જાન્યુઆરી 22, 2026 5:12 પી એમ(PM)

views 1

સુરેન્દ્રનગરના થાનગઢમાં તંત્ર દ્વારા 260 જેટલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગરના થાનગઢમાં તંત્ર દ્વારા 260 જેટલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. હાલ 210 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવી રહ્યું હોવાનું નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું.

જાન્યુઆરી 22, 2026 4:49 પી એમ(PM)

અરવલ્લીમાં વાતાવરણમાં પલટાની આગાહીને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિશેષ જાણકારી આપવામાં આવી

અરવલ્લીમાં વાતાવરણમાં પલટાની આગાહીને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિશેષ જાણકારી આપવામાં આવી છે. તે મુજબ, કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા ખેડૂતોને તકેદારી રાખવા જણાવાયું છે. આ અંગે ખેતીવાડી અધિકારી પી. બી. પરમારે વધુ માહિતી આપી.

જાન્યુઆરી 22, 2026 4:42 પી એમ(PM)

views 3

મહેસાણાના કડી નજીક આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ પક્ષીઓની વાર્ષિક ગણતરી કરાશે

મહેસાણાના કડી નજીક આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ પક્ષીઓની વાર્ષિક ગણતરી કરાશે. જળાશયમાં આવતા દેશી અને વિદેશી પક્ષીઓની ગણતરીને ધ્યાને રાખી આ બંને દિવસ અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે. પક્ષી ગણતરીની કામગીરીમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે વિશેષ કાળજી રાખવા પણ તંત્...

જાન્યુઆરી 22, 2026 4:35 પી એમ(PM)

views 3

જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે ભરતી મેળો યોજાશે

જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે ભરતી મેળો યોજાશે.બહુમાળી ભવનના પહેલા માળે “બી” વિન્ગમાં આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં આ મેળો યોજાશે. તેમાં અમદાવાદ, જુનાગઢની ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ જગ્યા માટે ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપી શકશે.

જાન્યુઆરી 22, 2026 4:26 પી એમ(PM)

views 2

પાટણમાં આવતીકાલે 23 જાન્યુઆરીથી 10 દિવસ સુધી એક જ સમયે પાણી પૂરવઠો અપાશે

પાટણમાં આવતીકાલે 23 જાન્યુઆરીથી 10 દિવસ સુધી એક જ સમયે પાણી પૂરવઠો અપાશે. GUDC – ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા ચાલી રહેલા ભૂગર્ભ અને પીવાના પાણીની પાઈપલાઈન નૅટવર્કના કારણે નગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. આ કામગીરી દરમિયાન ખોરસમથી પાટણ આવતો નર્મદાનો પાણીનો પ્રવાહ રોકવામાં આવશે. તેના કારણે સિદ્ધિ સરોવર...

જાન્યુઆરી 22, 2026 4:14 પી એમ(PM)

views 1

સશક્ત વૃદ્ધિ અને વ્યાપક ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વડે છેલ્લા દાયકામાં ભારતે એક મહત્વપૂર્ણ વૈશ્વિક આર્થિક શક્તિમાં પરિવર્તન જોયું

સશક્ત વૃદ્ધિ અને વ્યાપક ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વડે છેલ્લા દાયકામાં ભારતે એક મહત્વપૂર્ણ વૈશ્વિક આર્થિક શક્તિમાં પરિવર્તન જોયું છે,કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્...

જાન્યુઆરી 22, 2026 4:04 પી એમ(PM)

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.શ્રી મોદીને નજીકના મિત્ર ગણાવતા, શ્રી ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને અમેરિકા વેપાર કરાર પર પહોંચશે. આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે વોશિંગ્ટન અને નવી દિલ્હી વેપાર કરારના મ...

જાન્યુઆરી 22, 2026 3:55 પી એમ(PM)

views 1

ભારત અને યુરોપિયન સંઘ આગામી સપ્તાહે નવી દિલ્હીમાં EU-ભારત સમિટમાં નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે

ભારત અને યુરોપિયન સંઘ આગામી સપ્તાહે નવી દિલ્હીમાં EU-ભારત સમિટમાં નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે. EU વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે ગઈકાલે સાંજે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ ખાતે યુરોપિયન સંસદને સંબોધતા આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યું હતું કે, આ કરા...

જાન્યુઆરી 22, 2026 3:49 પી એમ(PM)

views 1

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલમાં આજે સવારે સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદી) બળવાખોરો વચ્ચે અથડામણ થઈ

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલમાં આજે સવારે સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદી) બળવાખોરો વચ્ચે અથડામણ થઈ.કોબ્રા, ઝારખંડ જગુઆર અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન છોટાનાગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અથડામણ થઈ, જેમાં પ્રાથમિક અહેવાલો મુજબ માઓવાદીઓમાં જાનહાનિ થઈ ...

જાન્યુઆરી 22, 2026 3:47 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ચેન્નાઈ ખાતે તેમના નિવાસસ્થાને AIADMK ના મહાસચિવ અને રાજ્ય વિપક્ષના નેતા એડાપ્પડી પલાનીસામીને મળ્યા.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ચેન્નાઈ ખાતે તેમના નિવાસસ્થાને AIADMK ના મહાસચિવ અને રાજ્ય વિપક્ષના નેતા એડાપ્પડી પલાનીસામીને મળ્યા. તેમની સાથે ભૂતપૂર્વ રાજ્ય ભાજપ વડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને રાજ્ય ભાજપ વડા નૈનાર નાગેન્દ્રન અને અન્ય રાજ્ય ભાજપના દિગ્ગજો હ...