રાષ્ટ્રીય

ઓગસ્ટ 20, 2025 8:37 એ એમ (AM)

views 29

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગના વેપાર, આર્થિક, ક્ષેત્રના 26મા સત્રની સહ-અધ્યક્ષતા કરશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ભારત-રશિયા આંતર-સરકારી આયોગના વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહકારના 26મા સત્રનું સહ-અધ્યક્ષતાપદ સંભાળશે.ડૉ. જયશંકર મોસ્કોમાં ભારત-રશિયા વ્યાપાર મંચની બેઠકને પણ સંબોધિત કરશે. વિદેશ મંત્રી ગઈકાલે સાંજે રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મોસ્કો પહોંચ...

ઓગસ્ટ 19, 2025 7:48 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રીમંડળે એક હજાર 507 કરોડ રૂપિયાના ખર્ચ સાથે રાજસ્થાનમાં ગ્રીન ફિલ્ડ હવાઈમથકના વિકાસને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે એક હજાર 507 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રાજસ્થાનના કોટા—બૂન્દીમાં ગ્રીન ફિલ્ડ હવાઈમથકના વિકાસને મંજૂરી આપી છે. આ પરિયોજનામાં અતિવ્યસ્ત સમયમાં એક હજાર વાહનચાલકોને સંભાળવા સંબંધિત 20 હજાર વર્ગ મીટરના ક્ષેત્રવાળા ટર્મિનલ ભવનનું નિર્માણ સામેલ છે. નવી દિલ્હીમાં આજે પત્રકાર પરિષદ...

ઓગસ્ટ 19, 2025 7:46 પી એમ(PM)

views 22

લોકસભામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સુધારા ખરડો 2025 પસાર

લોકસભામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મૅનેજમેન્ટ સુધારા ખરડો 2025 પસાર થયું છે. આ ખરડો રજૂ કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, તેનો હેતુ I.I.M. કાયદા 2017માં વધુ સુધારા લાવવાનો છે. તેમણે કહ્યું, ખરડામાં અસમના ગુવાહાટીમાં I.I.M.ની સ્થાપનાની જોગવાઈ છે, જે દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં...

ઓગસ્ટ 19, 2025 7:43 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું, સરકારના ક્રાંતિકારી પરિવર્તનથી દેશમાં કોલસા અને ખનીજનું ઉત્પાદન વધ્યું

સંસદે આજે ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સંશોધન ખરડો 2025 પસાર કર્યો. રાજ્યસભાએ આજે આ ખરડાને મંજૂરી આપી છે. લોકસભા પહેલા જ આ ખરડાને પસાર કરી ચૂક્યું છે. આ ખરડો ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન અધિનિયમ 1957માં વધુ સંશોધન કરશે. તેમાં એવી જોગવાઈ છે કે, ભાડાપટ્ટાધારકો હાલના ભાડાપટ્ટામાં અન્ય ખનીજનો સમાવેશ કરવ...

ઓગસ્ટ 19, 2025 7:38 પી એમ(PM)

views 12

ઑલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કઝાખસ્તાનમાં ઍશિયન નિશાનેબાજી ચૅમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

બે વખતનાં ઑલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કઝાખસ્તાનમાં ઍશિયન નિશાનેબાજી ચૅમ્પિયનશીપમાં મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મનુ ભાકરે 219 પૂર્ણાંક સાત પૉઈન્ટ મેળવ્યાં. ચીનનાં ખેલાડી પહેલા અને કૉરિયાનાં ખેલાડી બીજા ક્રમાંકે રહ્યાં. ભારતે મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલની ટીમ સ...

ઓગસ્ટ 19, 2025 2:22 પી એમ(PM)

views 17

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રીના નેતૃત્વમાં દિલ્હીમાં સરહદી બાબતો અંગે બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આજે નવી દિલ્હીમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પ્રશ્ન પર વિશેષ પ્રતિનિધિઓની વાતચીતનો 24મો તબક્કો યોજ્યો. પોતાના પ્રારંભિક ભાષણમાં, શ્રી ડોભાલે કહ્યું, છેલ્લા નવ મહિનામાં સરહદ પરની પરિસ્થિતિમાં સુધારો થયો છે અને તે શાંતિપૂર્ણ રહ્યો છે. ત...

ઓગસ્ટ 19, 2025 2:21 પી એમ(PM)

views 10

N.D.A.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સર્વસમંતિથી ચૂંટવા સાંસદોને પ્રધાનમંત્રીની અપીલ

નવી દિલ્હીમાં આજે સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણનનો પરિચય કરાવીને તેમનું સન્માન કર્યું. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શ્રી મોદીએ વિરોધપક્ષના સભ્યો સહિત તમામ સાંસદોને શ્રી રાધાકૃષ...

ઓગસ્ટ 19, 2025 2:19 પી એમ(PM)

views 8

ત્રીજી ઓક્ટોબરથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ થશે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે આ વર્ષે 3 ઓક્ટોબરના રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે સીધા સંવાદને પ્રોત્સાહન આપવાનો છે અને તે 18 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. લોકસભામાં પ્રશ્નકાળ ...

ઓગસ્ટ 19, 2025 2:10 પી એમ(PM)

views 12

મુંબઇમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું, ગુજરાતમાં પણ આજે રેડ એલર્ટ.

શુક્રવારથી મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં સતત ભારે વરસાદ સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયુ છે. હવામાન વિભાગે શહેર અને ઉપનગરોમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગાહીને પગલે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મું...

ઓગસ્ટ 19, 2025 9:36 એ એમ (AM)

views 16

જમ્મુ અને કાશ્મીરમાં ચિસોટી ગામમાં બચાવ અને રાહત કામગીરી સતત પાંચમા દિવસે પણ ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ચિસોટી ગામમાં બચાવ અને રાહત કામગીરી ગઈકાલે સતત પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી.અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે,41 લોકો ગુમ છે, જેઓ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ ટીમોએ મૃતકોની સંખ્યા વધુ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.