રાષ્ટ્રીય

જુલાઇ 31, 2024 2:35 પી એમ(PM)

views 16

ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા

ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા હતા. રાંચી સ્થિત રાજભવનના બિરસા મંડપમાં આયોજિત સમારોહમાં ઝારખંડ વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદે શ્રી ગંગવારને શપથ લેવડાવ્યા હતા. દરમિયાન, મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રાજભવન...

જુલાઇ 31, 2024 2:29 પી એમ(PM)

views 14

ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને 1983ની બેચના IAS અધિકારી પ્રીતિ સુદાનની કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી

ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને 1983ની બેચના IAS અધિકારી પ્રીતિ સુદાનની કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુશ્રી સુદાનની નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ આવતીકાલથી તેમનો કાર્યભાર સંભાળશે. શ્રીમતી સુદાન ડૉ મનોજ સોનીનું સ્થાન લેશે, જેમણે તેમ...

જુલાઇ 31, 2024 2:28 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન છે. રાષ્ટ્રપતિ સચિવાલયે જણાવ્યા પ્રમાણે તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ...

જુલાઇ 31, 2024 2:26 પી એમ(PM)

views 22

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું હતું. શ્રી પ્રધાને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા તાલીમની રકમ તરીકે 100 કરોડ રૂપિયા જારી કર્યા છે. આ પ્રસંગે શ્રીપ્રધાને કહ્યું કે, આ મંચ વિદ્યાર્થીઓને તેમના કૌશલ્ય...

જુલાઇ 31, 2024 2:24 પી એમ(PM)

views 17

સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે

સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નનાં જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશમાં પ્રથમ વાર દરિયાની 30 મીટર નીચજે 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રોજેક્ટનાં ...

જુલાઇ 31, 2024 2:22 પી એમ(PM)

views 16

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 157 થયોઃ 100 લોકો ગુમ

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 157 થયો છે, જ્યારે વિવિધ હોસ્પિટલમાં 186 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. અને લગભગ 100 લોકો ગુમ હોવાના અહેવાલ છે, આ સંખ્યા વધવાની પણ શક્યતા છે. બચાવ કાર્યકર્તાઓએ વાયનાડના મુંડક્કાઈમાંથી વધુ મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કાટમાળ નીચે વધુ મૃતદેહો દટાયેલા ...

જુલાઇ 31, 2024 11:07 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં આ શુક્રવારે પહેલી વાર રાજ્યપાલોનું 2 દિવસનું સંમેલન યોજાશે

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામં રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન હશે. રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યું કે, તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અ...

જુલાઇ 31, 2024 11:05 એ એમ (AM)

views 15

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ આજથી ભારતના ત્રણ દિવસ રાજકીય પ્રવાસે

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસ અંતગર્ત નવી દિલ્હી પહોંચ્યા છે. પ્રતિનિધિમંડળમાં અનેક મંત્રીઓ અને વ્યાપારી પ્રતિનિધિઓ પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વિદેશ રાજ્યમંત્રી પબિતા માર્ગેરિયાએ હવાઈમથક પ...

જુલાઇ 31, 2024 11:04 એ એમ (AM)

views 19

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત – 200થી વધુ લોકો ગુમ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે. જ્યારે વિવિધ હૉસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે. તેમ જ 200થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. સેનાની ત્રણેય પાંખ, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સંયુક્તપણે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. વાયનાડમાં ચાલી રહેલી 45 રા...

જુલાઇ 30, 2024 8:10 પી એમ(PM)

views 13

પીએમ-કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 3.24 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું

પીએમ-કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 3.24 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું. PM-કિસાન યોજનાનો 17મો હપ્તો આ વર્ષે જૂનમાં 9.26 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.