નવેમ્બર 24, 2025 7:51 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:51 પી એમ(PM)

views 1

પીઢ અભિનેતા અને પદ્મ ભૂષણ ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બિમાર રહેલા સ્વર્ગીય ધર્મેન્દ્રએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આ મહિનાની શરૂઆતમાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હિન્દી સિનેમામાં હી મેન તરી...

નવેમ્બર 24, 2025 7:49 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:49 પી એમ(PM)

ઉત્તરાખંડના ટિહરીમાં બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત

ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર ખાતે કુંજપુરી-હિંડોળાખલ નજીક આજે એક બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા. પ્રાથમિક અહેવાલ મુજબ, બસમાં લગભગ 28 મુસાફરો હતા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-SDRFની ટુકડીએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

નવેમ્બર 24, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:48 પી એમ(PM)

શૂટિંગમાં, પ્રાંજલી ધુમલે 25મા સમર ડેફલિમ્પિક્સમાં 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

શૂટિંગમાં, પ્રાંજલી પ્રશાંત ધુમલે આજે ટોક્યોમાં 25મા સમર ડેફલિમ્પિક્સમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો, જે મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં તેનો ત્રીજો ચંદ્રક છે. પ્રાંજલીએ 600 માંથી 573 ના સ્કોર સાથે નવો વિક્રમ અને ડેફલિમ્પિક ક્વોલિફિકેશન વિક્રમ બનાવ્યા પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ય...

નવેમ્બર 24, 2025 7:19 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:19 પી એમ(PM)

views 1

જામનગરમાં 226 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઑવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જામનગરમાં 622 કરોડ રૂપિયાથી વધુના 69 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે કહ્યું, ગત ત્રણ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ ...

નવેમ્બર 24, 2025 7:17 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:17 પી એમ(PM)

views 1

ગાંધીનગરના મૅડિકલ કૉલેજમાં નવા વિદ્યાર્થીઓને હેરાન કરનારા જૂના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગરની મૅડિકલ કૉલેજમાં જૂના વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓને હેરાન કરવાની ઘટના અંગે સરકારે કડક કાર્યવાહી કરી છે. તબીબી શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ અંગે જણાવ્યું, આ ઘટનામાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીને બે વર્ષ માટે અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ મહિના માટે કૉલેજમાંથી બહાર કઢાયા એટલે ...

નવેમ્બર 24, 2025 7:16 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:16 પી એમ(PM)

views 1

રાજ્ય પોલીસે ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા 31 હજાર 834 જેટલા આરોપીની ચકાસણી કરી

રાજ્યમાં ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા 31 હજાર 834 જેટલા આરોપીની ચકાસણી કરવામાં આવી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, રાજ્ય પોલીસે વિશેષ ઝૂંબેશ હેઠળ 100 કલાકમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો 30 વર્ષનો રેકર્ડ તપાસી તેમની હાલની પ્રવૃત્તિ અને નોકરી સહિતની વિગતની ખરાઈ કરી. હ...

નવેમ્બર 24, 2025 7:15 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:15 પી એમ(PM)

views 2

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન.

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બિમાર રહેલા સ્વર્ગીય ધર્મેન્દ્રએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આ મહિનાની શરૂઆતમાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સ્વર્ગીય ધર્મેન્દ્રએ 'શોલે"...

નવેમ્બર 24, 2025 7:14 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:14 પી એમ(PM)

વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરિમા વ્યાસે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યાં

વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરિમા વ્યાસે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યાં છે. તેમણે વ્યક્તિગત શ્રેણીમાં બે સુવર્ણ અને એક કાંસ્ય તથા ટીમ રિલે શ્રેણીમાં એક રજત તથા કાંસ્ય ચંદ્રક મેળવ્યાં છે. સત્તાવાર યાદી મુજબ, હૈદરાબાદના GMC બાલયોગી રમતગમત સંકુલ ખાતે યોજાયેલી XXV રાષ્ટ્રીય પેરા-સ્વિમિંગ સ...

નવેમ્બર 24, 2025 3:03 પી એમ(PM) નવેમ્બર 24, 2025 3:03 પી એમ(PM)

views 4

હિન્દી સિનેમામાં હી-મૅન તરીકે જાણિતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે.

હિન્દી સિનેમામાં હી-મૅન તરીકે જાણિતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે. પંજાબથી સાધારણ શરૂઆતથી લઈ દિગ્ગજ ફિલ્મ કલાકાર બનવા સુધી સ્વર્ગીય ધર્મેન્દ્રનું જીવન જુસ્સા અને સિનેમાથી ભરપૂર રહ્યું. વર્ષ 1935માં જન્મેલા ધર્મેન્દ્રએ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ફિલ્મી સફરની શરૂઆત કરી. ત્યાર...

નવેમ્બર 24, 2025 3:02 પી એમ(PM) નવેમ્બર 24, 2025 3:02 પી એમ(PM)

views 17

અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી

અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી જેસીબી મશીનની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કામગીરી દરમિયાન 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.