રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 19, 2026 2:48 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને વિડીયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રો આપ્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 20મા રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી સંસ્થાઓમાં નવનિયુક્ત 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ માળખું છે. તેમણે ઉમેર્યું આપણા યુવાનોના કૌશલ્યએ સમગ્ર વિશ્વનો ભરોસો ...

સપ્ટેમ્બર 19, 2026 2:20 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે પ્રતિ વ્યક્તિ ભારતનું કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતા અડધાથી પણ ઓછું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પ્રતિ વ્યક્તિ ભારતનું કાર્બન ઉત્સર્જન  વૈશ્વિક સરેરાશ કરતા અડધાથી પણ ઓછું છે. આજે નવી દિલ્હીમાં પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાના ભવિષ્ય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશોને ઘણીવાર કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર ઠેરવવામાં આ...

સપ્ટેમ્બર 19, 2026 11:12 એ એમ (AM)

views 6

ભારતની સોફ્ટવેર સેવાઓનો નિકાસ 2025-26માં વાર્ષિક ધોરણે 8.2 ટકા વધીને 221 અબજ ડૉલરથી વધુ થયો

ભારતની સોફ્ટવેર સેવાઓની નિકાસ 2025-26 માં વાર્ષિક ધોરણે 8.2 ટકા વધીને 221 અબજ ડૉલરથી વધુ થયો છે. ગઈકાલે જાહેર કરાયેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કમ્પ્યુટર સોફ્ટવેર અને માહિતી ટેકનોલોજી આધારિત સેવાઓ નિકાસ પરના વાર્ષિક સર્વેક્ષણમાં આ માહિતી આપવામાં આવી હતી. સર્વેક્ષણ માટે સાત હજાર 569 સોફ્ટવેર નિકાસ કંપ...

સપ્ટેમ્બર 19, 2026 11:04 એ એમ (AM)

views 8

જાપાનમાં આજથી એશિયન ગેમ્સ 2026નો આરંભ – ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે ઉદ્ઘાટન સમારોહ

જાપાનના આઈચી-નાગોયા સ્થિત પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે આજે એશિયન ગેમ્સ 2026 ઉદ્ઘાટન સમારોહ આજે ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગ્યે શરૂ થશે. મનુ ભાકર અને તજિંદરપાલ સિંહ તૂર ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ધ્વજ સાથે ટીમનું નેતૃત્વ કરશે. એશિયન ગેમ્સ આગામી ચોથી ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં 500 થી વધુ ભારતીય ખેલાડીઓ 3...

સપ્ટેમ્બર 19, 2026 10:59 એ એમ (AM)

views 11

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં 15 પોલીસકર્મીઓ સહિત 21 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં ગઈકાલે એક મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં 15 પોલીસકર્મીઓ સહિત 21 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા. કોહાટ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. તાહિર શાહે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 73 પોલીસકર્મીઓ અને 30 નાગરિકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ...

સપ્ટેમ્બર 19, 2026 10:50 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાનું ભવિષ્ય વિષય અંગે એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાનું ભવિષ્ય" વિષય અંગે એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ દ્વારા બે દિવસીય પરિષદનું આયોજન કરાયું છે. જેમાં પર્યાવરણીય નિષ્ણાતો અને સર્વોચ્ચ અદાલત, રાજ્યની વડી અદાલતો સહિત જિલ્લા અદાલતોના ન્યાયાધીશો...

સપ્ટેમ્બર 18, 2026 7:57 પી એમ(PM)

views 2

ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રતિસ્પર્ધી જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી પ્રતીકો ફાળવ્યા

ચૂંટણી પંચે આજે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રતિસ્પર્ધી જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી પ્રતીકો ફાળવ્યા. આનાથી મમતા બેનર્જી અને અરૂપ રોયના નેતૃત્વ હેઠળના જૂથોને નવા નામોથી પેટાચૂંટણી લડવાની પરવાનગી મળી ગઈ છે. અરૂપ રોયના નેતૃત્વવાળા જૂથને 'લોકતાંત્રિક તૃણમૂલ કોંગ્રેસ' નામ અને 'પરબીડિયું' ચૂંટણી ચિહ્ન આપવ...

સપ્ટેમ્બર 18, 2026 7:55 પી એમ(PM)

views 4

ભારતે લાલ સમુદ્ર ક્ષેત્રમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

ભારતે લાલ સમુદ્ર ક્ષેત્રમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાઉદી અરેબિયાના સાર્વભૌમ પ્રદેશ પરના હુમલાઓની નિંદા કરી, જેમાં નાગરિકો અને આર્થિક સંપત્તિઓને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું કે...

સપ્ટેમ્બર 18, 2026 7:54 પી એમ(PM)

views 9

ભારત અને સંયુક્ત આરબ અમીરાતે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારત અને સંયુક્ત આરબ અમીરાતે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં સતત સહયોગ અને સંકલન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓ...

સપ્ટેમ્બર 18, 2026 7:49 પી એમ(PM)

views 7

ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. નવી દિલ્હીમાં 'સેમિકોન ઇન્ડિયા 2026'માં એક અનૌપચારિક ચર્ચામાં ભાગ લેતાં શ્રી વૈષ્ણવે કહ્યું કે બૌદ્ધિક સંપદાની સુરક્ષાથી લઈને વૈશ્વિક કં...