રાષ્ટ્રીય

જૂન 8, 2025 1:58 પી એમ(PM)

views 12

11 વર્ષના NDA સરકારના શાસન દરમિયાન નારી શક્તિના વિકાસને પ્રધાનમંત્રીએ ઉત્તમ કામગીરી વાળો અને પ્રેરણાદાયક ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત તરફની સફરમાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી પરિવર્તનકારી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેમાં છેલ્લા 11 વર્ષમાં મહિલાઓના નેતૃત્વના વિકાસ પર ભાર મૂક્યો. કેન્દ્રમાં NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં, શ્રી મોદીએ કહ્યું કે વિજ્ઞાન, શિક્ષણ, રમતગમત, સ્ટાર્ટઅપ્સ અને સશસ્ત્ર ...

જૂન 8, 2025 1:57 પી એમ(PM)

views 12

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ફ્રાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જિયમની સાત દિવસની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ફ્રાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જિયમની સાત દિવસની મુલાકાતે જવા રવાના થશે છે. ડૉ. જયશંકર ફ્રાન્સમાં વિદેશ મંત્રી અને યુરોપ બાબતોના મંત્રી જ્યા-નોએલ બૈરોટ સાથે ચર્ચા કરશે.ડૉ. જયશંકર પ્રથમ ભૂમધ્ય રાયસીના સંવાદમાં પણ ભાગ લેશે. યુરોપીય સંઘની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર યુરોપી...

જૂન 8, 2025 1:55 પી એમ(PM)

views 14

સિક્કિમનાં ચાટેનમાં ફસાયેલા 28 પ્રવાસીઓને વિશેષ હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા.

સિક્કિમમાં મંગન જિલ્લાના ચાટેનમાં ફસાયેલા 28 પ્રવાસીઓને વિશેષ હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો, પ્રવાસી ટેક્સી ડ્રાઇવરો અને સરકારી અધિકારીઓની વિનંતી સ્વીકારીને ત્રણ સગીર સહિત 28 વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી લીધા છે. આ તમામ લોકો સલામત રીતે પેક્...

જૂન 8, 2025 1:52 પી એમ(PM)

views 38

ઉત્તર રેલવેએ કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનોનું વ્યવસાયિક સંચાલન શરૂ કર્યુ.

ઉત્તર રેલ્વેએ કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનોનું વ્યવસાયિક સંચાલન શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છ જૂને કટરાથી લીલી ઝંડી ફરકાવી આ ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું. વંદે ભારત આ ટ્રેન કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે રેલવે વ્યવહાર દ્વારા જોડે છે. ટ્રેન શરૂ થતાં મુસાફરોએ ખુશી...

જૂન 8, 2025 10:17 એ એમ (AM)

views 17

NIAએ 2024માં હરિયાણાના ગુરુગ્રામમાં બે ક્લબમાં બોમ્બ હુમલા સંબંધિત કેસમાં આતંકવાદી ગોલ્ડી બ્રાર સહિત પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 2024માં હરિયાણાના ગુરુગ્રામમાં બે ક્લબમાં બોમ્બ હુમલા સંબંધિત કેસમાં આતંકવાદી ગોલ્ડી બ્રાર સહિત પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ કેનેડા સ્થિત ગોલ્ડી બ્રાર, સચિન તાલિયાન, અંકિત, ભાવિશ અને યુએસ સ્થિત રણદીપ સિંહ પર ભારતીય ન્યાય સંહિતા આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ સબ...

જૂન 8, 2025 10:15 એ એમ (AM)

views 10

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાના અધ્યક્ષસ્થાને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠક યોજાઈ

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાના અધ્યક્ષસ્થાને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ વિભાગોની તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરવામાં આવી અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓમાં વધુ સુધારો કરવા વિવિધ પહેલો અંગે ચર્ચા કરાઇ. ઉપ-રાજ્યપાલે યાત્રાળુઓની સુવિધા માટેના કાર્યો સમયસર પૂર્ણ કરવા માટ...

જૂન 8, 2025 10:13 એ એમ (AM)

views 11

ડૉ. જિતેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ફ્રાન્સ જવા રવાના થયા

પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ફ્રાન્સ જવા રવાના થયા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ આજથી આ મહિનાની 13 તારીખ સુધી નાઇસ ખાતે યોજાઈ રહી છે.આ ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં વિશ્વભરના નેતાઓ, વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ વ...

જૂન 8, 2025 10:12 એ એમ (AM)

views 8

DMRCએ ફેઝ-4ના તુગલકાબાદ-એરોસિટી કોરિડોર પર મા આનંદમયી માર્ગ અને તુગલકાબાદ રેલ્વે કોલોની સ્ટેશન વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ ફેઝ-4ના તુગલકાબાદ-એરોસિટી કોરિડોર પર મા આનંદમયી માર્ગ અને તુગલકાબાદ રેલ્વે કોલોની સ્ટેશન વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું, જેને ગોલ્ડન લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે.ટનલ બોરિંગ મશીનનું કામકાજ દિલ્હીના NCTના પરિવહન મંત્રી ડૉ. પંકજ કુમાર સિંહની હાજરીમાં પૂર...

જૂન 8, 2025 10:10 એ એમ (AM)

views 11

મણિપુર સરકારે પાંચ જિલ્લામાં ગઈકાલે મધરાતથી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો

મણિપુર સરકારે મૈત્રેઇ જૂથના નેતા અરંબાઈ ટેંગોલની ધરપકડને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાદ પાંચ જિલ્લામાં ગઈકાલે મધરાતથી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ જિલ્લામાં ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, વિષ્ણુપુર અને કાકચિંગનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા જાહેર...

જૂન 8, 2025 10:06 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના મદુરાઈમાં ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના મદુરાઈમાં ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે અને પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કરશે. તેઓ ગઈકાલે રાત્રે તમિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા. શ્રી શાહ મીનાક્ષી અમ્માન મંદિરે દર્શન કરશે.સાંજે, શ્રી શાહ ઓથાકડાઈમાં પાર્ટીની મુખ્ય બેઠકને સંબોધન કરશે. જે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.