રાષ્ટ્રીય

માર્ચ 27, 2025 2:15 પી એમ(PM) માર્ચ 27, 2025 2:15 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર ખીણ સુધીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર ખીણ સુધીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ સાથે કાશ્મીર ખીણ સાથે રેલ જોડાણના 70 વર્ષથી જૂનું સ્વપ્ન સાકાર થશે. આ વંદે ભારત ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી ઉપડશે અને પીર પંજાલ પર્વતમાળાને પાર કરીને શ્રીનગર થઈને ઉત્તર કાશ્મીરના ...

માર્ચ 27, 2025 2:02 પી એમ(PM) માર્ચ 27, 2025 2:02 પી એમ(PM)

views 6

સંયુક્ત રાષ્ટ્રએ બાળ મૃત્યુને ઘટાડવામાં ભારતના પ્રયાસો અને પ્રગતિને ‘ઉદાહરણીય’ ગણાવી પ્રશંસા કરી

અટકાવી શકાય તેવા બાળ મૃત્યુને ઘટાડવામાં ભારતના પ્રયાસો અને પ્રગતિને 'ઉદાહરણીય' ગણાવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ભારત જેવી આરોગ્ય પહેલોનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશે તેની આરોગ્ય વ્યવસ્થામાં વ્યૂહાત્મક રોકાણ દ્વારા લાખો યુવાનો...

માર્ચ 27, 2025 2:00 પી એમ(PM) માર્ચ 27, 2025 2:00 પી એમ(PM)

views 9

અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસોમાં પ્રવર્તન નિર્દેશાલય-ED દ્વારા પટણામાં IAS અધિકારીના અનેક સ્થળોએ દરોડા

બિહારમાં અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસોના સંદર્ભમાં પ્રવર્તન નિર્દેશાલય-ED એ પટનામાં IAS અધિકારી સંજીવ હંસના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. રાજ્યના ઉર્જા વિભાગના ભૂતપૂર્વ સચિવ હંસ અને તેમના ઘણા સહયોગીઓ પર નાણાકીય ઉચાપત, ભ્રષ્ટાચારના કેસ અને ટેન્ડરોમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. પટનાના અનીસાબાદમાં મક...

માર્ચ 27, 2025 9:42 એ એમ (AM) માર્ચ 27, 2025 9:42 એ એમ (AM)

views 3

ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે- વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તણાવપૂર્ણ સંબંધોથી કોઈ પણ પક્ષને ફાયદો નહીં થાય, મતભેદો વિવાદ ન બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ ન બનવી જોઈએ.ગઈ કાલે નવી દિલ્હીમાં એશિયા સોસાય...

માર્ચ 27, 2025 9:39 એ એમ (AM) માર્ચ 27, 2025 9:39 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામ...

માર્ચ 27, 2025 9:38 એ એમ (AM) માર્ચ 27, 2025 9:38 એ એમ (AM)

views 5

DRDO અને ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO અને ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલી-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું હતું.સંરક્ષણ મંત્રીએ DRDO, ભારતીય નૌકાદળ અને ઉદ્યોગને અભિનંદન આપતા મિસાઈલ પ્રણાલીને સંરક્ષ...

માર્ચ 27, 2025 9:34 એ એમ (AM) માર્ચ 27, 2025 9:34 એ એમ (AM)

views 2

કોલસા મંત્રાલય આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરશે.

કોલસા મંત્રાલય આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરશે. સૂચિત ખાણોમાંથી 13 કોલસા ખાણની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે. જ્યારે 12 ખાણની આંશિક તપાસ કરવામાં આવી છે.આ હરાજીનો ઉદ્દેશ સ્થાનિક અને આંતર-રાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિત કરવાનો છે, જેનાથી ઊર્જા અને ઔદ્યોગિક વિકાસમાં ...

માર્ચ 27, 2025 9:31 એ એમ (AM) માર્ચ 27, 2025 9:31 એ એમ (AM)

views 7

લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 અને સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર.

લોકસભામાં ગઈ કાલે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પસાર કરવામાં આવ્યું. ખરડામાં આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની અને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવાની જોગવાઈ છે.કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખરડા પર ચર્ચાનો જવાબ આપતા...

માર્ચ 27, 2025 9:30 એ એમ (AM) માર્ચ 27, 2025 9:30 એ એમ (AM)

views 2

રાષ્ટ્રીય મહિલા આયોગ-NCW દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાનું પરામર્શ કેન્દ્ર ખોલશે.

રાષ્ટ્રીય મહિલા આયોગ-NCWએ જણાવ્યું કે, તે દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાનું પરામર્શ કેન્દ્ર ખોલશે. એનસીડબલ્યુના અધ્યક્ષ વિજયા રાહતકરે ગઈ કાલે પટણામાં જણાવ્યું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આયોગે શરૂ કરેલી આ એક નવી પહેલ છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં આવા 23 કેન્દ્રો ખોલવા...

માર્ચ 27, 2025 9:28 એ એમ (AM) માર્ચ 27, 2025 9:28 એ એમ (AM)

views 4

ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ ઓનલાઇન નોંધણી કરાવી.

ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 2025 માટે ગઈ કાલ સુધી સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને નોંધણી કરાવી છે. એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે, આ પગલાથી નોંધણીનું ડુપ્લિકેશન થતું રોકવામાં મદદ મળશે અને આધાર આધારિત ડિજિટલ ચકાસણી નોંધણી પ્રક્ર...