ઓગસ્ટ 7, 2024 9:33 એ એમ (AM)

views 18

ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે.

ભારતીય મહિલા કુશ્તીના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ છે. ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે. વિનેશનો મુકાબલો અમેરિકાની ખેલાડી સારા એન હિલ્ડેબ્રાંટ સાથે થશે. ભારતીય સમય અનુસાર રાતે 9 વાગીને, 45 મિનિટે આ મેચ...

ઓગસ્ટ 7, 2024 9:19 એ એમ (AM)

views 13

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા છે. ગઈકાલે ઢાકામાં રાષ્ટ્રપતિ ભવન – બંગભવનમાં સૈન્યના ત્રણેય પાંખના વડાઓ, વિદ્યાર્થી આંદોલનના 13 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે થયેલી બેઠક બાદ રાષ્ટ્રપતિએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. ...

ઓગસ્ટ 7, 2024 9:06 એ એમ (AM)

views 21

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી શરૂ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આગામી 21 ઑગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવા માટેની રજૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કરી છે. અધ્યક્ષે રાજ્યપાલ શ્રીને કરેલી રજૂઆતમાં 21 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી સભાગૃહ બોલાવવા માટેનું અહ્વાન કર્યું છે. અધ્યક્ષ દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ દિવસે સભાગૃહની બેઠકમાં ઉપસ્...

ઓગસ્ટ 7, 2024 8:54 એ એમ (AM)

views 19

રાજ્યમાં અત્યાર સુધીમાં એન્કેફેલાઇટીસ – ચાંદીપુરાના કુલ 159 કેસો નોંધાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં એન્કેફેલાઇટીસ - ચાંદીપુરાના કુલ 159 કેસો નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં 7 કેસ જ્યારે અમદાવાદ, જામનગર, મોરબી, વડોદરા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભરૂચ, પોરબંદર અને પાટણ જિલ્લામાં સૌથી ઓછા 1-1 પોઝીટીવ કેસ મળેલ છે. નોંધાયેલ 159 કેસમાંથી કુલ 71 દદીઓ મૃત્યુ પામ્યા છે....

ઓગસ્ટ 7, 2024 8:40 એ એમ (AM)

views 19

ગુજરાત રાજ્ય સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું

રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નીતિ આયોગે જાહેર કરેલા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સના ચોથા અહેવાલમાં આ માહિતી સામે આવી છે. આ અહેવાલ મુજબ, ગુજરાત રાજ્ય સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિદ...

ઓગસ્ટ 6, 2024 7:55 પી એમ(PM)

views 18

લોકસભામાં ફાઇનાન્સ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષોએ જીવન અને તબીબી વિમા પરનો જીએસટી દૂર કરવાની માંગણી કરી

ટીએમસી સાંસદ મોહઆ મોઇત્રાએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે ભારતમાં મધ્યમ વર્ગનો હિસ્સો 31 ટકા છે અને ગરીબો ભારતમાં 60 થી 65 ટકા છે. એનસીપી (શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા શૂલેએ જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર GST પાછી ખેંચવાની માંગ કરી હતી.

ઓગસ્ટ 6, 2024 7:51 પી એમ(PM)

views 27

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું હતું.આ બીલ ઉપરની ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના ડૉ.અમર સિંહે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય બજેટમાં માત્ર વધઉ આવક ધરાવતા લોકોને જ રાહત આપવામાં આવી છે અને મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોની કાળજી લેવામાં આવી નથી. તેમણે કહ્યું કે, દેશનો ક...

ઓગસ્ટ 6, 2024 7:46 પી એમ(PM)

views 14

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મૈવાલી કેટોનિવરે સાથે દ્વીપક્ષિય બેઠક યોજી

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મૈવાલી કેટોનિવરે સાથે દ્વીપક્ષિય બેઠક યોજી હતી.. બંને નેતાઓએ ભારત-ફિજી સંબંધોને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીઝ સાથે આપણા સંબંધો અને વિકાસ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, ...

ઓગસ્ટ 6, 2024 7:42 પી એમ(PM)

views 19

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે 9 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના વિશે વારાણસીના કમિશનર કૌશલ રાજ શર્મા સાથે વાત કરી હતી અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા સૂચના આપી હતી. પોલીસ,NDRF, ડોકટરો અને ડોગ સ્...

ઓગસ્ટ 6, 2024 7:40 પી એમ(PM)

views 17

છેલ્લા 24 કલાકમાં, નવી દિલ્હી પણ ઢાકાના સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે:વિદેશ મંત્રી

છેલ્લા 24 કલાકમાં, નવી દિલ્હી પણ ઢાકાના સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે. વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ પણ વણસી રહી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ, જનરલ વકર-ઉઝ-ઝમાને ગઈકાલે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને જવાબદારી સ્વીકારવા અને વચગાળાની સરકારની રચના વિશે વાત કરી હતી. પડોશી...