ડીડી ન્યૂઝ

ઓગસ્ટ 2, 2024 8:03 પી એમ(PM)

views 17

વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ :રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.  આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યુંહતું કે આ પરિષદમાં  પસંદ કરાયેલ મુદ્દાઓ રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિર્ણાયક છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે ફોજદારી ન્યાય સંબંધિત ત્રણ નવા કાયદાના અમલીકરણ સાથે...

જુલાઇ 31, 2024 8:10 પી એમ(PM)

views 25

યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હી ખાતે સમાપન થયું

યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હીમાં આજે સમાપન થયું છે. ભારત આ વર્ષે આ બેઠકનું યજમાન હતું, સાથે જ તેની અધ્યક્ષતા પણ કરી હતી. આ સત્ર દરમિયાન યુનેસ્કોએ 24 નવા સ્થાનોને વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન આપ્યું છે, જેમાં આસામનું મોઇદામ પણ સામેલ છે.

જુલાઇ 29, 2024 8:17 પી એમ(PM)

views 22

યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલનો અનુરોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્યપાલે 2036 માં રાજ્યના યજમાનપદે થનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે અત્યારથી જ દરેક યુનિવર્સિટીને પોતાના રમત ગમત વિભાગને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ યુવાનોને રમતગમતમાં વિશેષ રૂ...

જુલાઇ 29, 2024 2:42 પી એમ(PM)

views 19

દેશમાં નોકરીઓની કોઈ અછત નથી :શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયા

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને વર્તમાન સરકારના નીતિવિષયક પગલાંને કારણે દેશમાં બેરોજગારીનો દર ઘટીને 3.2 ટકા થયો છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ આશા વ્યક્ત કરી કે આગામી વર્ષોમાં બેરોજગારીનો દર 3 ટકાથી નીચે આવી ...

જુલાઇ 28, 2024 1:50 પી એમ(PM)

views 15

પેરિસ ઓલિમ્પિકમાં આજે જુદી જુદી રમતોમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકનો પ્રથમ દિવસ ભારતીય ખેલાડીઓ માટે સિદ્ધિઓથી ભરેલો રહ્યો હતો.. 10 મીટર એર રાઈફલ વિમેન્સ ઈવેન્ટમાં, મનુ ભાકરે 580 પોઈન્ટ અને 27 ઈનર્સના કુલ સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન મેળવ્યા બાદ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય પુરૂષહોકી ટીમે પણ ગઈકાલે રાત્રે યવેસ-ડુ-મનોઈર સ્ટેડિયમ ખાતે...

જુલાઇ 22, 2024 7:38 પી એમ(PM)

views 14

છેલ્લા પાંચ વર્ષમાં જલ જીવન મિશન (JJM) – હર ઘર જલ હેઠળ ગ્રામીણ પરિવારોને લગભગ 11 કરોડ 75 લાખ નળના જોડાણો આપવામાં આવ્યા

સરકારે જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં જલ જીવન મિશન (JJM) - હર ઘર જલ હેઠળ ગ્રામીણ પરિવારોને લગભગ 11 કરોડ 75 લાખ નળના જોડાણો આપવામાં આવ્યા છે. જલ શક્તિ રાજ્ય મંત્રી વી. સોમન્નાએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઓગસ્ટ 2019માં જ્યારે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું ...

જુલાઇ 21, 2024 3:20 પી એમ(PM)

views 19

દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો

દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો છે. સમુદ્રકિનારા વિસ્તારમાં પોલીસની બાજ નજરને કારણે મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપાયું હતું.. અંદાજે 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11 કરોડ 84 લાખ રૂપિયાની કિંમત હોવાન...

જુલાઇ 19, 2024 8:18 પી એમ(PM)

views 14

નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો

નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના હસ્તે જવાનોને સમ્માનિત કરાયા હતા. આસમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના ઉપસ્થિત રહ્યા હતા.

જુલાઇ 19, 2024 7:56 પી એમ(PM)

views 27

આગામી 23મી જુલાઇએ રજૂ થનારું બજેટ દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું

આગામી 23મી જુલાઇએ રજૂ થનારું બજેટ દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે તેથી તે દેશને આર્થિક પ્રગતિએ લઈ જવા માટેનું બજેટ બની રહેશે. અમદાવાદ ખાતે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું.. શ્રી આઠવલેએ બજેટ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે 3 કરોડ લો...

જુલાઇ 12, 2024 3:22 પી એમ(PM)

views 17

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે. 40 કરોડ રૂપિયાના ખર્ચે અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આ કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ સાથે રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા કુલ 17 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.