ડિસેમ્બર 10, 2025 7:12 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 7:12 પી એમ(PM)

views 2

SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર અરવલ્લી રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 100 ટકા ગણતરી પત્રક વિતરણ તથા સંકલનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે. પ્રાપ્ત થયેલ તમામ ગણતરી ફોર્મનું ડિજીટાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલે...

ડિસેમ્બર 10, 2025 3:01 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 3:01 પી એમ(PM)

views 4

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક દિવસમાં કમળાના 126 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક દિવસમાં કમળાના 126 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા આજે અલગ અલગ 20 ટીમ બનાવી નમૂના એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ પીવાના પાણીના નમૂના એકઠા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં ...

ડિસેમ્બર 10, 2025 2:58 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:58 પી એમ(PM)

views 7

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIRની કામગીરી પૂર્ણ થવાના આરે..

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIRની કામગીરી પૂર્ણ થવાના આરે છે. પંચમહાલ જિલ્લામાં SIR ઝુંબેશ અંતર્ગત ડિજિટાઈઝેશનનું કામ 99.98 ટકા પૂર્ણ થયું છે. જિલ્લાના એક હજાર 479 BLO આ કામગીરી જોડાયા છે. ગણતરી પત્રક જમા કરાવવાનો છેલ્લો દિવસ છે તેમ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી પી કે ડામોરે જણાવ્યું.

ડિસેમ્બર 10, 2025 2:54 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:54 પી એમ(PM)

views 2

સુરતના પર્વત પાટિયા વિસ્તારના કાપડ બજારમાં આગની ઘટના સામે આવી..

સુરતના પર્વત પાટિયા વિસ્તારના કાપડ બજારમાં આગની ઘટના સામે આવી છે. સાત માળની ઇમારતમાં વહેલી સવારથી લાગેલી આગ 20થી વધુ દુકાનોમાં ફેલાઈ છે. ત્યારે અગ્નિશમન દળની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ સ્થાનિક કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું.

ડિસેમ્બર 10, 2025 2:43 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:43 પી એમ(PM)

views 6

કચ્છ જિલ્લાના ધોળાવીરામાં મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ જિલ્લાના ધોળાવીરામાં મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટરસ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 32 કિલોમીટર દૂર કચ્છના રણમાં નોંધાયું હતું. કચ્છના અનેક વિસ્તારોમાં લોકોએ આ આંચકાની અનુભૂતિ કરી હતી.

ડિસેમ્બર 10, 2025 2:39 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:39 પી એમ(PM)

views 3

રાજસ્થાનના સિકરમાં થયેલા માર્ગ અકસ્માતમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કર્મીનુ મોત

રાજસ્થાનના સિકરમાં થયેલા માર્ગ અકસ્માતમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કર્મીનુ મોત થયું છે. સિકરમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી બસમાં રાજસ્થાનના બિકાનેરથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા.તે દરમિયાન સિકર પાસે અકસ્...

ડિસેમ્બર 10, 2025 2:03 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:03 પી એમ(PM)

views 9

રાજ્યસભામાં વંદેમાતરમ્ ની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ વંદેમાતરમ્ અંગેનું સમર્પણ કાયમ

સંસદમાં રાષ્ટ્રગાન વંદે માતરમ અંગે ચર્ચા ચાલી રહી છે. આજે પણ સંસદના બંને ગૃહોમાં આ ચર્ચા ચાલી રહી છે. રાજયસભામાં વંદેમાતરમની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યુ હતું કે વંદેમાતરમ અંગેનુ સમર્પણ કાયમ છે.

ડિસેમ્બર 10, 2025 2:02 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:02 પી એમ(PM)

views 2

રાહુલ ગાંધીના SIR વિરૂદ્ધના નિવેદનનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, કોંગ્રેસના શાસનમાં કોઇ પારદર્શકતા ન હતી.

કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં ચૂંટણી પંચ સહિત તમામ બંધારણીય સંસ્થાઓ વધુ પારદર્શક બની રહી છે. ચૂંટણી પંચ અને SIR પર રાહુલ ગાંધીની ટિપ્પણીની ટીકા કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસનથી વિપરીત, પહેલીવાર આ બંધારણીય સંસ્થાઓમાં પારદર્શિતા જાળવવામાં આવી...

ડિસેમ્બર 10, 2025 2:00 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:00 પી એમ(PM)

શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા

શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. શ્રીલંકાની જેલમાં બંધ નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, કોટ્ટાઈપટ્ટીનમ અને રામેશ્વરમના માછીમારોની 3 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસના અધિકારીઓ દ્વારા તેમને ભારત પાછા ફરવા માટે કટોકટી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા કારણ...

ડિસેમ્બર 10, 2025 1:59 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 1:59 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું ભારતમાં માનવ અધિકારોનું ફક્ત રક્ષણ જ નહીં ઉજવણી પણ થાય છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ ઉજવણી પણ થાય છે. માનવ અધિકાર દિવસ 2025 અને નવી દિલ્હીમાં રોજિંદા આવશ્યકતાઓને સુનિશ્ચિત કરવા પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે કોઈને પણ તેમના અધિકારોથ...