ડિસેમ્બર 4, 2025 7:34 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 7:34 પી એમ(PM)

views 1

રાજ્યની વૉલીબૉલ ટીમે મધ્યપ્રદેશમાં રમાયેલી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

રાજ્યના 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ટીમે વૉલીબૉલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મધ્યપ્રદેશના ગદરવાડા ખાતે યોજાયેલી 69-મી ભારતીય શાળા રમતગમત મહામંડળની વૉલીબૉલ સ્પર્ધામાં રાજ્યની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રમતગમત સત્તામંડળે આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ સત...

ડિસેમ્બર 4, 2025 2:51 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 2:51 પી એમ(PM)

views 3

ભરૂચમાં છ અને સાત ડિસેમ્બરે ઍર શૉ યોજાશે.

ભરૂચમાં છ અને સાત ડિસેમ્બરે ઍર શૉ યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લા વ્યવસ્થાપન સંગઠન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લૅ ટીમ દ્વારા આ ઍર શૉનું આયોજન કરાયું છે. આ ઍર શૉ પહેલા સતત ત્રણ દિવસ સુધી ટીમ દ્વારા તાલીમ સાથે અભ્યાસ પણ કરાયો.

ડિસેમ્બર 4, 2025 2:47 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 2:47 પી એમ(PM)

ગીરસોમનાથમાં 108 ઍમ્બુલૅન્સના કર્મચારીએ દર્દીનો છ લાખ રૂપિયાથી વધુનો સામાન પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

ગીરસોમનાથમાં 108 ઍમ્બુલૅન્સના કર્મચારીએ દર્દીનો છ લાખ રૂપિયાથી વધુનો સામાન પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. અમારા પ્રતિનિધિ જણાવે છે, ગત રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ સોમનાથના ઉનાના શિલોજ ગામ પાસે અકસ્માતનો 108-ને કૉલ મળ્યો હતો. ત્યારબાદ 108 ઍમ્બુલૅન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી દર્દીને હ...

ડિસેમ્બર 4, 2025 2:46 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 2:46 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવશે. તેઓ પૂનમની ચાંદનીમાં સફેદ રણને નીહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત 23 નવેમ્બરથી ખૂલ્લો મૂકાયેલા રણોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાત...

ડિસેમ્બર 4, 2025 2:45 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 2:45 પી એમ(PM)

views 5

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સવારે મંગળા આરતીમાં જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. બજારોમાં પણ ભારે ભીડ જોવા જામી હતી. આજે પૂનમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રાજાધિરાજના દરબારમાં દર્શન...

ડિસેમ્બર 4, 2025 1:52 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:52 પી એમ(PM)

views 1

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે.

ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

views 1

વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પરની ચર્ચા સરકાર ટાળી રહી હોવાના વિપક્ષના આરોપોને ફગાવતા રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડા.

સરકાર તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા ટાળી રહી છે તેવા વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેના આરોપોને કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ ફગાવી દીધા છે. કોંગ્રેસના સભ્ય અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના આરોપોનો જવાબ આપતા, શ્રી નડ્ડાએ આજે ગૃહમાં ...

ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

views 1

જળ જીવન મિશન હેઠળ દેશમાં 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પડાયા

સરકારે કહ્યું છે કે જળ જીવન મિશન હેઠળ 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ચાર કરોડ વધુ ઘરોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે કેન...

ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM)

views 2

આજે નૌકાદળ દિવસની ઉજવણી.

આજે નૌકાદળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને બિરદાવવા આપવા દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે, ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે PNS ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી....

ડિસેમ્બર 4, 2025 1:49 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:49 પી એમ(PM)

views 9

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ, બુધવારે ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને હરાવીને યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો. રેપિડ સ્ટેજની પ્રથમ બે રમતો ડ્રો કર્યા પછી, એરિગેસીએ પ્રથમ બ્લિટ્ઝ ગેમમાં વ્હાઇટ પીસ સાથે નિર્ણાયક વિજય મેળવ્યો. તે બીજી બ્લિટ્ઝ ગેમમાં પણ સારી સ્થિતિમાં હતો, ...