રાષ્ટ્રીય

ઓક્ટોબર 5, 2024 8:05 પી એમ(PM)

views 14

નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આવતીકાલથી જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે

નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આવતીકાલથી જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન શ્રી જોશી બે દિવસીય હેમ્બર્ગસસ્ટેને બિલિટી કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ટકાઉ વિકાસ, ગ્રીન હાઇડ્રોજન, ઓછા ખર્ચે રોકાણ અને સમગ્ર પુનઃપ્રાપ્ય ઉર્જા વિસ્તારણમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે જર્મની...

ઓક્ટોબર 5, 2024 8:04 પી એમ(PM)

views 9

નૌકાદળ દ્વારા બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત મલબાર-2024 આ મહિનાની 8મી તારીખથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે

નૌકાદળ દ્વારા બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત મલબાર-2024 આ મહિનાની 8મી તારીખથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે. ભારત દ્વારા આયોજિત આ દરિયાઈ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળ ભાગ લેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે મલબાર 2024 સહયોગ અને કાર્ય ક્ષમતાઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે...

ઓક્ટોબર 5, 2024 8:03 પી એમ(PM)

views 10

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે આજે કહ્યું કે ઉત્તર-પૂર્વ એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્યનું જીવંત ચિત્ર છે જે ભારતના સારને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રદ...

ઓક્ટોબર 5, 2024 8:01 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજે મહારાષ્ટ્રના વાશિમમાં શ્રી મોદીએ એમ પણ કહ્યું કે સરકારનો દરેક નિર્ણય નીતિ વિકસિત ભારતને સમર્પિત છે અને ખેડૂતો આ પરિપ્રેક્ષ્યમાં મુખ્ય આધાર સ્તંભ છે. લગભગ 23 હજાર 300 કરોડ રૂપિયાની કૃષિ અન...

ઓક્ટોબર 5, 2024 7:59 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે દેશવાસીઓમાં સ્વદેશી તરફના પ્રેમની પ્રશંસા કરી હતી. ખાદી ઈન્ડિયાએ રેકોર્ડ વેચાણ હાંસલ કર્યું છે. ગાંધી જયંતિના અવસર પર નવી દિલ્હીના ખાદી ભવનમાં માત્ર એક જ દિવસમાં 2 કરોડ 1 લાખ 37 ...

ઓક્ટોબર 5, 2024 7:55 પી એમ(PM)

views 13

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પણ સરહદ પાર આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠનની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહી...

ઓક્ટોબર 5, 2024 7:54 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી મંડળે પાંચ ભારતીય ભાષાઓ – પાલી, પ્રાકૃત, આસામી, બંગાળી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે

કેન્દ્રીય મંત્રી મંડળે પાંચ ભારતીય ભાષાઓ – પાલી, પ્રાકૃત, આસામી, બંગાળી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. પાલી ભાષાનો ઉદ્ભવ ઐતિહાસિક મગધ પ્રદેશમાં થયો હતો. તે જૂની ભારત -આર્યન વૈદિક અને સંસ્કૃત બોલીઓ સાથે સંબંધિત બૌદ્ધ પ્રામાણિક ભાષા હતી. શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યા બાદ તે...

ઓક્ટોબર 5, 2024 2:27 પી એમ(PM)

views 25

દેશભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય કેબિનેટના તાજેતરના નિર્ણયને અવકાર્યો

દેશભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય કેબિનેટના તાજેતરના નિર્ણયને અવકાર્યો છે. આકાશવાણી સાથે વાત કરતાં, કોલકતા યુનિવર્સિટીના બૌદ્ધ અધ્યયન વિભાગના પ્રોફેસર ડૉ. ઉજ્જવલ કુમારે કહ્યું કે, આ નિર્ણયથી શાસ્ત્રીય ભાષાઓના પ્રચાર પ્રસારમાં મદદ મળશે અને આ...

ઓક્ટોબર 5, 2024 2:25 પી એમ(PM)

views 8

છત્તીસગઢમાં માઓવાદીઓના વધુ ત્રણ મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક વધીને 31 થયો

છત્તીસગઢના નારાયણપૂર જિલ્લામાં પોલીસને ગઈકાલે થયેલી અથડામણના સ્થળ પરથી માઓવાદીઓના વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 31 થયો છે. ગઈકાલે માઓવાદીઓની હાજરી વિશે માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ ગોવેલ, નેંદુર અને થુલથુલી વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. સુરક્ષાકર...

ઓક્ટોબર 5, 2024 2:21 પી એમ(PM)

views 8

કાશ્મીરના કુપવાડામાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદી ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને બે આતંકવાદીઓને ઠાર કર્યા. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્ત માહિતીના મળતા સેના અને જમ્મુ- કાશ્મીર પોલીસે ગઈકાલે કુપવાડાના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.