જાન્યુઆરી 24, 2026 3:10 પી એમ(PM)

ગાંધીનગરમાં ચિલોરા BSF કૅમ્પ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, BSFના I.G. અમિત પાઠક અને મેળામાં આવેલા ઉમેદવાર હાજર રહ્યા.

ગાંધીનગરમાં ચિલોરા BSF કૅમ્પ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, BSFના I.G. અમિત પાઠક અને મેળામાં આવેલા ઉમેદવાર હાજર રહ્યા હતા. આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી બાંભણિયાએ કહ્યું, ગાંધીનગરમાં 242 જેટલા ઉમેદવારને સરકારી નોકરી માટે નિમણૂકપત્રનું વર્ચ્યૂઅલ વિતરણ ક...

જાન્યુઆરી 24, 2026 3:07 પી એમ(PM)

views 2

મહિલાઓની પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો થશે.

મહિલાઓની પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં કોટમ્બીના BCA સ્ટૅડિયમમાં આજે સાંજે સાડા સાત વાગ્યે આ 15-મી મૅચ શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ સ્મૃતિ મંધાના અને દિલ્હી કૅપિટલ્સની ટીમ જેમિમાહ રોડ્રીગ્ઝની આગેવાની હેઠળ મેદા...

જાન્યુઆરી 24, 2026 3:06 પી એમ(PM)

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આજે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આજે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. તેમણે શાળાના અગ્રણીઓ પાસેથી શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે માહિતી મેળવી. શાળાના આચાર્ય મહિપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા...

જાન્યુઆરી 24, 2026 3:05 પી એમ(PM)

views 1

રાજ્યભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પુરજોશમાં..

રાજ્યભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે રીહર્સલ પરેડનું નિરીક્ષણ કર્યું. ઉપરાંત શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો રજૂ કરાયા. પંચમહાલમાં જિલ્લા કક્ષાના ...

જાન્યુઆરી 24, 2026 3:04 પી એમ(PM)

અરવલ્લીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી 100 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું.

અરવલ્લીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી 100 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. તેના કારણે ડાબા કાંઠાના માલપુર અને બાયડ તાલુકામાં ત્રણ હજાર જેટલા ખેડૂતોને રવિ પાકના સિંચન માટે પાણી મળી રહેશે તેમ વાત્રક નહેર સિંચાઈ વિભાગના અધિકારી સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ 25 ...

જાન્યુઆરી 24, 2026 2:06 પી એમ(PM)

views 2

દેશભરના 45 સ્થળોએ યોજાયેલા 18મા રોજગાર મેળામાં પ્રધાનમંત્રીએ 61 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશ અને વિદેશમાં યુવાનો માટે નવી તકો ઊભી કરવા માટે પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારત અનેક દેશો સાથે વેપાર, ગતિશીલતા કરારો પર હસ્તાક્ષર કરી રહ્યું છે જે દેશના કુશળ યુવાનો માટે તકો પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીથી 18મા રાષ્ટ્રીય ર...

જાન્યુઆરી 24, 2026 3:12 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 130મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

જાન્યુઆરી 24, 2026 2:03 પી એમ(PM)

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ જમાત-એ-ઇસ્લામીને બાંગ્લાદેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ મિર્ઝા ફખરુલે જમાત-એ-ઇસ્લામીને બાંગ્લાદેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે, જેમાં તેમણે 1971 ના મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કર્યો છે. ઠાકુરગાંવમાં એક ચૂંટણી રેલીમાં બોલતા, ફખરુલે કહ્યું કે દેશ એવી શક્તિઓના હાથમાં સુરક્ષિત રહી શકે નહીં જે બાંગ્લ...

જાન્યુઆરી 24, 2026 2:02 પી એમ(PM)

views 1

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે ઈરાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ટિકા કરી.

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે ઈરાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ટિકા કરી છે અને સરકાર વિરોધી પ્રદર્શનો પર કડક કાર્યવાહીની તપાસનો આદેશ આપ્યો છે, જેના કારણે હજારો લોકો માર્યા ગયા છે. જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના કટોકટી સત્ર દરમિયાન, હાઈ કમિશનર વોલ્કર તુર્કે ધરપકડ કરાયેલાઓ પ્રત્યે ...

જાન્યુઆરી 24, 2026 3:11 પી એમ(PM)

views 1

ગુજરાત, દમણ અને દિવ નૅવલ ઍરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ રિઅર ઍડમિરલ તનુ ગુરુએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી.

ગુજરાત, દમણ અને દિવ નૅવલ ઍરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ રિઅર ઍડમિરલ તનુ ગુરુએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી. વર્ષ 1995-માં ભારતીય નૌસેનામાં જોડાયેલા શ્રી તનુ ગુરુ વર્ષ 2025ના નવેમ્બર મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નૅવલ ઍરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ તરીકે નિયુક્ત થયા ...