રાષ્ટ્રીય

નવેમ્બર 13, 2025 9:34 એ એમ (AM)

views 25

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને બંધારણ 130મો સુધારા ખરડો, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા ખરડો 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારા ખરડો, 2025ની તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. 31 સભ્યોની સમિતિમાં ભાજપના 15 સાંસદ, NDAના સાથી પક્ષોના 11, વિપક્ષના ચાર અન...

નવેમ્બર 13, 2025 9:21 એ એમ (AM)

views 27

કેન્દ્રીય મંત્રીમંડળે કાર વિસ્ફોટની આતંકી ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટની આતંકી ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો છે. નિર્દોષ જીવ ગુમાવનારા લોકોના માનમાં મંત્રીમંડળે બે મિનિટનું મૌન પાળ્યું. મંત્રીમંડળે રાષ્ટ્રીય સુરક્ષા અને દરેક નાગરિકની સલામતી પ્રત્યેની તેની સ્થાયી પ્રતિબદ્ધતા સાથે સુસં...

નવેમ્બર 13, 2025 9:20 એ એમ (AM)

views 15

વિશેષ સઘન સુધારણાના બીજા તબક્કામાં 37 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ કરાયું

ચૂંટણી પંચે માહિતી આપી કે, 4 નવેમ્બરે વિશેષ સઘન સુધારણા-SIRનો બીજો તબક્કો શરૂ થયા બાદ મતદારોમાં 37 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ કરાયું છે.આ તબક્કામાં આવરી લેવામાં આવનાર કુલ 51 કરોડ મતદારોમાંથી તે 70 ટકા છે. પંચે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10 કરોડ 80 લાખ ફોર્મ સોંપવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ...

નવેમ્બર 13, 2025 9:18 એ એમ (AM)

views 14

ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂષણખોરો સાથે સંકળાયેલ અલ-કાયદા ગુજરાત આતંકવાદી ષડયંત્રના સંદર્ભમાં NIAના પાંચ રાજ્યોમાં દરોડા

ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલ અલ-કાયદા ગુજરાત આતંકવાદી કાવતરા કેસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAએ ગઈકાલે પાંચ રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા.NIAએ ગુજરાત, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય અને હરિયાણામાં અનેક સ્થળોએ વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરોની તપાસ કરી હતી. એજન...

નવેમ્બર 13, 2025 9:17 એ એમ (AM)

views 30

નિકાસકારો માટે નવી ધિરાણ ગેરંટી યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી – દિલ્હી કાર વિસ્ફોટમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર

કેન્દ્રીય મંત્રીમંડળે નિકાસકારો માટે નવી ક્રેડિટ ગેરંટી યોજનાને મંજૂરી આપી છે, જે MSME સહિત નિકાસકારોને 100 ટકા ક્રેડિટ ગેરંટી ઓફર કરે છે. આ યોજના 20 હજાર કરોડ સુધીનું વધારાનું ધિરાણ પૂરું પાડશે, જે ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળના નિર્ણયો વિશે મીડિયાને મા...

નવેમ્બર 13, 2025 9:15 એ એમ (AM)

views 17

બોત્સ્વાના આજે ભારતને સ્થાનાંતરણ માટે ચિત્તા સોંપશે

બોત્સ્વાના આજે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતને સ્થાનાંતરણ માટે ચિત્તા સોંપશે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના બોત્સ્વાના સમકક્ષ ડુમા બોકો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોના અંતે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.ભારત અને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ગેબોરોન નજીક ચિત્તાઓને મુક્ત કર...

નવેમ્બર 12, 2025 8:13 પી એમ(PM)

views 17

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું, ભારત કેનેડા સાથેની દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા આતુર

વિદેશમંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે કેનેડામાં જી-7 દેશના વિદેશ મંત્રીઓની બેઠકથી અલગ કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે આ આયોજનની યજમાની બદલ સુશ્રી આનંદને શુભેચ્છાઓ પાઠવી અને નવી વ્યૂહરચના 2025ના અમલીકરણમાં થયેલા વિકાસની પ્રશંસા કરી. તેમણે કહ્...

નવેમ્બર 12, 2025 7:59 પી એમ(PM)

views 19

આરોગ્ય મંત્રાલયે વાયુ પ્રદૂષણ અંગે માર્ગદર્શિકા જાહેર કરી

આરોગ્ય મંત્રાલયે આજે રાષ્ટ્રીય આબોહવા પરિવર્તન અને માનવ આરોગ્ય કાર્યક્રમ હેઠળ વાયુ પ્રદૂષણ અંગે આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી. તેમાં શહેરી ક્ષેત્રમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હૉસ્પિટલ્સ અને મેડિકલ મહાવિદ્યાલયોમાં છાતીનું દવાખાનું બનાવવા આહ્વાન કરાયું છે. આ દવાખાનું વાયુ પ્રદૂષણ દરમિયાન દરરો...

નવેમ્બર 12, 2025 7:55 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગૈબોરોનમાં બોત્સવાનાના રાષ્ટ્રપ્રમુખ ડૂમા બોકો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે ગૈબોરોનમાં બોત્સવાનાના રાષ્ટ્રપ્રમુખ ડૂમા બોકો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો. તેમજ પરસ્પર હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાએ વેપાર અને રોકાણ, ખેતી, આરોગ્ય, સંરક્ષણ, ખાણકામ, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ ટેક્નોલૉજીમાં સહકાર વધારવા અંગે સંમતિ વ્યક્...

નવેમ્બર 12, 2025 7:53 પી એમ(PM)

views 13

ભૂતાનથી પરત આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકનાયક જયપ્રકાશ નારાયણ હૉસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમવારે દિલ્હી વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી ભૂતાનના બે દિવસના પ્રવાસ બાદ વિમાનમથકથી સીધા જ હૉસ્પિટલ પહોંચ્યા હતા. શ્રી મોદીએ ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી અને તેઓ ઝડપથી સાજા થાય ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.