જાન્યુઆરી 16, 2026 3:19 પી એમ(PM)

ગાંધીનગરમાં આજે આ વર્ષની પહેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ.

ગાંધીનગરમાં આજે આ વર્ષની પહેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં થયેલા સમજૂતી કરારના ઝડપી અમલીકરણ, ફેબ્રુઆરીમાં યોજાનારી અંદાજપત્ર સત્રની...

જાન્યુઆરી 16, 2026 3:15 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌથી પહેલા તેઓ ઝવેરચંદ મેઘાણી સભાગૃહ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 156 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ જવાહર મેદાનમાં નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય શિબિરની મુલાકાત લેશે....

જાન્યુઆરી 16, 2026 3:14 પી એમ(PM)

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ લોકોની શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ જાગૃતિ અંગે સન્ડે ઑન સાઈકલ મુહીમ શરૂ કરી

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ લોકોની શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ જાગૃતિ અંગે સન્ડે ઑન સાઈકલ મુહીમ શરૂ કરી છે. એક વર્ષ પહેલા 40 કિલોમીટરથી શરૂ થયેલી આ સાઈકલયાત્રા 150 કિલોમીટર સુધી પહોંચી છે. સાઈકલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.

જાન્યુઆરી 16, 2026 3:13 પી એમ(PM)

કચ્છમાં આજે ફરી ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાયા હતા.

કચ્છમાં આજે ફરી ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાયા હતા. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, સવારે પાંચ વાગ્યેને 47 મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાપરના ખેંગારપર નજીક નોંધાયું હતું. જ્યારે રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા બે પૂર્ણાંક પાંચની માપવામાં આવી હતી.

જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો.

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો છે. 78-મા ભારતીય સેના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સાહસિક અભિયાન આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં સેનાના 21 જવાન 400 કિલોમીટરનું અંતર કાપશે. અભિયાન દરમિયાન જવાનો રણની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓનો અનુભવ કરશે. તેમજ...

જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

views 3

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી ઍમ્બુલેન્સ સેવામાં અકસ્માતના 45 કેસ નોંધાયા.

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી ઍમ્બુલેન્સ સેવામાં અકસ્માતના 45 કેસ નોંધાયા. જ્યારે ધાબા પરથી પડવા અને દોરીથી ઇજાગ્રસ્ત થયાના 43 કેસ નોંધાયા છે. જ્યારે વિસનગરમાં 43 પક્ષી ઇજાગ્રસ્ત અને ત્રણ કબૂતરના મોત થયાના અહેવાલ છે.

જાન્યુઆરી 16, 2026 3:11 પી એમ(PM)

views 3

ગાંધીનગરમાં આવતીકાલે મહિલા રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે.

ગાંધીનગરમાં આવતીકાલે મહિલા રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે. ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ, સેક્ટર-૨૩, ખાતે યોજાનાર આ મેળામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ધોરણ ૮, ૧૦, ૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ., કોઈ પણ સ્નાતક કક્ષાનાં...

જાન્યુઆરી 16, 2026 2:06 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્ટાર્ટઅપ્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, આજે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ મિશન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના દસ વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ભારતના જીવંત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સભ્યો સાથે વાતચીત કરશે. શ્રી મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના દસ વર્ષ પૂર્ણ થવા પર દેશના સ્ટાર્...

જાન્યુઆરી 16, 2026 1:59 પી એમ(PM)

views 1

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 રજૂ કરશે

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 લાવશે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય નબળી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો તથા આબોહવા-સ્થિતિસ્થાપક જાતોને પ્રોત્સાહન આપવાનો છે. વધુમા...

જાન્યુઆરી 16, 2026 1:57 પી એમ(PM)

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વર્ષ 2026 માટે આંકડાશાસ્ત્રમાં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આંકડાશાસ્ત્ર 2026 માં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી છે. તે ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય અને સત્તાવાર આંકડાશાસ્ત્રની પ્રણાલીમાં સુધારો કરવા માટે યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનિત કરે છે. 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજી કરી શકાય છે...