રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 18, 2025 9:02 એ એમ (AM)

views 9

છત્તીસગઢમાં, બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં, બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળ્યા બાદ ગઈકાલે એક અથડામણ થઈ હતી, અત્યાર સુધીમાં, સ્થળ પરથી બે માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એક રાઇફલ, એક BGL લોન્ચર...

સપ્ટેમ્બર 18, 2025 8:55 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સ્વદેશી બનાવટની વસ્તુઓ ખરીદીને દેશના આર્થિક વિકાસને વધુ મજબૂત બનાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, તહેવારોની મોસમ સ્વદેશીના મંત્રને ફરીથી મજબૂત કરવાનો પણ સમય પાકી ગયો છે. ગઈકાલે મધ્યપ્રદેશના ધાર ખાતે શિલાન્યાસ અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યા પછી, શ્રી મોદીએ નાગરિકોને ખાતરી કરવા વિનંતી કરી કે તેઓ જે કંઈ ખરીદે છે અથવા વેચે છે તે ભારતમાં બનેલું છે...

સપ્ટેમ્બર 18, 2025 8:55 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નમોત્સવ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રધાનમંત્રીની જીવનગાથા દર્શાવતો મલ્ટીમીડિયા શૉ યોજાયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડ્રોનશો યોજાયો. જેમા ડ્રોનની મદદથી પ્રધા...

સપ્ટેમ્બર 18, 2025 8:27 એ એમ (AM)

views 8

વિધાનસભાની આગામી ચૂંટણીની વ્યૂહરચના ઘડવા આજે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલ સાંજથી બિહાર પહોંચ્યા છે. આજે તેઓ રોહતાસ અને બેગુસરાયના 20 જિલ્લાના પાર્ટી સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરશે અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની યોજનાઓની ચર્ચા કરશે. આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે NDAની જીત સુનિશ્ચિત કરવા માટે આ બેઠકોમાં ...

સપ્ટેમ્બર 17, 2025 8:00 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં દેશના સૌથી મોટા પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અને આઠ-મા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે ધાર જિલ્લાના ભૈન્સોલા ગામમાં દેશના પહેલા પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ માતૃ વંદના યોજના હેઠળ નાણાકીય સ...

સપ્ટેમ્બર 17, 2025 7:56 પી એમ(PM)

views 27

ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગની માર્ગદર્શિકામાં સંશોધન કર્યું

ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગના વર્તમાન માર્ગદર્શિકામાં સંશોધન કર્યું છે. તે મુજબ, EVM મતપત્ર પર ઉમેદવારોની રંગબેરંગી તસવીર છપાશે અને તસવીર ચોખ્ખી દેખાય તે માટે ઉમેદવારના ચહેરાની તસવીર ત્રણ-ચતુર્થાંશ ભાગમાં હશે. તમામ ઉમેદવારો અને નોટાનનું ન...

સપ્ટેમ્બર 17, 2025 7:54 પી એમ(PM)

views 36

અમેરિકી સંસ્થાના અહેવાલ મુજબ, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે

વિશ્વભરમાં ચાલી રહેલી ઉથલ—પાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે. અમેરિકાની ક્રેડિટ ઍન્ડ રૅટિંગ ઍજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના જણાવ્યા મુજબ, ભારતનો કુલ ઘરેલું ઉત્પાદન—GDP વર્તમાન નાણાકીય વર્ષમાં સાડા છ ટકાના દરથી આગળ વધતો રહેશે. ઍજન્સીના અહેવા...

સપ્ટેમ્બર 17, 2025 7:36 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં અનેક સેવાકાર્યો યોજાયા -અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિર યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિર યોજાઈ. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. છોટાઉદેપુરમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિય...

સપ્ટેમ્બર 17, 2025 2:18 પી એમ(PM)

views 11

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો મધ્યપ્રદેશના ધારથી આરંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અને 8મા રાષ્ટ્રીય પોષણ મહા અભિયાનનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું આ નવું ભારત કોઇની પરમાણુ ધમકીથી ડરશે નહીં. તેમણે 'આદી સેવા પર્વ'નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી ધાર જિલ્લાના ભૈન્...

સપ્ટેમ્બર 17, 2025 2:17 પી એમ(PM)

views 11

ગુજરાત સહિત દેશભરમાં પ્રધાનમંત્રીના 75માં જન્મદિનની ઉજવણી નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ વિશ્વની સૌથી મોટી મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. શિબિરનું ઉદ્ઘાટન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.