પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 12, 2025 3:52 પી એમ(PM)

views 14

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ મંદિર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ મંદિર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક વી. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ પાવાગઢમાં નીજ મંદિર પરિસર સહિતના સ્થળોએ વિશેષ તપાસ કરી હતી. દર્શનાર્થીઓને પણ સતર્કતા રાખવા પોલીસે અનુરોધ કર્યો છે.

નવેમ્બર 12, 2025 3:34 પી એમ(PM)

views 18

ભરૂચમાં વાગરા તાલુકાના એક કારખાનામાં બૉઈલરમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ

ભરૂચમાં વાગરા તાલુકાના એક કારખાનામાં બૉઈલરમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. જ્યારે ત્રણથી વધુ શ્રમિક ગુમ હોવાનું જણાતા તેમની શોધખોળ ચાલી રહી છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, સાઈખા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C.ના એક કારખાનામાં બનેલી ઘટનામાં 24 જેટલા લોકો ઇજાગ્રસ્ત થ...

નવેમ્બર 12, 2025 5:00 પી એમ(PM)

views 38

વાવ-થરાદ જિલ્લામાં કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ થરાદ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કેન્દ્ર ખાતે ટેકાના ભાવે થતી ખરીદીનું નિરીક્ષણ કર્યું

વાવ-થરાદ જિલ્લામાં કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ થરાદ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કેન્દ્ર ખાતે ટેકાના ભાવે થતી ખરીદીનું નિરીક્ષણ કર્યું. તેમણે કેન્દ્ર પર ખેડૂતોની નોંધણી, તોલ પ્રક્રિયા, ગુણવત્તા ચકાસણી સહિતની સુવિધાઓની માહિતી મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું. સરકાર દ્વારા જિલ્લામાં 30 જેટલા ખરીદ કે...

નવેમ્બર 12, 2025 9:29 એ એમ (AM)

views 10

અમદાવાદ સાયબર ગુનાની ટીમે બેંગલોર અને મુંબઈથી નાઈજીરિયાન ગેંગના એક સહિત 6 સાગરિતોને ઝડપ્યાં

અમદાવાદ સાઈબર ગુનાની ટીમે બેંગલોર અને મુંબઈથી નાઈજીરિયાન ટુકડીના એક સભ્ય સહિત 6 આરોપીઓને ઝડપી લીધા છે.પીડિતોનો ઓનલાઈન સંપર્ક કરીને ઓછા ભાવે કેમિકલ ખરીદીને વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી કરતાં હોવાનું સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું

નવેમ્બર 12, 2025 9:28 એ એમ (AM)

views 52

પંચમહાલ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાઇ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’નો સ્વાગત કાર્યક્રમ યોજાયો.રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી પી.સી.બરંડા અને કૃષિ મંત્રી રમેશ કટારાએ ‘જનજાતીય ગૌરવ રથને પ્રસ્થાન કરાવ્યું. મંત્રીશ્રી દ્વારા આદિવાસી સમ...

નવેમ્બર 12, 2025 9:27 એ એમ (AM)

views 30

મુખ્યમંત્રી રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને પ્રમાણપત્ર એનાયત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને ગાંધીનગરમાં પ્રમાણપત્ર એનાયત અને નોટરી પોર્ટલ લોન્ચિંગ કરશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં આજે સવારે યોજાનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી અને કાયદા રાજ્ય મંત્રી સહભાગી થશે.. નોટરી પોર્ટલ પણ લોન્ચ કરીને રાજ...

નવેમ્બર 12, 2025 9:27 એ એમ (AM)

views 15

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદમાં આયોજિત વ્યાખ્યાન માળાના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષથી નિરંતર રાષ્ટ્રહિત સર્વોપરી એટલે કે 'રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે,...

નવેમ્બર 12, 2025 9:24 એ એમ (AM)

views 11

દિલ્હી વિસ્ફોટ બાદ રાજ્યની પોરબંદર સહિતની રાજ્યની દરિયાઇ પટ્ટી પર કડક ચેકિંગ

દિલ્હી ખાતે બોમ્બ બ્લાસ્ટને પગલે પોરબંદર સહિત રાજ્યની દરિયાઈ પટ્ટી પર સલામતીની વ્યવસ્થા સઘન બનાવાઈ છે. પોરબંદર જિલ્લાના ગોસા આર.ડી.એક્સ. લેન્ડિંગ પોઈન્સ સહિત પોરબંદરના બંદર, રેલ્વે સ્ટેશન અને દરિયાઇ પટ્ટી પર પોલીસે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસના બૉમ્બ સ્કવૉર્ડ, ડોગ સ્કવૉર્ડની ટીમ...

નવેમ્બર 11, 2025 7:33 પી એમ(PM)

views 46

SIR પ્રક્રિયા હેઠળ અત્યાર સુધી 2 કરોડ 17 લાખથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થયું

રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા-SIRની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે 50 હજાર 963 બૂથ સ્તરના અધિકારીઓ-BLO 5 કરોડ 8 હજાર મતદારોના મેપિંગ માટે કાર્યરત છે. SIR પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં 3 કરોડ 90 લાખ ગણતરી ફોર્મના વિતરણ સામે 2 કરોડ 17 લાખથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થયું છે. રૂબરૂ, મ...

નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM)

views 16

નવસારીના ગણદેવીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર આરોપી ઝડપાયા-પોલીસના વળતા ગોળીબારમાં એક આરોપી ઇજાગ્રસ્ત

નવસારીના ગણદેવીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર આરોપી ઝડપાયા છે. આરોપીઓમાં હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શખ્સો સામેલ છે. ગણદેવીના મહાદેવ મંદિર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચતા આ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપી યશસિંહ સુન્દરસિંહને પગમાં ઈજા પહોંચી હતી. જ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.