રાષ્ટ્રીય

જુલાઇ 19, 2024 2:52 પી એમ(PM)

views 10

હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાકાંઠાનાં વિસ્તારો, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા માધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હર...

જુલાઇ 19, 2024 2:44 પી એમ(PM)

views 21

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ સંધુના મુખ્ય સાગરીતની ધરપકડ કરી

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ સંધુના મુખ્ય સાગરીતની ધરપકડ કરી છે. એનઆઇએએ ગઈ કાલે મધ્યપ્રદેશનાં બડવાની જિલ્લાનાં બલજીત સિંહની ધરપકડ કરી છે. એનઆઇએનાં જણાવ્યા પ્રમાણે બલજીત સિંહ પંજાબમાં લખબીરસિંહનાં એજન્ટોને શસ્ત્રો પુરા પાડતો હતો. આ શ...

જુલાઇ 19, 2024 2:43 પી એમ(PM)

views 19

બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતાં સમાચાર ચેનલો બંધ કરવામાં આવી

બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતાં સમાચાર ચેનલો બંધ કરવામાં આવી હતી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગયો હતો.. ફ્રાન્સની સમાચાર સંસ્થા એએફપીનાં અહેવાલ પ્રમાણે ગુરૂવારે શરૂ થયેલી હિંસાનો મૃત્યુઆંક વધીને 39 થયો છે. જો કે સરકારે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું ન...

જુલાઇ 19, 2024 2:21 પી એમ(PM)

views 20

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) આગળના કાચ પર FASTag નહીં ચોંટાડેલા વાહનો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) આગળના કાચ પર FASTag નહીં ચોંટાડેલા વાહનો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલશે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, કાચ પર FASTagને ઇરાદાપૂર્વક ન લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને અસુવિધા થાય છે. તેમાં કહેવામાં આવ્યું છ...

જુલાઇ 19, 2024 2:17 પી એમ(PM)

views 15

સરકાર આગામી સપ્તાહથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારો કરવા સહિત છ નવા બિલ રજૂ કરશે.

સરકાર આગામી સપ્તાહથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારો કરવા સહિત છ નવા બિલ રજૂ કરશે. નાણા વિધેયક ઉપરાંત, સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વ્યાપાર કરવામાં સરળતા માટે સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે 1934ના એરક્રાફ્ટ એક્ટને બદલવા માટે ભારતીય વાયુયાન વિધેયક 2024ને સૂચિબદ્ધ કર...

જુલાઇ 19, 2024 2:13 પી એમ(PM)

views 15

નીટ-યુજી નું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી

નીટ-યુજી પ્રવેશ પરિક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. કોલેજની 2023ની બેચની એમબીબીએસ વિદ્યાર્થિની સુરભી કુમારીની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ તેની પાસેથી મોબાઇલ, લેપટોપ અને અન્ય વીજાણુ ઉપકરણો જપ્ત કર્યા છ...

જુલાઇ 19, 2024 2:10 પી એમ(PM)

views 17

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો.

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે.એક વ્યક્તિનું લખનૌની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને આજે ટ્રેનના વેગન કોચમાંથી અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. રેલવે તરફથી મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરે દિબ્રુગઢ જતી ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગય...

જુલાઇ 18, 2024 8:22 પી એમ(PM)

views 36

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રૂપ-એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ Aનાં અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પ...

જુલાઇ 18, 2024 8:21 પી એમ(PM)

views 14

ઓડ઼િશામાં પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રત્ન ભંડારમાં રહેલી કિંમતી વસ્તુઓ અને આભૂષણોને સરકારને સોંપવામાં આવ્યા

ઓડ઼િશામાં પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રત્ન ભંડારમાં રહેલી કિંમતી વસ્તુઓ અને આભૂષણોને સરકારને સોંપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી શુભદ્વાજીની પૂજા-અર્ચના બાદ ઓડિશા સરકાર દ્વારા રચાયેલી 11 સભ્યોની સમિતિને સોંપવા માટે રત્ન ભંડાર ફરી ખોલવામાં આવ્યા, જે બાદ સાંજે તેમને સરકારી સમિતિ...

જુલાઇ 18, 2024 8:20 પી એમ(PM)

views 24

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ સંગઠનો અને નિષ્ણાતોએ વિરોધ કર્યા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. ગયા સોમવારે કર્ણાટકનાં ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ઉમેદવારો માટે અનામત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.