રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 20, 2024 2:35 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું છે કે, તિરુપતિ મંદિરમાં લાડુમાં પશુની ચરબી હોવાનો મુદો ગંભીર છે

કેન્દ્રીય ખાધ્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, તિરૂપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબી હોવાની વાત એ ખૂબ ગંભીર મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જોશીએ જણાવ્યું કે, આ અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવ્...

સપ્ટેમ્બર 20, 2024 2:33 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે. તેઓ પોલિસ લાઇન ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ગિરિડિહ જિલ્લામાં ઝારખંડી ધામની પણ મુલાકાત લેશે અને ધનબાદ ડિવિઝન માટેની યાત્રાનો પ્રારંભ કરાવશ...

સપ્ટેમ્બર 20, 2024 2:32 પી એમ(PM)

views 12

સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા 55 લોકો સાથે આજે નવી દિલ્હીમાં પોતાનાં નિવાસસ્થાને વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, બસ્તરનાં ચાર જિલ્લા સિવાય સમગ્ર દેશમાંથી નક્સલવ...

સપ્ટેમ્બર 20, 2024 2:30 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાંચીમાં નમકુમ ખાતે ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેકન્ડરી એગ્રીકલ્ચર (NISA) ની શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અન...

સપ્ટેમ્બર 20, 2024 2:28 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં પીએમ વિશ્વકર્મા કાર્યક્રમનાં એક વર્ષની સમાપ્તિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રીએ 18 લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત અને ધિરાણની રકમનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અમરાવતીમાં પીએમ મિત્રપાર્કનું પણ ખાતમુહૂર...

સપ્ટેમ્બર 20, 2024 10:05 એ એમ (AM)

views 12

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ,છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયા...

સપ્ટેમ્બર 20, 2024 10:04 એ એમ (AM)

views 8

શારજાહ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ SIF 2024 ની સાતમી આવૃત્તિનું ગઈ કાલે સમાપન થયું હતું

શારજાહ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ SIF 2024 ની સાતમી આવૃત્તિનું ગઈ કાલે સમાપન થયું હતું. આ સાથે ફ્યુચરિસ્ટિક વિઝન ફોર સ્માર્ટ ઇકોનોમીઝ વિષય પર બે દિવસની સઘન ચર્ચાનો અંત આવ્યો છે. આ કાર્યક્રમમાં 100થી વધુ સત્રોમાં 80થી વધુ પ્રતિષ્ઠિત વૈશ્વિક મહાનુભાવોએ ભાગ લીધો હતો. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા વિસ્તારમાં અગ્...

સપ્ટેમ્બર 20, 2024 9:58 એ એમ (AM)

views 8

લોકસભા સાંસદ જગદંબીકા પાલની અધ્યક્ષતા હેઠળ વકફ(સુધારા) ખરડો, ૨૦૨૪ માટેની સંયુક્ત સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાઇ હતી

લોકસભા સાંસદ જગદંબીકા પાલની અધ્યક્ષતા હેઠળ વકફ(સુધારા) ખરડો, ૨૦૨૪ માટેની સંયુક્ત સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાઇ હતી. આ ખરડાનો હેતુ વકફ મિલકતોના સંચાલનની પ્રવર્તમાન ખામીઓને દૂર કરવાનો અને તેના વહીવટ અને સંચાલનની કાર્યક્ષમતા વધારવાનો છે. વકફ (સુધારા) ખરડાનું લખાણ લોકસભાની વેબસાઇટ પર હિન્દી ...

સપ્ટેમ્બર 20, 2024 9:39 એ એમ (AM)

views 7

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને આગળ ધપાવવામાં બેંકિંગ ક્ષેત્રએ નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે: કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને આગળ ધપાવવામાં બેંકિંગ ક્ષેત્રએ નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે. ગઈકાલે પૂણેમાં બેંક ઓફ મહારાષ્ટ્રનાં 90મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સુશ્રી સીતારમણે MSME સેક્ટ...

સપ્ટેમ્બર 20, 2024 9:36 એ એમ (AM)

views 6

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે હરિયાણાના જગાધાર ખાતે રોડ-શો યોજશે

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે હરિયાણાના જગાધાર ખાતે રોડ-શો યોજશે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, જગત પ્રકાશ નડ્ડાએ ગઇકાલે રોહતકમાં હરિયાણા વિધાનસભાની ચૂં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.