નવેમ્બર 26, 2025 2:33 પી એમ(PM) નવેમ્બર 26, 2025 2:33 પી એમ(PM)

views 1

સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ક્રિકેટમાં આજે ગુજરાત અને સર્વિસીઝ વચ્ચેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો.

સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ક્રિકેટમાં આજે ગુજરાત અને સર્વિસીઝ વચ્ચેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હૈદરાબાદમાં જિમખાના મૅદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સર્વિસીઝ ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 182 રન બનાવ્યાં. જવાબમાં ગુજરાતે 12 ઑવર ત્ર...

નવેમ્બર 26, 2025 2:30 પી એમ(PM) નવેમ્બર 26, 2025 2:30 પી એમ(PM)

views 2

ભાવનગરમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલ દ્વારા લિખિત “માય ડિપ્રેશન ડાયરી” પુસ્તકનું વિમોચન કરાયું.

ભાવનગરમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલ દ્વારા લિખિત “માય ડિપ્રેશન ડાયરી” પુસ્તકનું વિમોચન કરાયું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ડિપ્રેશન એટલે કે, હતાશા અંગે પોતાના જૂના અનુભવ લોકો સમક્ષ મુક્યા. તેમણે કહ્યું, કોઈ પણ પ્રકારની ચિંતા વગર પ્રયાસ કરાય તો ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર આવી શકાય છે. કલેક્ટરશ્...

નવેમ્બર 26, 2025 2:29 પી એમ(PM) નવેમ્બર 26, 2025 2:29 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા બગીચામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા બગીચામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015થી દર વર્ષે 26 નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

નવેમ્બર 26, 2025 2:28 પી એમ(PM) નવેમ્બર 26, 2025 2:28 પી એમ(PM)

views 6

ગુજરાત વિધાનસભામાં પૉડિઅમ ખાતે બંધારણ દિવસ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણનું પૂજન અને આમુખનું વાંચન કરાયું.

ગુજરાત વિધાનસભામાં પૉડિઅમ ખાતે બંધારણ દિવસ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણનું પૂજન અને આમુખનું વાંચન કરાયું. રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત ઉપસ્થિત તમામ લોકોએ બંધારણના આમુખનું સામૂહિક વાંચન કર્યું. આ પ્રસંગે શ્રી ચૌધરીએ કહ્યું, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધાર...

નવેમ્બર 26, 2025 2:27 પી એમ(PM) નવેમ્બર 26, 2025 2:27 પી એમ(PM)

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને દમણ ઍડ્વોકેટ્સ બાર ઍસોસિએશન દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને દમણ ઍડ્વોકેટ્સ બાર ઍસોસિએશન દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. અદાલત પરિસરમાં કરાયેલી ઉજવણી દરમિયાન ન્યાયાધીશો દ્વારા બંધારણ અંગે લોકોમાં જાગૃતિ અને તેના ઉપયોગ અંગે માહિતી અપાઈ. સાથે જ ભારતીય બંધારણ અંગે લઘુ ફિલ્મ પણ દર્શાવવામાં આવી.

નવેમ્બર 26, 2025 1:59 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:59 પી એમ(PM)

views 5

નવી દલ્હીના સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી

સ્વતંત્ર ભારતમાં 1949માં આજના દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય સંસદ વિશ્વભરના ઘણા દેશો માટે એક ઉદાહરણર...

નવેમ્બર 26, 2025 1:58 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:58 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખીને ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કરીને બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખ્યો છે. રાષ્ટ્રની પ્રગતિને માર્ગદર્શન આપવામાં બંધારણની કાયમી ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ તેમના પત્રમાં નોંધ્યું છે કે ૨૦૧૫માં સરકારે પવિત્ર દસ્તાવેજનું સન્માન કરવા માટે ૨૬ નવ...

નવેમ્બર 26, 2025 1:57 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:57 પી એમ(PM)

views 1

ગુજરાતના કમરસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ કરાવ્યો હતો. ૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્...

નવેમ્બર 26, 2025 1:56 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:56 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત રોકાણ અને નવીન...

નવેમ્બર 26, 2025 1:55 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:55 પી એમ(PM)

views 1

26 નવેમ્બર 2008માં મુંબઈ આતંકી હુમલામાં જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી

વર્ષ 2008ની 26 મી નવેમ્બરે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. તેની યાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્ર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. તેમણે દર...