ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ-IPL 17મે ના રોજ ફરી શરૂ થવાની જાહેરાત કરી છે. ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી નવ મે ના રોજ IPL ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17મે ના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. મોહાલી અને ધર્મશાળામાં IPL 2025ની કોઈ મેચ રમાશે નહીં. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ, જે પહેલા અમદાવાદમાં રમવાની હતી, હવે 26મે ના રોજ જયપુરમાં રમાશે.IPLની ફાઇનલ હવે ત્રણ જૂને રમાશે, જ્યારે પ્લેઓફ 29મે થી રમાશે. પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેની જાહેરાત પછીથી કરવામાં આવશે. પ્લેઓફ 29મે ના રોજ પ્રથમ ક્વોલિફાયર સાથે શરૂ થશે, બીજી ક્વોલિફાયર એક જૂને યોજાશે.
Site Admin | મે 13, 2025 7:39 એ એમ (AM)
BCCIએ IPL 17 મે-એ ફરી શરૂ થવાની જાહેરાત કરી
