રાષ્ટ્રીય

ડિસેમ્બર 21, 2025 7:49 પી એમ(PM) ડિસેમ્બર 21, 2025 7:49 પી એમ(PM)

રાષ્ટ્રપતિએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત- જી રામ જી બિલ, 2025 ને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત- જી રામ જી બિલ, 2025 ને મંજૂરી આપી છે. સંસદે શિયાળુ સત્ર દરમિયાન આ બિલ પસાર કર્યું. આ કાયદો ગ્રામીણ પરિવારો માટે વૈધાનિક વેતન રોજગાર ગેરંટીને નાણાકીય વર્ષમાં 125 દિવસ સુધી લંબાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતુ...

ડિસેમ્બર 21, 2025 7:47 પી એમ(PM) ડિસેમ્બર 21, 2025 7:47 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ડિબ્રુગઢ જિલ્લાના નામરૂપમાં 10 હજાર 600 કરોડથી વધુના ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ડિબ્રુગઢ જિલ્લાના નામરૂપમાં 10 હજાર 600 કરોડથી વધુના ખર્ચે ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રદેશમાં ખાતર ઉત્પાદનને મજબૂત બનાવવા અને કૃષિ વિકાસને ટેકો આપવાનો છે. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ખાતરની આયાત પરની નિર્ભરતા ઘટ...

ડિસેમ્બર 21, 2025 7:46 પી એમ(PM) ડિસેમ્બર 21, 2025 7:46 પી એમ(PM)

ભારતીય અવકાશ સંશોધન સંગઠન બુધવારે સંચાર ઉપગ્રહ બ્લુબર્ડ બ્લોક-2 નું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન - ISRO બુધવારે સંચાર ઉપગ્રહ બ્લુબર્ડ બ્લોક-2 નું પ્રક્ષેપણ કરશે. અમેરિકા સ્થિત AST સ્પેસમોબાઇલ કંપનીની માલિકીનો આ ઉપગ્રહ LVM-3-M6 રોકેટ દ્વારા પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત થનાર અત્યાર સુધીનો સૌથી મોટો વાણિજ્યિક ઉપગ્રહ હશે. આ બ્લુબર્ડ બ્લોક-2 ઉપગ્રહ આગામી પેઢી માટે...

ડિસેમ્બર 21, 2025 7:44 પી એમ(PM) ડિસેમ્બર 21, 2025 7:44 પી એમ(PM)

views 1

હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ જશે. કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, બિહાર, પૂર્વી ઉત...

ડિસેમ્બર 21, 2025 2:33 પી એમ(PM) ડિસેમ્બર 21, 2025 2:33 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે ખાતર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે ખાતર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખાતર ઉત્પાદનને મજબૂત બનાવવા અને પ્રદેશમાં કૃષિ વિકાસને ટેકો આપવાનો છે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૨.૭ લાખ મેટ્રિક ટન હશે. આસામની ખાતરની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત, આ પ્લાન્ટ પ...

ડિસેમ્બર 21, 2025 2:30 પી એમ(PM) ડિસેમ્બર 21, 2025 2:30 પી એમ(PM)

views 1

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. સર્બાનંદ સોનોવાલે જણાવ્યું, "આ કરારનો ઉદ્દેશ્ય દરિયાઈ વારસો, સંગ્રહાલય ડિઝાઇન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ડચ વિદે...

ડિસેમ્બર 21, 2025 2:31 પી એમ(PM) ડિસેમ્બર 21, 2025 2:31 પી એમ(PM)

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાની સેવાઓ ઉપર અસર – મુસાફરોને એરપોર્ટ પરથી સમયપત્રકની માહિતી મેળવીને મુસાફરી કરવા અપીલ

ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ધુમ્મસની સ્થિતિ દૃશ્યતાને અસર કરી રહી છે અને પસંદગીના એરપોર્ટ પર ઉડ્ડયનો ઉપર અસર થઇ શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુસાફરોને સમયપત્રકની છેલ્લી ઘડીની માહિતી તપાસીને મુસાફરી કરવા અપીલ કરી છે. મુસાફરોની સહાય માટે એરપોર્ટ પર મુસાફરો સહાય ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી મુ...

ડિસેમ્બર 21, 2025 8:25 એ એમ (AM) ડિસેમ્બર 21, 2025 8:25 એ એમ (AM)

views 4

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વહીવટી સેવાઓની ગુણવત્તા નિર્ણાયક ભૂમિકા ભજવશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વહીવટી સેવાઓની ગુણવત્તા નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓનો અમલ વહીવટકર્તાઓની ગુણવત્તા પર આધાર રાખે છે. ગઈકાલે સાંજે હૈદરાબાદમાં રાજ્ય જાહેર સેવા આયોગોના અધ્યક્ષોના બે દિવસીય પરિષદના સમાપન સ...

ડિસેમ્બર 21, 2025 9:57 એ એમ (AM) ડિસેમ્બર 21, 2025 9:57 એ એમ (AM)

views 8

સમગ્ર વિશ્વમાં આજે બીજા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે બીજા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગયા વર્ષે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં શિયાળુ સંક્રાંતિને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવી હતી, જે આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિનું પ્રતીક છે. દરમિયાન ભારતીય આધ્યાત્મિક ગુરુ ...

ડિસેમ્બર 21, 2025 8:23 એ એમ (AM) ડિસેમ્બર 21, 2025 8:23 એ એમ (AM)

views 6

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઘોસ્ટપેરિંગ નામના સાયબર અભિયાન દ્વારા વોટ્સએપ એકાઉન્ટ્સ હેક કરવા અંગે ચેતવણી જારી કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ચેતવણી જારી કરતાં જણાવ્યું કે ઘોસ્ટપેરિંગ નામના સાયબર અભિયાનનો ઉપયોગ વોટ્સએપ એકાઉન્ટ્સ હેક કરવા માટે થઈ રહ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સાયબર ગુનેગારો કોઈપણ ચકાસણી વિના પેરિંગ કોડનો ઉપયોગ કરીને વોટ્સએપના ડિવાઇસ-લિંકિંગ ફીચર દ્વારા એકાઉન્ટ્સ હેક કરી ર...