5, 2025 7:06 પી એમ(PM)

views 18

રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત – આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે

રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત મળી છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજે એક પણ તાલુકામાં વરસાદના અહેવાલ નથી. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી નથી. જોકે આગામી 6 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

નવેમ્બર 5, 2025 3:06 પી એમ(PM)

views 9

સિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીની આજે 556-મી જયંતી..

સિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીની આજે 556-મી જયંતી છે. ગુરુ પરબના નામે ઓળખાતી ગુરુનાનક જંયતીની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ગુરુનાનક દેવ સિખ ધર્મના 10 ગુરુમાંથી પહેલા ગુરુ હતા. કારતક પૂનમ નિમિત્તે દર વર્ષે ગુરુ પરબ ઑક્ટોબર કે નવેમ્બર મહિનામાં ઉજવામાં આવે છે. આ સિખ ધર્મના સૌથી પાવન તહે...

નવેમ્બર 5, 2025 3:05 પી એમ(PM)

views 12

ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રદ્ધાળુઓએ ગુરુનાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાઠ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. હજારો વર્ષો પહેલાં ગુરુ નાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સત્યના માર્ગે દોરવા નીકળ્યા ત્યારે તેઓ ભ...

નવેમ્બર 5, 2025 3:03 પી એમ(PM)

views 15

અરવલ્લીમાં આવેલા રાજ્યના સુપ્રસિદ્ધ શામળાજીમાં કાર્તિકીના ભવ્ય લોકમેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

અરવલ્લીમાં આવેલા રાજ્યના સુપ્રસિદ્ધ શામળાજીમાં કાર્તિકીના ભવ્ય લોકમેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી લાખો ભક્તો કાળિયા ઠાકોરના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મેશ્વો નદીમાં આવેલા પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરીને ભાવિકો ધન્ય બન્યાં હતાં.

નવેમ્બર 5, 2025 3:03 પી એમ(PM)

views 8

દેવભૂમિદ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામમાં કારતક પૂનમ અને દેવદિવાળી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી

દેવભૂમિદ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામમાં કારતક પૂનમ અને દેવદિવાળી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારથી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન બાદ શ્રીજીનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. જગત મંદિર દ્વારકાધીશ વહીવટીદાર સમિતિ દ્વારા પણ ભક્તોની સગવડતા પર પૂરતું ધ્યાન અપાયું. જ્યારે જિલ્લા પોલીસ દ્વ...

નવેમ્બર 5, 2025 3:02 પી એમ(PM)

views 12

ખેડામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર રાજા રણછોડરાયજી મંદિરમાં દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

ખેડામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર રાજા રણછોડરાયજી મંદિરમાં દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે. ભક્તો 52 ગજની ધોળી ધજા લઈ પગપાળા ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ કારતક પૂનમ નિમિત્તે આજે રાત્રે 12 વાગ્યે મહાઆરતી કરાશે. ભક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.