ડિસેમ્બર 1, 2025 9:34 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:34 એ એમ (AM)

આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા

હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શકે છે. હાલ રાજ્યના 14 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વડોદરા અને અમરેલીમાં 16.8 ડિગ્રી નોંધાયું હતુ...

ડિસેમ્બર 1, 2025 9:32 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:32 એ એમ (AM)

views 1

સુરતના અલથાણ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળીને તેના ઉકેલની ખાત્રી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે લોકો સાથે ચર્ચા કરી હતી. સુરતમાં અલથાણ વિસ્તારમાં મોડી સાંજે હર્ષ સંઘવી અલથાણ વિસ્તારના સોહમ સર્કલ પહોંચ્યા હતા જ્યાં તેમણે લોકો સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ સાંભળીને તેના ઉકેલની ખાત્રી આપી હતી. આ ઉપરાંત તેમણે લોકો સાથે આત્મિયતાની સંવાદ પણ કર્યો હતો.

ડિસેમ્બર 1, 2025 9:31 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:31 એ એમ (AM)

મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરતના ખોડબા ગામે દીપડાઓ માટે રેસક્યૂ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું

રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગઇકાલે સુરતના ખોડબા ગામે રૂપિયા 2 કરોડના ખર્ચે દીપડાઓ માટે રેસક્યું સેંટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું.આ રેસક્યું સેંટરના કાર્યરત થવાથી વનવિભાગને આ વિસ્તારમાં માનવભક્ષી દીપડાના રેસક્યુંમાં મદદ મળશે તેમ શ્રી મોઢવાડિયાએ જણાવ્યુ હતું.

ડિસેમ્બર 1, 2025 9:10 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:10 એ એમ (AM)

views 5

ગુજરાતનાં અમદાવાદમાં રમાઇ રહેલી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની મેચમાં ભારતે ઇરાનને હરાવ્યું

ગુજરાતનાં અમદાવાદમાં રમાઇ રહેલી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની ગૃપ ડીની મેચમાં ભારતે ઇરાનને 2-1થી હરાવ્યું હતું. આ વિજય સાથે ભારતે ગૃપમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સાઉદી અરેબિયા ખાતેની ટૂર્નામેન્ટ ખાતે ક્વોલિફાઇલ કર્યું છે. ગઇકાલે રમાયેલી ભારત અને ઇરાન વચ્ચેની આ મેચ રસાકસી ભરી બની હતી.

ડિસેમ્બર 1, 2025 9:09 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:09 એ એમ (AM)

આજથી નાગાલેન્ડના કોહિમા ખાતે હેરીટેજ ગામ કિસામાના ખાતે, હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ શરૂ

આજથી નાગાલેન્ડના કોહિમા ખાતે હેરીટેજ ગામ કિસામાના ખાતે, હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ શરૂ થશે. નાગાલેન્ડના રાજ્ય સ્થાપના દિવસ સાથે 10 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ ફરી એકવાર તમામ મુખ્ય નાગા જાતિઓને એક છત નીચે એકત્રિત કરશે, જે લોકવાયકા, સંગીત, હસ્તકલા અને ભોજન દ્વારા રાજ્યની જીવંત પરંપરાઓનું પ્રદર્શન કર...

ડિસેમ્બર 1, 2025 9:02 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:02 એ એમ (AM)

views 3

ભારતે વૈશ્વિક કૌશલ્ય એશિયા સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને 8મો ક્રમ મેળવીને સીમાચિહ્ન હાંસલ કર્યું

ભારતે વૈશ્વિક કૌશલ્ય એશિયા સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને 8મો ક્રમ મેળવીને વૈશ્વિક કૌશલ્ય મંચ પર એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું. આ સ્પર્ધામાં 29 દેશોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ભારતે પરંપરાગત અને ટેક-આધારિત કૌશલ્ય શ્રેણીઓમાં શ્રેષ્ઠતા માટે એક રજત બે કાંસ્ય સહિત ત્રણ ચંદ્રક જીત્યા. ભારતીય ખેલાડી...

ડિસેમ્બર 1, 2025 9:01 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:01 એ એમ (AM)

views 5

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું નેતૃત્વ કરશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું નેતૃત્વ કરશે. તેનો ઉદ્દેશ્ય HIV નિવારણ, સારવાર અને સંભાળ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવવાનો છે. આ કાર્યક્રમ સરકારી નેતાઓ, વિકાસ ભાગીદારો, યુવા પ્રતિનિધિઓ, સમુદાય હિમાયતીઓ, HIV સાથે ...

ડિસેમ્બર 1, 2025 9:00 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 9:00 એ એમ (AM)

views 1

દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી

આજે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પાંચ હજાર વર્ષ પૂર્વે આજના દિવસે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર અર્જુનને ભગવદ્ ગીતાના ઉપદેશો આપ્યા હતા. ગીતા જયંતિએ ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા સાર્વત્રિક જ્ઞાનની યાદ અપાવે છે, જે લાખો લોકોને તેમના આધ્યાત્મિક અને રોજિંદા જીવનમાં માર્ગદર્શન આપે...

ડિસેમ્બર 1, 2025 8:57 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 8:57 એ એમ (AM)

views 1

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નવી દિલ્હીમાં સરસ આજીવિકા ખાદ્ય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં સરસ આજીવિકા ખાદ્ય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે માહિતી આપી કે, દેશભરના 25 રાજ્યોમાંથી લગભગ 300 લખપતિ દીદી અને સ્વ-સહાય જૂથોની મહિલાઓ આ મહોત્સવમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યું હતું કે, કુલ 62 સ્ટોલમાંથી 50 લાઇવ ફૂ...

ડિસેમ્બર 1, 2025 8:33 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 8:33 એ એમ (AM)

ઓપરેશન સાગરબંધુ હેઠળ શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોને પરત લવાયા

ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતીય વાયુસેનાએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ચક્રવાત દિત્વાહને કારણે શ્રીલંકામાં ફસાયેલા ૩૩૫ ભારતીયોને તિરુવનંતપુરમ પરત લાવવામાં આવ્યા હતા. દરમિયાન ચક્રવાત દિત્વાહ ઉત્તર તમિલનાડુ-પુડુચેરી કિનારા તરફ સમાંતર આગળ વધી રહ્યું છે. ચક્રવાત દિત્વાહ એક ઘેરા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું ...