જૂન 25, 2024 4:06 પી એમ(PM) જૂન 25, 2024 4:06 પી એમ(PM)

views 39

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખેડામાં સૌથી વધુ બે ઇંચથી વધુ, જૂનાગઢના વિસાવદરમાં અને વડોદરાના ડેસરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગાંધીનગરથી એનડીઆરએફની વધુ ચાર ટીમો ગીર સોમ...

જૂન 25, 2024 3:59 પી એમ(PM) જૂન 25, 2024 3:59 પી એમ(PM)

views 38

ગાંધીનગર મનપા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે માર્ગદર્શન પૂરું પાડ્યું ...

જૂન 25, 2024 4:08 પી એમ(PM) જૂન 25, 2024 4:08 પી એમ(PM)

views 4

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશ પણ અપાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના અંદાજે ૧૫ લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોના શિક્ષણ અંગે ખાસ ૧૦૦ ...

જૂન 25, 2024 3:48 પી એમ(PM) જૂન 25, 2024 3:48 પી એમ(PM)

views 12

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો…

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 1.31 ટકા જેટલો રહ્યો છે. રાજ્યની વધુને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા યોજે...

જૂન 25, 2024 3:42 પી એમ(PM) જૂન 25, 2024 3:42 પી એમ(PM)

views 4

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જે મુજબ ખેતી મદદનીશની 436 જગ્યાઓ, બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઉમેદવારો 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.

જૂન 25, 2024 3:40 પી એમ(PM) જૂન 25, 2024 3:40 પી એમ(PM)

views 4

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે.આજે વહેલી સવારે અમદાવાદમાં ચાંદખેડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમૃત મોદીના પાર્થિવ દેહને ગાંધી આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત ગાંધીવાદીઓએ અને લોકોએ તેમના અંતિમ દર્શન કરીન તેમને શ્રધ્ધાંજલી અર્પી હ...

જૂન 25, 2024 3:39 પી એમ(PM) જૂન 25, 2024 3:39 પી એમ(PM)

views 11

આજે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન, જ્યારે આવતીકાલે આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા મહેસાણા-પાલનપુર વિભાગમાં કામલી-સિદ્ધપુર સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી આજે બ્લૉક લેવાયો છે, જેના કારણે અનેક ટ્રેનને અસર થઈ છે. આજે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન, જ્યારે આવતીકાલે આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. ઉપરાંત આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબર...

જૂન 25, 2024 4:02 પી એમ(PM) જૂન 25, 2024 4:02 પી એમ(PM)

views 38

18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથ વિધિ સાથે શરૂ

18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથ વિધિ સાથે શરૂ થયો. આજે એડ્વોકેટ ગોવાલ કાગડા પદવીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે કે અપક્ષ સાંસદ બચ્છવ શોભાએ તેમજ ભાજપના સાંસદ સ્મિતા ઉદય વાઘે મરાઠીમાં શપથ ગ્રહણ કર્યા. વધુ એક અપક્ષ સાંસદ અનુપ ઘોત્રે, કૉંગ્રેસના બળવંત બાસવંત વાનખેડે, એનસીપી અમર શર...

જૂન 25, 2024 3:15 પી એમ(PM) જૂન 25, 2024 3:15 પી એમ(PM)

views 31

સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા

કેન્દ્ર તપાસ સંસ્થા – સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા છે. સીબીઆઈએ આ મામલે ગુજરાત અને બિહારમાં એક-એક જ્યારે કે રાજસ્થાનમાં ત્રણ કેસ દાખલ કર્યા છે. તપાસ એજન્સી આ મામલે મહારાષ્ટ્રના લાતુરમાં નોંધાયેલા કેસની પણ તપાસ કરી શકે છે. અધિકારી...

જૂન 25, 2024 3:12 પી એમ(PM) જૂન 25, 2024 3:12 પી એમ(PM)

views 40

NTA પરીક્ષા માટેની ઉચ્ચ સ્તરીય સમિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી – NTA દ્વારા પરીક્ષાર્થીઓના પારદર્શી, યોગ્ય અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક ગઈકાલે મળી હતી. સમિતિના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓ તેમજ સૂચનોન...