જુલાઇ 22, 2024 7:47 પી એમ(PM)

views 25

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક ૩૦ થી વધુ થયો છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 84 કેસ છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટમાં ગોંડલ તાલુકાના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત નીપજ્યાં છે. સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં 11 વર્ષી...

જુલાઇ 22, 2024 7:45 પી એમ(PM)

views 23

રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમ જ તડછારો જેવા રોગથી રક્ષણ આપવા રોગમુક્ત બિયારણ ઉપયોગમાં લેવું જોઈએ. તેમ જ મકાઈની રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદ...

જુલાઇ 22, 2024 7:44 પી એમ(PM)

views 36

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.ભૂતાનના રાજા સાથેના પ્રતિનિધિમંડળનું ભૂતાનના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં અન ગરબાની પ્રસ્તુતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તમામ મહાનુભાવોને વૉલ ઑફ યુનિટીથી માહિતગાર કરાયા ...

જુલાઇ 22, 2024 7:41 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે.અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કારગિલ જિલ્લાનાં દ્રાસ ખાતે 24થી 26 જુલાઇ દરમિયાન ઉજવણી કરવામાં આવશે. અમારા લેહ લદાખના પ્રતિનિધીના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી દ્રાસ ખાતે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લે...

જુલાઇ 22, 2024 7:38 પી એમ(PM)

views 14

છેલ્લા પાંચ વર્ષમાં જલ જીવન મિશન (JJM) – હર ઘર જલ હેઠળ ગ્રામીણ પરિવારોને લગભગ 11 કરોડ 75 લાખ નળના જોડાણો આપવામાં આવ્યા

સરકારે જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં જલ જીવન મિશન (JJM) - હર ઘર જલ હેઠળ ગ્રામીણ પરિવારોને લગભગ 11 કરોડ 75 લાખ નળના જોડાણો આપવામાં આવ્યા છે. જલ શક્તિ રાજ્ય મંત્રી વી. સોમન્નાએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઓગસ્ટ 2019માં જ્યારે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું ...

જુલાઇ 22, 2024 7:36 પી એમ(PM)

views 23

આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાના વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદી...

જુલાઇ 22, 2024 7:35 પી એમ(PM)

views 11

સરકારે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી

સરકારે આજે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પુનઃ શરૂ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના લોકસભા સાંસદ પ્રણિતી સુશીલ કુમાર શિંદે દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉ...

જુલાઇ 22, 2024 7:32 પી એમ(PM)

views 20

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. હવે, આવતી કાલે લોકસભામાં સામાન્ય બજેટની રજૂઆત પૂર્ણ થાય તેનાં એક કલાક બાદ ગૃહ પુનઃ મળશે. અગાઉ, ઉપલા ગૃહમાં કેટલાંક સભ્યોએ જાહેર હિત અંગેનાં મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગૃહમાં પ્રશ્નકાળ અને શૂન્ય કાળ પણ હાથ ધરવામાં આવ્યો હતો કાવડ યાત્રાના માર્ગમાં આ...

જુલાઇ 22, 2024 7:31 પી એમ(PM)

views 62

વિશ્વ જુનિયર સ્ક્વોશ ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની છોકરાઓ અને છોકરીઓની ટીમ હારી

વિશ્વ જુનિયર સ્ક્વોશ ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની છોકરાઓ અને છોકરીઓની ટીમ હારી ગઈ હતી. હ્યુસ્ટનમાં ચાલી રહેલી આ સ્પર્ધામાં, છઠ્ઠી ક્રમાંકિત ભારતીય છોકરાઓની ટીમ ચોથા ક્રમાંકિત દક્ષિણ કોરિયા સામે 1-2થી હારી ગઈ હતી જ્યારે છોકરીઓની ટીમ ત્રીજા ક્રમાંકિત મલેશિયા સામે હારી ગઈ હતી. છોકરાઓની કેટેગર...

જુલાઇ 22, 2024 7:30 પી એમ(PM)

views 14

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ 28 લાખથી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ 28 લાખથી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે.જેમાં પાંચ લાખ 42 હજાર 222 મહિલાઓ સહિત 13 લાખ 94 હજારથી વધુ લાભાર્થીઓની સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે. ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, દેશભરમાં...