રાષ્ટ્રીય

જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM) જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM)

views 37

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકા...

જુલાઇ 8, 2024 10:09 એ એમ (AM) જુલાઇ 8, 2024 10:09 એ એમ (AM)

views 55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતન...

જુલાઇ 5, 2024 10:20 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:20 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શ્રી મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં હાજરી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં હશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાન...

જુલાઇ 5, 2024 10:13 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:13 એ એમ (AM)

views 17

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. હાથરસ નાસભાગ દુર્ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. મીડિયા સાથે વાતચીત કરતા અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ છ લોકો આયોજક સમિતિના સભ્યો છે અને સેવાદાર તરીકે કાર્યરત છે. આઈજી માથુ...

જુલાઇ 5, 2024 10:11 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:11 એ એમ (AM)

views 19

આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે

આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યના 29 જિલ્લાઓમાં 21 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત બન્યાં છે. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ પૂરગ્રસ્ત મોરીગાંવ જિલ્લાની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલે પણ પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત લોકોની જરૂર...

જુલાઇ 5, 2024 10:10 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:10 એ એમ (AM)

views 24

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ત્રણથી ચ...

જુલાઇ 5, 2024 10:05 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:05 એ એમ (AM)

views 40

જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે

જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે. આ માટે સરકાર ટૂંક સમયમાં નવી જહાજ નિર્માણ અને જહાજ સમારકામ નીતિ જાહેર કરશે. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટીકે રામચંદ્રને એક કાર્યશાળામાં સરકારની આગામી યોજના અંગે...

જુલાઇ 4, 2024 12:24 પી એમ(PM) જુલાઇ 4, 2024 12:24 પી એમ(PM)

views 20

સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેનાં કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90 ટકા કાર્ય પૂર્ણ કર્યા

સરકારે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેનાં કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90 ટકા કાર્ય પૂર્ણ કર્યા છે, જેનું મૂલ્ય 1 લાખ 44 હજાર કરોડ રૂપિયા થાય છે. શહેરોને પ્રોત્સાહન આપવા વર્ષ 2015માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટ સોલ્યુશન્સ દ્વારા નાગરિકોને મુળભુત સુવિધાઓ, સ્વચ્છ અ...

જુલાઇ 4, 2024 9:09 એ એમ (AM) જુલાઇ 4, 2024 9:09 એ એમ (AM)

views 18

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઈકાલે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. જેનાથી હેમંત સોરેનને મુખ્યમંત્રી તરીકે પાછા ફરવાનો માર્ગ મોકળો થતા જ તેમણે નવી સરકાર રચવાનો દાવો ...

જુલાઇ 3, 2024 12:11 પી એમ(PM) જુલાઇ 3, 2024 12:11 પી એમ(PM)

views 17

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 15 જુલાઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે, આ વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કુલ 50 શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. નવી ...