જાન્યુઆરી 12, 2026 1:57 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી અને જર્મનીના વાઇસ ચાન્સેલરે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત બાદ આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો આરંભ કરાવીને પતંગ ચગાવી.

પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતના આજે અંતિમ દિવસે શ્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટમાં યોજાયેલા આંતરારાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ ઉપસ્થિત રહી પતંગ ચગાવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં 50 દેશોના 135 પતંગબાજોની સાથે દેશના 13 રાજ્...

જાન્યુઆરી 12, 2026 3:16 પી એમ(PM)

views 8

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક શાશ્વત, સ્વપ્નદ્રષ્ટા અને આધ્યાત્મિક વ્યક્તિત્વ હતા. તેમણે ભારતના શાશ્વ...

જાન્યુઆરી 12, 2026 1:54 પી એમ(PM)

views 3

કરૂર ભાગદોડ મુદ્દે ટીવીકેના વડા અને અભિનેતા વિજય, નવી દિલ્હી સ્થિત સીબીઆઇ મુખ્યાલય પહોંચ્યા.

તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના વડા અને અભિનેતા વિજય, કરુર ભાગદોડ દુર્ઘટનાની તપાસના સંદર્ભમાં નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના મુખ્યાલય પહોંચ્યા છે. આ ઘટનામાં 41 લોકોના મોત થયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટીવીકે દ્વારા અભિનેતામાંથી રાજકારણી બનેલા અને પાર્ટીના સ્થાપક વિજયના ...

જાન્યુઆરી 12, 2026 1:52 પી એમ(PM)

views 4

સરકારે જણાવ્યું છે કે, દેશમાં માછલીનું ઉત્પાદન 106 ટકાના વધારા સાથે 2024-25માં 198 લાખ ટન થયું.

સરકારે જણાવ્યું છે કે, દેશમાં માછલીનું ઉત્પાદન વર્ષ 2013-14માં ૯૫ લાખ ટનથી 106 ટકાના વધારા સાથે 2024-25માં આશરે 198 લાખ ટન થયું છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, મત્સ્યઉદ્યોગ અને જળચરઉદ્યોગ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આશરે ત્રણ કરોડ માછીમારો અ...

જાન્યુઆરી 12, 2026 10:02 એ એમ (AM)

views 8

આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ, બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે આગામી બે દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં શીત લહેરની સ્થિતિ જોવા મળી શકે છે.

જાન્યુઆરી 12, 2026 10:01 એ એમ (AM)

views 22

સુરત પોલીસે એક હજાર 550 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસમાં ચારની ધરપકડ કરી

સુરત પોલીસે એક હજાર 550 કરોડના સાયબર છેતરપિંડીના કેસમાં ચારની ધરપકડ કરી છે.ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું કે, પોલીસે બાતમીના આધારે આરોપીઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ એક કરોડ 92 લાખની રોકડ, સોનું, ચાંદી, હીરા અને બે કરોડ 60 લાખની અન્ય સંપત્તિ જપ્ત કરી છે .

જાન્યુઆરી 12, 2026 10:00 એ એમ (AM)

views 19

વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સમાં રિલાયન્સ જૂથે પાંચ વર્ષમાં સાત લાખ કરોડ અને અદાણી જૂથે દોઢ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગઇકાલે રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજીઓનલ સમિટમાં ઉદ્યોગકારોએ પોતાના આગામી રોકાણની જાહેરાત કરી. રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણીએ ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં રોકાણ ડબલ કરીને સાત લાખ કરોડ રૂપિયાનું કરવાની જાહેરાત કરી હતી.જ્યારે અદાણી જૂથના મેનેજિંગ ડિરેકટર કરણ અદાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું...

જાન્યુઆરી 12, 2026 9:58 એ એમ (AM)

views 8

રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21મી સદીના ઉભરતા ભારતની તસવીર ગણાવી

રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ 2026નું ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ફક્ત સમિટ નથી. આ 21મી સદીના ઉભરતા ભારતની તસવીર છે. તેમણે ઉમેર્યું એક સપનાથી શરૂ થયેલી આ યાત્રા આજે એક અતૂટ વિશ્વાસ સુધી પહોંચી શકી છે.તેમણે દેશ-વિદેશથી આવેલા વ્યાપાર જગતના પ્રતિનિધિઓ જણાવ્યું ...

જાન્યુઆરી 12, 2026 9:55 એ એમ (AM)

views 12

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત રોહિંગ્યા સમુદાય પર થયેલા કથિત અત્યાચારો બદલ ગામ્બિયા દ્વારા મ્યાનમાર સામે દાખલ કરાયેલા નરસંહાર કેસમાં આજે સુનાવણી શરૂ કરશે

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત રોહિંગ્યા સમુદાય પર થયેલા કથિત અત્યાચારો બદલ ગામ્બિયા દ્વારા મ્યાનમાર સામે દાખલ કરાયેલા નરસંહાર કેસમાં આજે સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી 29 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ કેસ ઉત્તરી રાખાઇન રાજ્યમાં 2017માં મ્યાનમારના લશ્કરી કાર્યવાહી સાથે સંબંધિત છે. આ કાર્યવાહીને કારણે 7 લાખથી...

જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

views 4

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો છે. અમેરિકા સ્થિત માનવાધિકાર કાર્યકર્તા એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં 490 વિરોધીઓ અને 48 સુરક્ષા દળોના સભ્યોનો સમાવેશ થાય છે. એજન્સીએ ચેતવણી આપી કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. તેણે એમ પણ અહેવાલ આપ્યો છે કે 10,600થી વધુ લોકોની અટકાયત કરવા...