રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 5, 2024 8:29 પી એમ(PM)

views 17

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ છે. બે જવાનોને ગોળી વાગી છે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જવાનોને ભદ્રાચલમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસન...

સપ્ટેમ્બર 5, 2024 8:27 પી એમ(PM)

views 18

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે ચાલીસ બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17મી તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિ...

સપ્ટેમ્બર 5, 2024 8:26 પી એમ(PM)

views 38

છેલ્લાં 10 વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જા ક્ષમતા 32 ગણી વધી છે અને આ ઝડપ અને વ્યાપને જોતાં દેશ 2030 સુધીમાં 500 ગિગાવોટની બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા હાંસલ કરી શકશે

છેલ્લાં 10 વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જા ક્ષમતા 32 ગણી વધી છે અને આ ઝડપ અને વ્યાપને જોતાં દેશ 2030 સુધીમાં 500 ગિગાવોટની બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા હાંસલ કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલા બે દિવસના પ્રથમ ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટીવલને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધતા જણાવ્યું કે, છેલ...

સપ્ટેમ્બર 5, 2024 8:22 પી એમ(PM)

views 20

ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા

ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે. બંને દેશો ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસીને વધુ પ્રોત્સાહન આપવા માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે. પ્રધાનમંત્રી નરેન...

સપ્ટેમ્બર 5, 2024 2:51 પી એમ(PM)

views 15

આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે

આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ન્યાયાધીશ બીપ્લબ શર્મા સમિતિ દ્વારા કરાયેલી ભલામણો પૈકી 80 ટકા ભલામણ સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ મંત્રીમંડળની બેઠકને પત્રકારોને જણાવ્યું કે, આ ભલામણો આગ...

સપ્ટેમ્બર 5, 2024 2:48 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે. અધિક ગૃહ સચિવ સંજીવકુમાર જિંદાલના નેતૃત્વ હેઠળની આ ટીમ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરશે. અગાઉ, ટીમે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન આંધ્ર પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં...

સપ્ટેમ્બર 5, 2024 2:46 પી એમ(PM)

views 25

કેન્દ્રિય ચૂંટણીપંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ – 126-એ હેઠળ હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્રિય ચૂંટણીપંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ - 126-એ હેઠળ હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગેના જાહેરનામામાં જણાવ્યા મુજબ, બંને વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીના આરંભથી સંબંધિત બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયા પછી અડધા કલાક સુધી એક્ઝિ...

સપ્ટેમ્બર 5, 2024 2:44 પી એમ(PM)

views 24

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં આગામી પહેલી ઓક્ટોબરે ચાલીસ બેઠક માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ...

સપ્ટેમ્બર 5, 2024 2:41 પી એમ(PM)

views 18

ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ

ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ ગઈ. જેમાં ભારતના સશસ્ત્ર દળોના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક બાબતોના નાયબ સંરક્ષણમંત્રી મેજર જનરલ સલમાન બિન અવધ અલ-હરબીએ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી. બંને દેશોના અધિકારીઓએ સંરક્ષણ સંબંધોની વ્યાપક સમ...

સપ્ટેમ્બર 5, 2024 2:37 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાતમી સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના એક દિવસના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાતમી સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના એક દિવસના પ્રવાસે જશે. શ્રીધનખડ ગોરખપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. પોતાના પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ચિત્રકૂટના જગદગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલયમાં “આધુનિક જીવનમાં ઋષિ પરંપરા” વિષય પર યોજાનારા બે દિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.