રાષ્ટ્રીય

ડિસેમ્બર 1, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 1, 2025 7:54 પી એમ(PM)

વોટર પોઝિટિવનો દરજ્જો મેળવનાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક દેશનું પ્રથમ હવાઈમથક બન્યું

પર્યાવરણીય વ્યવસ્થાપનના કારણે વોટર પોઝિટિવનો દરજ્જો મેળવનાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક દેશનું પ્રથમ હવાઈમથક બન્યું છે. જેની વાર્ષિક ક્ષમતા 40 મિલિયનથી વધુ મુસાફરોની છે. આ સિદ્ધિ વિશે બોલતા, દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈમથક લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી-CEO, વિદેહ કુમાર જયપુરિયારે ...

ડિસેમ્બર 1, 2025 2:23 પી એમ(PM) ડિસેમ્બર 1, 2025 2:23 પી એમ(PM)

views 3

સંસદના શિયાળુ સત્રનો આરંભ, લોકસભામાં વિપક્ષોના હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત.

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. આ સત્રમાં 19 દિવસના સમયગાળામાં કુલ 15 બેઠકો યોજાશે. જોકે લોકસભાના આરંભે જ વિરોધ પક્ષોના હોબાળાના પગલે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે. અગાઉ લોકસભા સવારે 11 વાગ્યે શરૂ થઈ ત્યારે, ગૃહમાં અભિનેતા ધર્મેન્દ્ર, કર્નલ (નિવૃત્ત) સોના રામ ચૌધરી, પ્રો. વિજય ...

ડિસેમ્બર 1, 2025 2:22 પી એમ(PM) ડિસેમ્બર 1, 2025 2:22 પી એમ(PM)

views 2

સંસદના શિયાળુ સત્રમાં પ્રધાનમંત્રીએ દેશના વિકાસ માટે સકારાત્મક ચર્ચા કરવા તમામ પક્ષોને આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિયાળુ સત્ર ફક્ત એક વિધિ નથી, પરંતુ તે ભારતને વિકાસ તરફ લઈ જવાના પ્રયાસોને વેગ આપે છે. સંસદના શિયાળાના સત્રના આરંભ પહેલા મીડિયાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ આજે નોંધપાત્ર ઊંચાઈએ પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ ગતિ ભારતને વિકસિત રાષ્...

ડિસેમ્બર 1, 2025 2:20 પી એમ(PM) ડિસેમ્બર 1, 2025 2:20 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત વૈશ્વિક સ્તરે તેની આર્થિક ભૂમિકાનો વિસ્તાર કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું કે, ભારત માત્ર આર્થિક સ્વતંત્રતાના માર્ગ પર જ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેની આર્થિક ભૂમિકાનો વિસ્તાર પણ કરી રહ્યું છે. તેમણે નવી દિલ્હીમાં ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (FDDI) ના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિએ...

ડિસેમ્બર 1, 2025 9:09 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:09 એ એમ (AM)

આજથી નાગાલેન્ડના કોહિમા ખાતે હેરીટેજ ગામ કિસામાના ખાતે, હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ શરૂ

આજથી નાગાલેન્ડના કોહિમા ખાતે હેરીટેજ ગામ કિસામાના ખાતે, હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ શરૂ થશે. નાગાલેન્ડના રાજ્ય સ્થાપના દિવસ સાથે 10 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ ફરી એકવાર તમામ મુખ્ય નાગા જાતિઓને એક છત નીચે એકત્રિત કરશે, જે લોકવાયકા, સંગીત, હસ્તકલા અને ભોજન દ્વારા રાજ્યની જીવંત પરંપરાઓનું પ્રદર્શન કર...

ડિસેમ્બર 1, 2025 9:02 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:02 એ એમ (AM)

views 3

ભારતે વૈશ્વિક કૌશલ્ય એશિયા સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને 8મો ક્રમ મેળવીને સીમાચિહ્ન હાંસલ કર્યું

ભારતે વૈશ્વિક કૌશલ્ય એશિયા સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને 8મો ક્રમ મેળવીને વૈશ્વિક કૌશલ્ય મંચ પર એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું. આ સ્પર્ધામાં 29 દેશોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ભારતે પરંપરાગત અને ટેક-આધારિત કૌશલ્ય શ્રેણીઓમાં શ્રેષ્ઠતા માટે એક રજત બે કાંસ્ય સહિત ત્રણ ચંદ્રક જીત્યા. ભારતીય ખેલાડી...

ડિસેમ્બર 1, 2025 9:01 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:01 એ એમ (AM)

views 5

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું નેતૃત્વ કરશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું નેતૃત્વ કરશે. તેનો ઉદ્દેશ્ય HIV નિવારણ, સારવાર અને સંભાળ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવવાનો છે. આ કાર્યક્રમ સરકારી નેતાઓ, વિકાસ ભાગીદારો, યુવા પ્રતિનિધિઓ, સમુદાય હિમાયતીઓ, HIV સાથે ...

ડિસેમ્બર 1, 2025 9:00 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:00 એ એમ (AM)

views 1

દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી

આજે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પાંચ હજાર વર્ષ પૂર્વે આજના દિવસે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર અર્જુનને ભગવદ્ ગીતાના ઉપદેશો આપ્યા હતા. ગીતા જયંતિએ ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા સાર્વત્રિક જ્ઞાનની યાદ અપાવે છે, જે લાખો લોકોને તેમના આધ્યાત્મિક અને રોજિંદા જીવનમાં માર્ગદર્શન આપે...

ડિસેમ્બર 1, 2025 8:57 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 8:57 એ એમ (AM)

views 1

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નવી દિલ્હીમાં સરસ આજીવિકા ખાદ્ય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં સરસ આજીવિકા ખાદ્ય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે માહિતી આપી કે, દેશભરના 25 રાજ્યોમાંથી લગભગ 300 લખપતિ દીદી અને સ્વ-સહાય જૂથોની મહિલાઓ આ મહોત્સવમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યું હતું કે, કુલ 62 સ્ટોલમાંથી 50 લાઇવ ફૂ...

ડિસેમ્બર 1, 2025 8:33 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 8:33 એ એમ (AM)

ઓપરેશન સાગરબંધુ હેઠળ શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોને પરત લવાયા

ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતીય વાયુસેનાએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ચક્રવાત દિત્વાહને કારણે શ્રીલંકામાં ફસાયેલા ૩૩૫ ભારતીયોને તિરુવનંતપુરમ પરત લાવવામાં આવ્યા હતા. દરમિયાન ચક્રવાત દિત્વાહ ઉત્તર તમિલનાડુ-પુડુચેરી કિનારા તરફ સમાંતર આગળ વધી રહ્યું છે. ચક્રવાત દિત્વાહ એક ઘેરા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું ...