રાષ્ટ્રીય

જાન્યુઆરી 16, 2026 7:52 પી એમ(PM)

views 56

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધન વિજય તરફ આગળ વધી રહ્યું છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધન વિજય તરફ આગળ વધી રહ્યું છે. ગઠબંધન 119 બેઠકો પર આગળ છે. ભાજપ 88 બેઠકો અને શિવસેના 31 બેઠકો પર આગળ છે. શિવસેના-યુબીટી 64 બેઠકો પર આગળ છે, જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ફક્ત છ બેઠકો પર આગળ છે. નવી મુંબઈમાં, ભાજપ 72 બેઠકો પર આગળ છે...

જાન્યુઆરી 16, 2026 2:06 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્ટાર્ટઅપ્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, આજે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ મિશન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના દસ વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ભારતના જીવંત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સભ્યો સાથે વાતચીત કરશે. શ્રી મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના દસ વર્ષ પૂર્ણ થવા પર દેશના સ્ટાર્...

જાન્યુઆરી 16, 2026 1:59 પી એમ(PM)

views 23

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 રજૂ કરશે

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 લાવશે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય નબળી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો તથા આબોહવા-સ્થિતિસ્થાપક જાતોને પ્રોત્સાહન આપવાનો છે. વધુમા...

જાન્યુઆરી 16, 2026 1:57 પી એમ(PM)

views 14

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વર્ષ 2026 માટે આંકડાશાસ્ત્રમાં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આંકડાશાસ્ત્ર 2026 માં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી છે. તે ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય અને સત્તાવાર આંકડાશાસ્ત્રની પ્રણાલીમાં સુધારો કરવા માટે યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનિત કરે છે. 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજી કરી શકાય છે...

જાન્યુઆરી 16, 2026 1:56 પી એમ(PM)

views 5

જમ્મુ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી.

જમ્મુ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હોવાના અહેવાલ છે.ગઈકાલે સાંજે પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાના સંવેદનશીલ વિસ્તારો અને સાંબા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ પ્રથમ પૂંચ જિલ્લામાં દિગવા...

જાન્યુઆરી 16, 2026 9:29 એ એમ (AM)

views 7

હજ યાત્રાળુઓના રજીસ્ટ્રશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 25મી જાન્યુઆરી સુધી મુદત લંબાવાઇ

લઘુમતી બાબતોના મંત્રાલયે હજ યાત્રાળુઓના રજીસ્ટ્રશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 25મી જાન્યુઆરી સુધી મુદત લંબાવી છે.હજ યાત્રિકોની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે વધારાનો સમય માંગતી રજૂઆતો મળ્યા બાદ મંત્રાલયે આ મુદત લંબાવી છે. તેના નિવેદનમાં, મંત્રાલયે જાહેરાત કરી કે આ મહિનાની 25મી તારીખ સુધી એક વખતનો અંતિમ લ...

જાન્યુઆરી 16, 2026 9:27 એ એમ (AM)

views 9

IMF એ કહ્યું કે ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે એક મુખ્ય વૃદ્ધિ એન્જિન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ કહ્યું કે ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે એક મુખ્ય વૃદ્ધિ એન્જિન છે. ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ અપેક્ષા કરતા વધુ મજબૂત રહ્યો છે. એક પત્રકાર પરિષદને સંબોધતા, IMFના ડિરેક્ટર, જુલી કોઝેકે જણાવ્યું કે, ભારતનો વિકાસમાં મોટાભાગે મજબૂત સ્થાનિક વપરાશને આધારિત રહ્ય...

જાન્યુઆરી 16, 2026 9:25 એ એમ (AM)

views 7

ભારતીય તટરક્ષક દળે પાકિસ્તાની માછીમારી બોટ અલ-મદીનાને પકડી પાડી

ભારતીય તટરક્ષક દળે અરબી સમુદ્રમાં ભારતીય દરિયાઈ સરહદમાં પાકિસ્તાની માછીમારી બોટ અલ-મદીનાને પકડી પાડી છે. માછીમારી બોટમાં નવ ક્રૂ સભ્યો હતા.પાકિસ્તાની બોટ ભાગી જવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ કોસ્ટ ગાર્ડે તેને અટકાવી અને તેની તપાસ કરી. ત્યારબાદ બોટને પોરબંદર બંદરે લઈ જવામાં આવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ...

જાન્યુઆરી 16, 2026 9:24 એ એમ (AM)

views 9

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઇઝરાયલની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી

તલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઇઝરાયલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયલની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસે ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સમય સમય પર સુરક્ષા સંબંધિત દિશાનિર્દેશો અને પ્રોટોકોલનું ચુસ્...

જાન્યુઆરી 16, 2026 9:19 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ બાંસેરા પાર્ક મેદાનમાં યોજાશે.દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉત્સવનું આયોજન DDA દ્વારા કરવામાં આવી રહ્યુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.