ઓગસ્ટ 6, 2024 7:39 પી એમ(PM)

views 12

આજે બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદના બંને ગૃહોમાં ભારતના વિદેશમંત્રીએ નિવેદન આપ્યુ

આજે બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદના બંને ગૃહોમાં ભારતના વિદેશમંત્રીએ નિવેદન આપ્યુ હતું.ડૉ એસ જયશંકરે જણાવ્યું હતું કે, હાલમાં, લગભગ 19 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે, જેમાં 9 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઢાકામાં હાઈ કમિશનની સલાહ પર મોટા ભાગના વિદ્યાર્થીઓ ગયા મહિને જ ભારત પરત ફર્યા ...

ઓગસ્ટ 6, 2024 7:30 પી એમ(PM)

views 15

આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે

આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હેન્ડલૂમ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે હેન્ડલૂમ વણકરોને સંત કબીર એવોર્ડ અને નેશનલ હેન્ડલૂમ એવોર્ડ એનાયત કરશે. એવોર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હેન્ડલૂમને લગતાકેટલોગ અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન ક...

ઓગસ્ટ 6, 2024 7:28 પી એમ(PM)

views 22

સરકાર વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે  બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલુ

સરકાર  વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે  બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલી રહી છે. ચળવળના સંયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસનેદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક મુખ્યસંયોજક નાહિદ ઇસ્લામે  સોશિયલ મીડિયાપ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વિ...

ઓગસ્ટ 6, 2024 7:26 પી એમ(PM)

views 11

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી હતી.આ સાથે જવિનસે  સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.વિનેશ, આજે ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે સેમિફાઇનલમાંક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ અથવા લિથુઆનિયાના ગાબીજા ડિલિટે સામે...

ઓગસ્ટ 6, 2024 7:23 પી એમ(PM)

views 22

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9 થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9 થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન ...

ઓગસ્ટ 6, 2024 7:21 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, અને કચ્છ તેમજ સૌરાષ્...

ઓગસ્ટ 6, 2024 7:20 પી એમ(PM)

views 20

ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર - SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં અધિક કલેક્ટર કલ્પના ગઢવીએ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજથી ૧૨ ઓગસ્ટ સુધી ર...

ઓગસ્ટ 6, 2024 7:18 પી એમ(PM)

views 29

વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે આજે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્ન ઉઠાવ્યા

વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે આજે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્ન ઉઠાવ્યા હતાં. શ્રી પટેલે દ્વારા દરિયા કિનારાના ગામોને સૌથી વધુ સ્પર્શતા દરિયાઈ જિલ્લાના ગામોમાં પાણીના ધોવાણથી ગામ લોકોને થતા નુકસાનના નિવારણ અંગે જરૂરી સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી અંગે જરૂરી પ્રશ્નો રજૂ...

ઓગસ્ટ 6, 2024 7:16 પી એમ(PM)

views 20

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના – ELI હેઠળ દેશમાં બે વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના - ELI હેઠળ દેશમાં બે વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ELI યોજનાના અમલીકરણ અંગે બેઠકના અધ્યક્ષસ્થાનેથી આ વાત કરી હતી. શ્રી માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરાય...

ઓગસ્ટ 6, 2024 7:15 પી એમ(PM)

views 36

રાજ્યના નાના ધંધા-રોજગાર કરતા કારીગરો માટે સરકારે પહેલી જુલાઈથી “માનવ કલ્યાણ યોજના 2.O” અમલમાં મૂકી

રાજ્યના નાના ધંધા-રોજગાર કરતા કારીગરો માટે સરકારે પહેલી જુલાઈથી "માનવ કલ્યાણ યોજના 2.O" અમલમાં મૂકી છે. રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, હવે લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન-ઓજારની ખરીદી જાતે જ કરી શકે તે માટે ટૂલકિટના ઇ-વાઉચર અપાશે. લાભાર્થીઓ આ માટે ઈ-કુટીર પૉર્ટલ પર અરજી કરી શકશે. શ...