રાષ્ટ્રીય

એપ્રિલ 3, 2025 7:58 પી એમ(PM)

views 9

બનાસકાંઠાના ડીસા ગોડાઉન દુર્ઘટનાના આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા-SITએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે રચાયેલી વિશેષ તપાસ દળ-SITની ટીમે આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી. SITના અધ્યક્ષ અને IAS ભાવિન પંડ્યા, અન્ય સભ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના નિયામક એચ.પી.સંઘવી અને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર ...

એપ્રિલ 3, 2025 7:56 પી એમ(PM)

views 11

રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક, 2025 રજૂઃ હાલ ચર્ચા ચાલીરહી છે,

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરે રિજિજુએ આજે રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક, 2025 રજૂ કરતા જણાવ્યું કે, વક્ફ સંપત્તિનાં સંચાલનના લાભાર્થી મુસ્લિમો જ રહેશે, બોર્ડના સંચાલનમાં બિન-મુસ્લિમોની કોઈ દરમિયાનગીરી રહેશે નહીં.ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું કે, વક્ફ બિલથી રાષ્ટ્ર ...

એપ્રિલ 3, 2025 7:54 પી એમ(PM)

views 11

ભારત અને થાઇલેન્ડ વચ્ચે માહિતી ટેકનોલોજી, દરિયાઈ, એમએસએમઇ સહિતનાં ક્ષેત્રોમાં સહકાર માટે છ કરારો પર હસ્તાક્ષર

ભારત અને થાઇલેન્ડે આજે માહિતી ટેકનોલોજી, દરિયાઈ, એમએસએમઇ, હસ્તકલા અને હાથસાળ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આજે બેંગકોકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના તેમના સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આ સમજૂતીઓનું આદાનપ્રદાન થયું ...

એપ્રિલ 3, 2025 7:48 પી એમ(PM)

views 7

કેન્દ્રીયખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, સરકાર દેશમાં ટૂંક સમયમાં 100 ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવશે

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, સરકાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે દેશમાં ટૂંક સમયમાં 100 ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવશે.લોકસભામાં એક પ્રશ્નનાં જવાબમાં શ્રી પાસવાને કહ્યું કે, સરકાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં કરે. તેમણે જણાવ્યું કે...

એપ્રિલ 3, 2025 7:45 પી એમ(PM)

views 10

યમુનોત્રી ધામના કપાટ આ મહિનાની 30મી તારીખે અક્ષય તૃતિયા પર ખોલવામાં આવશે

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા યમુનોત્રી ધામના કપાટ આ મહિનાની 30મી તારીખે અક્ષય તૃતિયા પર ભક્તો માટે ખોલવામાં આવશે. આજે યમુના જયંતીના અવસરે ખરસાલીના મંદિરના પૂજારીઓએ ધામના મંદિર ખોલવાની તારીખની જાહેરાત કરી હતી. યમુનોત્રી મંદિર સમિતિના સચિવ સુનીલ ઉનિયાલે જણાવ્યું હતું કે, 30 એપ્રિલના રોજ માયમુ...

એપ્રિલ 3, 2025 3:54 પી એમ(PM)

views 6

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને સિટીએ ભારતમાં નાના ખેડૂતો માટે 295 મિલિયન ડોલર સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને સિટીએ ભારતમાં નાના ખેડૂતો માટે 295 મિલિયન ડોલર સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી. બેંકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ધિરાણ ખાસ કરીને ભારતના નાના ખેડૂતોને તેમની કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા અને આર્થિક રીતે મજબૂત બનવામાં મદદ કરવા માટે છે. SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્...

એપ્રિલ 3, 2025 3:51 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળની શાળાઓમાં 25 હજારથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય ઠેરવતા કલકત્તા વડી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો

સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળની શાળાઓમાં 25 હજારથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય ઠેરવતા કલકત્તા વડી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સમગ્ર પસંદગી પ્રક્રિયામાં છેડછાડ થઈ છે જેનાથી તેની વિશ્વસનીયતા અને કાયદેસરતા પર અસર પડી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્...

એપ્રિલ 3, 2025 3:49 પી એમ(PM)

views 16

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બિમ્સ્ટેકના સભ્ય દેશોને વધુ મહત્વાકાંક્ષી અભિગમ અપનાવવા અપીલ કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બિમ્સ્ટેકના સભ્ય દેશોને આગ્રહ કર્યો કે, વર્તમાન વૈશ્વિક વ્યવસ્થામાં અનિશ્ચિતતા અને અસ્થિરતાને જોતા સંગઠન પ્રત્યે વધુ મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ અપનાવે. થાઈલૅન્ડના બેંગ્કોકમાં 20મી બિમ્સટૅક મંત્રીસ્તરની બેઠકને સંબોધતા શ્રી જયશંકરે કહ્યું, નવી વ્યવસ્થા ખાસ કરીને મોટા ભાગ...

એપ્રિલ 3, 2025 3:27 પી એમ(PM)

views 22

રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક 2025 રજુ કરવામાં આવ્યું

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક 2025 રજૂ કર્યું છે. જેનાં પર હાલ ચર્ચા ચાલુ છે. વિધેયક રજૂ કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે, વક્ફ બિલ માટે એક કરોડ સૂચનો આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,ગત રાત્રે લોકસભામાં અંદાજે 12 કલાકની ચર્ચા બાદ આ બિલ પસાર કરાયું હતું. વક્ફ સુ...

એપ્રિલ 3, 2025 3:26 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના થાઈલૅન્ડ પ્રવાસે બેન્કૉક પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના થાઈલૅન્ડ પ્રવાસે બેન્કૉક પહોંચ્યા છે. શ્રી મોદી છઠ્ઠા બિમ્સટૅક શિખર સંમેલનમાં ભાગ લેવા થાઈલૅન્ડ પહોંચ્યા છે. થાઈલૅન્ડના નાયબ પ્રધાનમંત્રી અને પરિવહન મંત્રી સૂર્યા જુન્ગરૂંગ-રેન્ગકિટે હવાઈમથક પર તેમનું સ્વાગત કર્યું હતું. વર્ષ 2016 અને 2019 બાદ પ્રધાનમંત્રી મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.