જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

views 3

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો.

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો છે. 78-મા ભારતીય સેના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સાહસિક અભિયાન આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં સેનાના 21 જવાન 400 કિલોમીટરનું અંતર કાપશે. અભિયાન દરમિયાન જવાનો રણની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓનો અનુભવ કરશે. તેમજ...

જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

views 12

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી ઍમ્બુલેન્સ સેવામાં અકસ્માતના 45 કેસ નોંધાયા.

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી ઍમ્બુલેન્સ સેવામાં અકસ્માતના 45 કેસ નોંધાયા. જ્યારે ધાબા પરથી પડવા અને દોરીથી ઇજાગ્રસ્ત થયાના 43 કેસ નોંધાયા છે. જ્યારે વિસનગરમાં 43 પક્ષી ઇજાગ્રસ્ત અને ત્રણ કબૂતરના મોત થયાના અહેવાલ છે.

જાન્યુઆરી 16, 2026 3:11 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં આવતીકાલે મહિલા રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે.

ગાંધીનગરમાં આવતીકાલે મહિલા રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે. ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ, સેક્ટર-૨૩, ખાતે યોજાનાર આ મેળામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ધોરણ ૮, ૧૦, ૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ., કોઈ પણ સ્નાતક કક્ષાનાં...

જાન્યુઆરી 16, 2026 2:06 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્ટાર્ટઅપ્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, આજે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ મિશન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના દસ વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ભારતના જીવંત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સભ્યો સાથે વાતચીત કરશે. શ્રી મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના દસ વર્ષ પૂર્ણ થવા પર દેશના સ્ટાર્...

જાન્યુઆરી 16, 2026 1:59 પી એમ(PM)

views 23

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 રજૂ કરશે

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 લાવશે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય નબળી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો તથા આબોહવા-સ્થિતિસ્થાપક જાતોને પ્રોત્સાહન આપવાનો છે. વધુમા...

જાન્યુઆરી 16, 2026 1:57 પી એમ(PM)

views 14

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વર્ષ 2026 માટે આંકડાશાસ્ત્રમાં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આંકડાશાસ્ત્ર 2026 માં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી છે. તે ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય અને સત્તાવાર આંકડાશાસ્ત્રની પ્રણાલીમાં સુધારો કરવા માટે યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનિત કરે છે. 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજી કરી શકાય છે...

જાન્યુઆરી 16, 2026 1:56 પી એમ(PM)

views 5

જમ્મુ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી.

જમ્મુ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હોવાના અહેવાલ છે.ગઈકાલે સાંજે પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાના સંવેદનશીલ વિસ્તારો અને સાંબા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ પ્રથમ પૂંચ જિલ્લામાં દિગવા...

જાન્યુઆરી 16, 2026 1:54 પી એમ(PM)

views 7

ભારતીય ખેલાડી લક્ષ્ય સેન આજે ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં રમશે.

આજે નવી દિલ્હીમાં યોજાનાર ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના લિન ચુન-યી સામે થશે. અગાઉ, રાઉન્ડ ઓફ 16 મેચમાં લક્ષ્ય સેને જાપાનના કેન્ટા નિશિમોટોને સીધી ગેમમાં પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો...

જાન્યુઆરી 16, 2026 3:17 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક દિવસની કલેક્ટર પરિષદનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક દિવસની કલેક્ટર પરિષદનો પ્રારંભ કરાવ્યો. તેમાં i-ORA એટલે કે, સંકલિત ઑનલાઈન મહેસુલી અરજી – ઈ ધરા સહિતની કામગીરીની સમીક્ષા અને વિગતવાર ચર્ચા કરાશે. તેમજ મહેસુલ વિભાગના વિવિધ પ્રગતિ હેઠળના કામ અને ભાવિ આયોજન, જમીનને લગતી કામગીરી અને સંકલિત કાયદા તથા ઠરાવ, પડતર...

જાન્યુઆરી 16, 2026 9:54 એ એમ (AM)

views 20

પોરબંદરમાં કરુણા અભિયાન અંતર્ગત 58 પશુ-પક્ષીના જીવ બચાવાયા

પોરબંદરમાં કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન નિયામક વિભાગ દ્વારા 6 એમ્બ્યુલન્સ મુકી 58 પશુ-પક્ષીના જીવ બચાવાયા હતા. મકરસંક્રાંતિ નિમિતે પતંગના દોરથી પશુ-પક્ષીઓ ઇજાગ્રસ્ત બનતા હોય છે, અને આવા ઇજાગ્રસ્ત પશુ-પક્ષીની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે પોરબંદરના પશુ પાલન વિભા...