નવેમ્બર 27, 2025 3:50 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:50 પી એમ(PM)

views 5

વલસાડમાં આજથી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો.

વલસાડમાં આજથી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને 241 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ આજે સવારે અમદાવાદ રેલવેમથકથી વંદે ભાર...

નવેમ્બર 27, 2025 3:48 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:48 પી એમ(PM)

views 12

ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની

ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની છે. B. M. કૉમર્સ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી સ્પર્ધામાં આ વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક મેળવતા તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

નવેમ્બર 27, 2025 3:45 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:45 પી એમ(PM)

views 10

ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થશે

ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થશે. વર્ષ 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણિતા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મેળા પરિસર, પ્રવેશદ્વાર, મુખ્યમંદિરોને આવરી લેતા અત્યાધુનિક CCTV કૅમેરાનું નૅટવર્ક ગોઠવવામાં આવ્યું છે.

નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 27, 2025 3:26 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:26 પી એમ(PM)

views 10

ડાંગમાં S.I.R. માટેના ગણતરીપત્રક અને ડિજિટાઇઝૅશનની ઉત્તમ કામગીરી કરનારા બૂથ સ્તરના અધિકારી – BLOનું સન્માન કરાયું

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ડાંગમાં S.I.R. માટેના ગણતરીપત્રક અને ડિજિટાઇઝૅશનની ઉત્તમ કામગીરી કરનારા બૂથ સ્તરના અધિકારી – BLOનું સન્માન કરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ BLO ઉમેશ દેસાઈ, યોગિતા ગાંગુર્ડે, રઘુભાઈ સૂર્યવંશીને પ્રશસ્તિપત્ર એન...

નવેમ્બર 27, 2025 2:24 પી એમ(PM) નવેમ્બર 27, 2025 2:24 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વને માર્ગદર્શન આપવામાં વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું છે. નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025માં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સશસ્ત્ર દળોએ દરેક સુરક્ષા પડકાર દરમિયાન નોંધપાત્ર અનુકૂલનક્ષમતા અને સ...

નવેમ્બર 27, 2025 2:23 પી એમ(PM) નવેમ્બર 27, 2025 2:23 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરના વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, શ્રી મોદીએ ભાર મૂક્યો કે સરકારે ભારતના અવકાશ ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સુધારાઓ હાથ ધર્યા છે. તેમણે કહ્યું ...

નવેમ્બર 27, 2025 2:25 પી એમ(PM) નવેમ્બર 27, 2025 2:25 પી એમ(PM)

views 6

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી નેશનલ હાઇવે ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં ગુણવત્તા વાળા રસ્તા બનાવવાની તાકીદ કરાઇ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગઇકાલે મોડી સાંજે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ના અધિકાર...

નવેમ્બર 27, 2025 2:12 પી એમ(PM) નવેમ્બર 27, 2025 2:12 પી એમ(PM)

views 16

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું ૨૦૨૫-૨૬માં ભારતનું અર્થતંત્ર ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF એ એક અનુમાનમાં જણાવ્યું કે, વર્ષ 2025-26માં ભારતનું અર્થતંત્ર 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. વસ્તુ અને સેવા કર સુધારાઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની પ્રતિકૂળ અસરથી દેશને બચાવવામાં મદદ કરશે તેમ અહેવાલમાં જણાવાયું છે. ભારતનું અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્...

નવેમ્બર 27, 2025 2:10 પી એમ(PM) નવેમ્બર 27, 2025 2:10 પી એમ(PM)

views 14

શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧ થયો

શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧ થઈ ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર, જિલ્લામાં સાત સ્થળોએ ભારે વરસાદને કારણે થયેલી ઘટનાઓ બાદ સાત લોકો ગુમ થયા છે. ભારે વરસાદને કારણે જમીન ધસી જવાની ઘટનામાં બચાવ અને રાહત કામગીરી થઇ રહી છે. અધિકારીઓના અહેવાલ મુજબ બદુલ્લાના ઘણા ભાગમાં ભૂસ્ખલન થયા...