ઓગસ્ટ 2, 2024 3:17 પી એમ(PM)

views 29

રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી

રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ”ની ઉજવણીનો થઇ રહી છે.. આઠમી ઓગસ્ટ સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાઇ રહ્યા છે.જે અંતર્ગત જામનગર શહેરમાં વી.એમ.મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવ...

ઓગસ્ટ 2, 2024 3:15 પી એમ(PM)

views 19

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાનસહાયકોનાં કરારની મુદત પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમનાં કરાર રિન્યુ કરવાની મંજૂરી આપવામાં આવી

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાનસહાયકોનાં કરારની મુદત પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમનાં કરાર રિન્યુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્ઞાન સહાયક જે જગ્યા પર ફરજ બજાવતા હોય ત્યાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તે સંજોગોમાં જ્ઞાન સહાયકોના કરાર રીન્યુ કરવાના રહેશે. જો કે શિક્ષકની જગ્યા ભરાઈ...

ઓગસ્ટ 2, 2024 3:12 પી એમ(PM)

views 22

રાજ્ય સહિત દેશભરમાં આગામી સપ્ટેમ્બર મહિનાથી પશુધન વસ્તી ગણતરી યોજાશે

રાજ્ય સહિત દેશભરમાં આગામી સપ્ટેમ્બર મહિનાથી પશુધન વસ્તી ગણતરી યોજાશે.ડિસેમ્બર સુધી થનારી આ પશુઓની વસ્તી ગણતરીમાં પ્રથમવાર વિચરતા પશુઓનો પણ સમાવેશ કરાયો છે.. રાજ્યની ૨૮ સહિત દેશભરની આશરે ૨૧૯ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે.પ્રથમવાર મોબાઈલ એપના ઉપયોગ સાથે એક લાખથી વધુ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં ડેટા...

ઓગસ્ટ 2, 2024 3:10 પી એમ(PM)

views 18

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 24થી 28 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે લોકમેળાનું આયોજન

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 24થી 28 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ પ્લોટ અને સ્ટોલની હરાજી અને ડ્રો આવતીકાલે કરવામાં આવશે. રમકડાં અને ખાણીપીણી અન્ય કેટેગરીના સ્ટોલનો ડ્રો સવારે 11 વાગ્યે કરવામાં આવશે. તેમજ અન્ય કેટેગરીની હરાજી બપોરે...

ઓગસ્ટ 2, 2024 2:22 પી એમ(PM)

views 45

નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય રાજ્ય બોર્નોમાં બુધવારે મોડી રાત્રે સ્થાનિક રાત્રી બજારમાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોના મોત

નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય રાજ્ય બોર્નોમાં બુધવારે મોડી રાત્રે સ્થાનિક રાત્રી બજારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકો મૃત્યુ પામ્યા અને  અન્ય 20 ઇજાગ્રસ્ત થયા છે.પોલીસ અધિકારીઓના જણાવ્યું અનુસાર, રાજ્યના કોંડૌગા સ્થાનિક સરકારી વિસ્તારના કવુરીના એક બજારમાં કથિત રીતે બોકો હરામ આતંકવાદી જૂથ દ્વારા તા...

ઓગસ્ટ 2, 2024 2:18 પી એમ(PM)

views 12

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા. અંદાજે પચાસ શ્રદ્ધાળુઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇરુક્કનકુડી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે તિરુનેલવેલીથી મદુરાઈ જતી એક ટ્રકે નિયંત્રણ ગુમાવતાં ત્રણ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ મામલે...

ઓગસ્ટ 2, 2024 2:14 પી એમ(PM)

views 13

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઈરાનના તમામ જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરતા ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના જોખમનો સામનો કરવા અમેરિકી સૈન્ય મોકલવા મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડને આંતકવાદી સંગઠન હમાસ, હિજબુલ્લાહ અને હૈતી સહિત ઇરાનના તમામ જ...

ઓગસ્ટ 2, 2024 2:09 પી એમ(PM)

views 42

હિમાચલ પ્રદેશમાં આવેલ પૂરમાં અત્યારસુધીમાં પાંચ મૃતદેહ મળ્યા :જ્યારે 48 લોકો ગુમ

હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં બુધવારે મધ્યરાત્રિએ વાદળ ફાટવાના કારણે આવેલા પૂરે તબાહી મચાવી હતી. અત્યારસુધીમાં પાંચ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 48 લોકો ગુમ છે અને શોધ અભિયાન ચાલી રહ્યું છે. શિમલા જિલ્લાના રામપુરને અડીને આવેલા સમેજમાં સૌથી વધુ 36 લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમ મંડી જિલ્...

ઓગસ્ટ 2, 2024 10:48 એ એમ (AM)

views 19

UPI આધારિત વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો થયો

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPI આધારિત વ્યવહારો જુલાઈ મહિનામાં વધીને 20.64 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાએ ગઈ કાલે આ અંગે અહેવાલ જાહેર કર્યો છે, જેમાં કહેવાયુ છે કે UPI ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો થયો છે. જુલાઈમાં કુલ UPI ટ્રાન્ઝેક્શનની સ...

ઓગસ્ટ 2, 2024 10:47 એ એમ (AM)

views 12

ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે

ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. દરમિયાન SDRF, NDRF, DDRF, પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટુકડીઓએ મળીને અત્યાર સુધીમાં 2 હજાર લોકોને બચાવ્યા છે. જેમાં 425 જેટલા લોકોને ભિમબાલી, રામબાડા અને લિંચોલીમાંથી એર લિફ્ટ કરાયા હતા, જ્યારે અગિયા...