ઓગસ્ટ 17, 2025 11:24 એ એમ (AM)
9
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપ્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપ્યો છે. રાષ્ટ્રપતિ ભવને જણાવ્યું છે કે નાગાલેન્ડના રાજ્યપાલ લક્ષ્મી ગણેશનના નિધન બાદ શ્રી ભલ્લાને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.