જાન્યુઆરી 19, 2026 2:21 પી એમ(PM)

views 287

મહિલા પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો થશે.

મહિલા પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં કોટમ્બીમાં આવેલા BCA સ્ટૅડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યે WPLની 12-મી મૅચ રમાશે. ગુજરાતની ટીમ ઍશલિ ગાર્ડનર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે.

જાન્યુઆરી 19, 2026 2:20 પી એમ(PM)

મહેસાણામાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ બહુચર માતાજીના ધામનો 13-મો પાટોત્સવ યોજાશે.

મહેસાણામાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ બહુચર માતાજીના ધામનો 13-મો પાટોત્સવ યોજાશે. બહુચરાજી તાલુકાના સંખલપુર ગામમાં આ પ્રસંગે બહુચર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરાયું છે. તેમાં ગુજરાત, મુંબઈ સહિત વિવિધ સ્થળેથી આવેલા 350થી વધુ આનંદના ગરબા મંડળ ભાગ લેશે. ભક્તો માટે રહેવા અને જમવાની ...

જાન્યુઆરી 19, 2026 2:20 પી એમ(PM)

જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગરથી 10 કરોડ 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના 15 વાહનોનું પ્રસ્થાન કરાવ્યું.

જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગરથી 10 કરોડ 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના 15 વાહનોનું પ્રસ્થાન કરાવ્યું. વરસાદી પાણીના સંગ્રહ અભિયાન હેઠળ રાજ્યભરમાં આ વાહનો બંધ, નહેર, તળાવના નિર્માણ અને સમારકામમાં મદદરૂપ થશે. નવા વાહનો દ્વારા વાર્ષિક અંદાજે 70 લાખ ઘન મીટરથી વધુ માટીકામ, હયાત નહેર સફાઈ, નડતર...

જાન્યુઆરી 19, 2026 2:18 પી એમ(PM)

સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચ લોકો દાઝી ગયાના અહેવાલ.

સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચ લોકો દાઝી ગયાના અહેવાલ છે. આ તમામને હાલ સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા છે. અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હોવાનું ચીફ ફાયર ઑફિસર રોહિત ખલાસીએ જણાવ્યું.

જાન્યુઆરી 19, 2026 2:17 પી એમ(PM)

રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો.

રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. દરમિયાન અનેક જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ જ રીતે મહીસાગર જિલ્લામાં પણ ધુમ્મસ છવાતા વાહનચાલકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જાન્યુઆરી 19, 2026 2:16 પી એમ(PM)

views 2

ગુજરાત પોલીસ ભરતી બૉર્ડ દ્વારા 13 હજાર 591 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

ગુજરાત પોલીસ ભરતી બૉર્ડ દ્વારા 13 હજાર 591 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તમામ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે 21 જાન્યુઆરીથી રાજ્યના નિર્ધારિત 15 શહેર, જિલ્લા, SRP જૂથ, તાલિમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્ર...

જાન્યુઆરી 19, 2026 2:11 પી એમ(PM)

views 1

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર વિકસિત ભારત જી રામ જી કાયદા અંગે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર વિકસિત ભારત જી રામ જી કાયદા અંગે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. નવી દિલ્હીમાં બોલતા, શ્રી ચૌહાણે જણાવ્યું કે મનરેગા કાયદા હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા અધિકારો ફક્ત કાગળ સુધી જ સીમિત રહ્યા. તેમણે ક...

જાન્યુઆરી 19, 2026 2:00 પી એમ(PM)

સંયુક્ત આરબ અમીરાત-UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સંયુક્ત આરબ અમીરાત-UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

જાન્યુઆરી 19, 2026 1:59 પી એમ(PM)

views 2

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓને શોધવા સેનાનું આક્રમક “ઓપરેશન ત્રાશી-I” ચલાવાયું.

જમ્મુ અને કાશ્મીરમાં, ગઈકાલે સાંજે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે , સેના ગઈકાલે બપોરથી આતંકવાદીઓને પકડવા અને મારવા માટે "ઓપરેશન ત્રાશી-I" ચલાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાતભર રોકાયા પછી સુરક્ષ...

જાન્યુઆરી 19, 2026 1:58 પી એમ(PM)

views 2

દેશમાં આવતી આપત્તિના સમયે ખડે પગે રહેનારા NDRFના સ્થાપના દિન પર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ આપત્તિ ના સમયે NDRF ના કર્મચારીઓ જીવનનું રક્ષણ કરવા, રાહત પૂરી પાડવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં આશા પુનઃસ્થાપિત ...