રાષ્ટ્રીય

ડિસેમ્બર 5, 2024 7:39 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારે દેશમાં વિવિધ વિસ્તારોમાં ઓછામાં ઓછા 3 કિલોમીટરના ક્ષેત્રમાં એક પોસ્ટ ઓફિસ શરૂ કરવાની નેમ રાખી છે

કેન્દ્ર સરકારે દેશમાં વિવિધ વિસ્તારોમાં ઓછામાં ઓછા 3 કિલોમીટરના ક્ષેત્રમાં એક પોસ્ટ ઓફિસ શરૂ કરવાની નેમ રાખી છે. કેન્દ્રિય દૂરસંદેશા વ્યવહાર રાજયમંત્રી પી.ચંદ્રશેખરે આજે રાજયસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં 10 હજાર 500 નવી પોસ્ટ ઓફિસો શરૂ કરવામાં આવી છે. આ પૈકી 90 ટકા...

ડિસેમ્બર 5, 2024 7:35 પી એમ(PM)

views 8

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના મંત્રી મંડળનું આજે વિસ્તરણ કર્યુ છે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કર્યુ છે. રાજયપાલ સંતોષકુમાર ગંગવાલે આજે રાંચીમાં રાજભવન ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મંત્રીમંડળના 11 સભ્યોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. અગાઉ રાજયપાલે જેએમએમ પક્ષના એસ.મરાંડીને ગૃહના હંગામી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા હ...

ડિસેમ્બર 5, 2024 7:14 પી એમ(PM)

views 12

રાજ્યના વનવિભાગ દ્વારા “ગુજરાત રાજ્ય ગીધ સંરક્ષણ સમિતિ”ની રચના કરવામાં આવી છે

રાજ્યના વનવિભાગ દ્વારા “ગુજરાત રાજ્ય ગીધ સંરક્ષણ સમિતિ”ની રચના કરવામાં આવી છે.આ સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય વન અને વન્ય જીવ સંરક્ષક, સહિત કુલ 11 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.  આ સમિતિ દ્વારા ગીધના સંરક્ષણ માટે સમગ્ર રાજ્યમાં ગીધની વસ્તીનું નિયમિત નિરીક્ષણ કરવું, તેમના રક્ષણને સુનિશ્ચિત કરવા યોગ્ય પ...

ડિસેમ્બર 5, 2024 2:46 પી એમ(PM)

views 7

પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ આકાશવાણી અને ડીડી અધિકારીઓ સાથે મહા કુંભ પ્રસારણ યોજનાઓની ચર્ચા કરી

પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ ગઈકાલે પ્રયાગરાજમાં આકાશવાણીના ડાયરેક્ટર જનરલ પ્રજ્ઞા પાલીવાલ, દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ કંચન પ્રસાદ અને દૂરદર્શન સમાચારના ડિરેક્ટર જનરલ પ્રિયા કુમાર સાથે બેઠક યોજી હતી. શ્રી દ્વિવેદીએ વિશ્વભરમાં મહા કુંભના પ્રસારણ સંબંધિત મુદ્દાઓ અને જવાબદાર અધિ...

ડિસેમ્બર 5, 2024 2:42 પી એમ(PM)

views 7

શ્રીલંકાના નૌકાદળે આજે તામિલનાડુના રામેશ્વરમથી 14 માછીમારોની ધરપકડ કરી છે

શ્રીલંકાના નૌકાદળે આજે તામિલનાડુના રામેશ્વરમથી 14 માછીમારોની ધરપકડ કરી છે. માછીમારો કાચાથીવુ નજીક માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી. નૌકદળે માછીમારોની બે બોટ પણ જપ્ત કરી છે.માછીમારોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ ઓળંગવા અને શ્રીલંકાની જળસીમામાં માછીમારી કરવા બદલ વહેલી સવારે પકડવામાં આવ...

ડિસેમ્બર 5, 2024 2:35 પી એમ(PM)

views 8

ફ્રાન્સના પ્રધાનમંત્રી મિશેલ બાર્નિયરની સરકારે, નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવતા દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે

ફ્રાન્સના પ્રધાનમંત્રી મિશેલ બાર્નિયરની સરકારે, નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવતા દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. છ દાયકાના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે. સાંસદોએ પ્રધાનમંત્રી મિશેલ બાર્નિયર અને તેમની કેબિનેટ સામે અવિશ્વાસનો મત પસાર કર્યો હતો. નેશનલ એસેમ્બલીના નીચલા ગૃહના 577 માંથી 33...

ડિસેમ્બર 5, 2024 2:34 પી એમ(PM)

views 20

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે આજે ન્યાયમૂર્તિ મનમોહને શપથ લીધા છે

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે આજે ન્યાયમૂર્તિ મનમોહને શપથ લીધા છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ન્યાયાધીશ મનમોહનને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના શપથ લેવડાવ્યા હતા. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત કોલેજિયમની ભલામણ પર ન્યાયધીશ મનમોહનની નિમણૂકને મંજૂરી આપી હતી.ગયા અઠવાડિયે, સર્વોચ્ચ અદાલત કોલેજિયમે સર્...

ડિસેમ્બર 5, 2024 2:30 પી એમ(PM)

views 10

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની પત્ની રાણી જેત્સુન પેમા વાંગચુક સાથે આજે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની પત્ની રાણી જેત્સુન પેમા વાંગચુક સાથે આજે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. ભારત અને ભૂટાન વચ્ચે પરસ્પર મિત્રતા અને સહકારના અનન્ય સંબંધો છે જેની વિશેષત...

ડિસેમ્બર 5, 2024 2:29 પી એમ(PM)

views 9

ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વિદેશની ધરતી પર થી રાષ્ટ્રીય હિત વિરુદ્ધ શંકાસ્પદ પ્રવૃતિનો મુદ્દો ઉઠાવ્યા બાદ હંગામાને પગલે રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી

ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વિદેશની ધરતી પર થી રાષ્ટ્રીય હિત વિરુદ્ધ શંકાસ્પદ પ્રવૃતિનો મુદ્દો ઉઠાવ્યા બાદ હંગામાને પગલે રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી . શૂન્યકાળ દરમિયાન તેમણે આ મુદ્દો ઉઠાવતા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે આ ગંભીર બાબત છે અને તેમને નિર્ધારિત સ...

ડિસેમ્બર 5, 2024 2:27 પી એમ(PM)

views 8

વિપક્ષના સાંસદોએ આજે એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચનાઆરોપોના મુદ્દે સંસદ ભવનમાં વિરોધ કરતાં રેલી કાઢી હતી

વિપક્ષના સાંસદોએ આજે એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચનાઆરોપોના મુદ્દે સંસદ ભવનમાં વિરોધ કરતાં રેલી કાઢી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના અન્ય સાંસદો તેમજ ડીએમકે, આરજેડી અને અન્ય નેતાઓ સાથે વિરોધમાં જોડાયા હતા. સૂત્રોચ્ચાર કરતી વખતે તેઓ આ મામલે JPC તપાસની માંગ કરી રહ્યા હતા....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.