રાષ્ટ્રીય

ઓગસ્ટ 18, 2025 2:00 પી એમ(PM)

views 9

લોકસભામાં સરકારે કહ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ

શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ કહ્યું છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સલામતી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને શાળા બોર્ડને સમયાંતરે માર્ગદર્શિકા જ...

ઓગસ્ટ 18, 2025 1:59 પી એમ(PM)

views 13

નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારની સૂચના

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નકલી રસાયણોના છંટકાવને કારણે સોયાબીનના પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે શ્રી ચૌહાણે મધ્યપ્રદેશની મુલાકાત લીધા બાદ આમ જણાવ્યુ હતું. શ્રી ચૌહ...

ઓગસ્ટ 18, 2025 1:57 પી એમ(PM)

views 39

ઓટો અને રિયાલીટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી

દિવાળીમાં જીએસટીમાં રાહત આપવાના સરકારના સંકેતના પગલે ભારતીય શેરબજારમાં આજે સવારથી ફુલગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પ્રારંભિક તબક્કે એક હજાર કરતાં વધુ પોઇન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.. સપ્તાહના આરંભે જ શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો, જે બપોર બાદ પણ યથાવ...

ઓગસ્ટ 18, 2025 10:22 એ એમ (AM)

views 12

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ચિસોટી ગામમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા વ્યક્તિઓ માટે શોધ કામગીરી સતત ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ચિસોટી ગામમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા વ્યક્તિઓ માટે શોધ કામગીરી ગઇકાલે સતત ચોથા દિવસે પણ ચાલુ રહી હતી.અમારા સંવાદદાતા જણાવે છે કે, સેનાના ઇજનેરોએ ગામ અને માચૈલ માતા મંદિર વચ્ચે સંપર્ક પુનઃસ્થાપિત કરવા અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે બેલી બ્રિજ પર કામ શર...

ઓગસ્ટ 18, 2025 10:20 એ એમ (AM)

views 9

વિશ્વભરમાં થઈ રહેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવા કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીની અપીલ

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ વિશ્વભરમાં થઈ રહેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને બાંધકામ કંપનીઓને બાંધકામ ક્ષેત્રમાં ફક્ત સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.હૈદરાબાદ ખાતે એક પ્રોપર્ટી શોમાં બોલતા, શ્રી રેડ્ડીએ કહ્યું કે બાંધકામ કંપનીઓએ ગ્રાહકોના હિત અનુસાર કામ કરવું જોઈએ. શ્રી ...

ઓગસ્ટ 18, 2025 8:05 એ એમ (AM)

views 8

હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં અતિવૃષ્ટિને કારણે પંજાબની નદીઓના જળ સ્તરમાં વધારો.

હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં વાદળ ફાટવા અને સતત વરસાદને કારણે પંજાબની નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે. ખાસ કરીને રાવી અને બિયાસ નદીઓના પાણીના સ્તરમાં ઘણો વધારો થયો છે.

ઓગસ્ટ 18, 2025 7:54 એ એમ (AM)

views 10

ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજથી બે દિવસની ભારત મુલાકાતે

ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજથી બે દિવસની ભારત મુલાકાતે આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના આમંત્રણ પર તેઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છે.ચીનના વિદેશ મંત્રી શ્રી ડોભાલ સાથે ભારત-ચીન સરહદ વિવાદ પર 24મા રાઉન્ડની ખાસ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં ભાગ લેશે. તેઓ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પ...

ઓગસ્ટ 18, 2025 7:50 એ એમ (AM)

views 12

ચૂંટણી પંચે બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત 65 લાખ મતદારોના નામ વેબસાઇટ પર અપલોડ કર્યા

ચૂંટણી પંચે બિહારમાં વિશેષ સઘન સુધારા- SIR પછી પ્રકાશિત ડ્રાફ્ટ મતદાર યાદીમાં બાકાત રહેલા 65 લાખ મતદારોની યાદી સત્તાવાર વેબસાઇટ અપલોડ કરી છે. તેમાં ડ્રાફ્ટ યાદીમાં તેમનો સમાવેશ ન થવાનું કારણ પણ જણાવાયું છે.બિહાર ચૂંટણી પંચ કાર્યાલયે એક નોટિસમાં જણાવ્યું છે કે BLO એ રાજકીય પક્ષો, બૂથ-સ્તરના એજન્ટોની ...

ઓગસ્ટ 18, 2025 7:46 એ એમ (AM)

views 17

આગામી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન NDAના ઉમેદવાર

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર હશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા આ મુજબ જણાવ્યુ. તેમણે કહ્યું કે એનડીએના તમામ સાથી પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો ...

ઓગસ્ટ 17, 2025 7:48 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂક્યો – લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'વોકલ ફોર લોકલ' પર ભાર મૂકતા લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો પર વિશ્વાસ કરવા અને ખરીદવા વિનંતી કરી. આજે નવી દિલ્હીમાં 11 હજાર કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે દેશને મજબૂત બનાવવા અને તેને આત્મનિર્ભર બનાવવા માટે, આપણે ચ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.