જાન્યુઆરી 22, 2026 3:15 પી એમ(PM)

ન્યુઝીલેન્ડમાં, આજે બે ઓફ પ્લેન્ટી ક્ષેત્રમાં માઉન્ટ મૌંગાનુઈમાં હોલિડે પાર્કમાં મોટા ભૂસ્ખલન બાદ બાળકો સહિત ઘણા લોકો ગુમ થયા

ન્યુઝીલેન્ડમાં, આજે બે ઓફ પ્લેન્ટી ક્ષેત્રમાં માઉન્ટ મૌંગાનુઈમાં હોલિડે પાર્કમાં મોટા ભૂસ્ખલન બાદ બાળકો સહિત ઘણા લોકો ગુમ થયા છે. ઇમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર માર્ક મિશેલે જણાવ્યું હતું કે બીચસાઇડ હોલિડે પાર્કમાં શોધ અને બચાવ કાર્ય થઇ રહ્યું છે.ફાયર એન્ડ ઇમરજન્સી ન્યુઝીલેન્ડના કમાન્ડર વિલિયમ પાઇકે જ...

જાન્યુઆરી 22, 2026 3:08 પી એમ(PM)

views 1

બાંગ્લાદેશની 13મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી માટેનો પ્રચાર આજે ઔપચારિક રીતે ચૂંટણી પ્રતીકોની ફાળવણી અને અંતિમ ઉમેદવારોની પુષ્ટિ પછી શરૂ થયો

બાંગ્લાદેશની 13મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી માટેનો પ્રચાર આજે ઔપચારિક રીતે ચૂંટણી પ્રતીકોની ફાળવણી અને અંતિમ ઉમેદવારોની પુષ્ટિ પછી શરૂ થયો છે, જે 12 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી પહેલા સંપૂર્ણ રાજકીય પ્રવૃત્તિની શરૂઆત દર્શાવે છે. ચૂંટણી પંચે ગઈકાલે ઉમેદવારોને પ્રતીકો ફાળવ્યા હતા, જેનાથી પક્ષો અને વ્...

જાન્યુઆરી 22, 2026 3:04 પી એમ(PM)

બેડમિન્ટન માં પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા

બેડમિન્ટન માં પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. મહિલા સિંગલ્સમાં, સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની હોજમાર્ક કેરફેલ્ડ્ટને 21-19, 21-18 થી હરાવી હતી. હવે તે ચીનની ચેન યુ ફેઈ સામે રમશે.જ્યારે પુરુષોની સિંગલ્સમાં, લક્ષ્ય સે...

જાન્યુઆરી 22, 2026 2:56 પી એમ(PM)

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ મહિલા ટીમ આજે વડોદરાના બી. સી. એ સ્ટેડિયમ ખાતે લીગ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ મહિલા ટીમ આજે વડોદરાના બી. સી. એ સ્ટેડિયમ ખાતે લીગ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. WPL 2026 બે શહેરોના ફોર્મેટમાં યોજાઈ રહી છે. ટુર્નામેન્ટનો નવી મુંબઈ તબક્કો પૂર્ણ કર્યા પછી, પાંચેય ટીમો સ્પર્ધાના બીજા ભાગ માટે ગુજરાત સ...

જાન્યુઆરી 22, 2026 9:28 એ એમ (AM)

views 2

અંબાજી ખાતેથી આદિજાતિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ

અંબાજી ખાતેથી આદિજાતિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો રાજ્યમંત્રી જયરામ ગામીતે પ્રારંભ કરાવ્યો હતો. સતત બીજા વર્ષે અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા યોજાઇ છે.આ સ્પર્ધામાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશની 500થી વધુ મહિલા તિરંદાજોએ ભાગ લીધો હોવાનું જયરામ ગામીતે જણાવ્યું હતું.

જાન્યુઆરી 22, 2026 9:26 એ એમ (AM)

views 5

આજે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદોનુ નિવારણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય ‘સ્વાગત’માં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે. સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે.

જાન્યુઆરી 22, 2026 9:25 એ એમ (AM)

views 5

કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા બનાસકાંઠાના જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે ગાંધીનગર ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી પટેલે રાજ્યના સંરક્ષિત વન વિસ્તાર...

જાન્યુઆરી 22, 2026 9:24 એ એમ (AM)

views 4

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખ 11 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે.

જાન્યુઆરી 22, 2026 9:22 એ એમ (AM)

views 9

ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત ફાર્મા ગ્રૂપ દ્વારા કરાયેલી GST ચોરીનો પર્દાફાશ

ગુજરાત રાજ્ય જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ગ્રૂપ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કરાયો છે. આ ફાર્માસ્યુટિકલ ગ્રૂપ દ્વારા 114 કરોડથી વધુના કરપાત્ર વ્યવહારો અને 20 કરોડથી વધુના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કરચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે.જીએસટી વિભાગ દ્વારા અમદાવ...

જાન્યુઆરી 22, 2026 9:21 એ એમ (AM)

views 1

સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાઇ થવા મામલે 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા

સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાઇ થવા મામલે 3 અધિકારીઓને ફરજમોકૂફ કરાયા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું, અધિકારીઓ અને એજન્સી પર પોલીસ ફરિયાદ પણ કરાશે