ડીડી ન્યૂઝ

ઓક્ટોબર 11, 2024 7:56 પી એમ(PM)

views 15

છત્તીસગઢમાં માઓવાદીઓને શસ્ત્રોના પુરવઠાના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-એનઆઈએ છત્તીસગઢમાં માઓવાદીઓને શસ્ત્રોના પુરવઠાના કેસમાં સંડોવાયેલા મનાતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ઉત્તરપ્રદેશના વતની છે. આજની ધરપકડ સાથે એનઆઈએ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા વધીને છ થઈ છે. તપાસ સંસ્થાએ જણાવ્યું છે કે, આ બંને આરોપીઓ માઓવાદીઓને શસ...

ઓક્ટોબર 10, 2024 7:54 પી એમ(PM)

views 15

દક્ષિણ કેમેરૂનમાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયાં છે. અને 10 જણાંને ઇજા થઇ છે

દક્ષિણ કેમેરૂનમાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયાં છે. અને 10 જણાંને ઇજા થઇ છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ બસ અને ટ્રક અથડાતાં 15 મુસાફરોના મોત નિપજ્યાં હતાં. ઇજાગ્રસ્તોમાંથી ઘણાની તબિયત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ઓક્ટોબર 6, 2024 8:10 પી એમ(PM)

views 23

હરિયાણા, જમ્મુ-કાશ્મીરના તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા

મંગળવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મતગણતરી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતગણતરી સુચારુ રીતે થાય તે માટે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગઈકાલે રાજ્યની તમામ 90 બેઠકો પર લગભગ 67 ટકા મતદાન ...

ઓક્ટોબર 6, 2024 8:06 પી એમ(PM)

views 32

હોકી ઈન્ડિયાએ સુલતાન જોહોર કપ માટે જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ આજે મલેશિયામાં સુલતાન જોહોર કપની 12મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 18 સભ્યોની જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત કરી છે. નવ-નિયુક્ત મુખ્ય કોચ પી. આર. શ્રીજેશ મલેશિયામાં ટીમનું નેતૃત્વ કરશે જ્યારે આમિર અલી કેપ્ટન અને રોહિતને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત આ મહિનાની 19મીએ જાપાન સામે...

ઓક્ટોબર 2, 2024 4:07 પી એમ(PM)

views 12

સાઉદી અરબીયાના રિયાધના ભારતીય દૂતાવાસ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અને સેનિટેશન આયોજનમાં દૂતવાસના તમામ કર્મચારી અને અધિકારી જોડાય હતા

સાઉદી અરબીયાના રિયાધના ભારતીય દૂતાવાસ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અને સેનિટેશન આયોજનમાં દૂતવાસના તમામ કર્મચારી અને અધિકારી જોડાય હતા.સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે 17 મી સપ્ટેમ્બર થી 2 જી ઓકટોબર સુધી આ સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા કાર્ય કરાશે.આ ઉપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત 1500 વૃક્ષો વાવી...

ઓક્ટોબર 1, 2024 7:46 પી એમ(PM)

views 9

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે 108 સેવાની 100 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે 108 સેવાની 100 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા એચ. જી. કોશિયા એ પણ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની 10 ગાડીનું અને 38 આઈસીયુ ઓન વ્હીલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.. નવીન એમ્બ્યુલન્સ શરૂ કરવાથી જૂની 100 એમ્બ્યુલન્સને બંધ કરવામાં આવશે. જ...

સપ્ટેમ્બર 22, 2024 7:26 પી એમ(PM)

views 12

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢમાં એક ચિંતન શિબિર યોજાઈ

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢમાં એક ચિંતન શિબિર યોજાઈ ગઈ. વેટરનરી કોલેજ ખાતે રાજ્યકક્ષાની ચિંતન શિબિરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે રાજ્યભરના પશુપાલન અને ડેરી ક્ષેત્રના નિષ્ણાંતોને પ્રવર્તમાન...

સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM)

views 16

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિ...

સપ્ટેમ્બર 21, 2024 10:35 એ એમ (AM)

views 19

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- 'આપ'ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આમ આદમી પાર્ટી-'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટન...

સપ્ટેમ્બર 20, 2024 9:26 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડનાં રાંચીમાં ICAR -નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડની રાજધાની રાંચીમાં નામકુમ ખાતે ICAR - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે. આ સંસ્થાએ નવીનીકરણ દ્વારા 100 કરોડ રૂપિયાની વધારાની આવક પેદા કરી છે અને દેશમાં લાખના ઉત્પાદનને સ્થિરતા આપી છે. આ પ્રસં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.