સપ્ટેમ્બર 1, 2024 3:59 પી એમ(PM)

views 15

મોરબી જિલ્લાના ટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી જતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાં

મોરબી જિલ્લાના ટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી જતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. મોરબી અગ્નિશમન દાળ દ્વારા બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સપ્ટેમ્બર 1, 2024 3:58 પી એમ(PM)

views 19

રાજ્યમાં નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે.

રાજ્યમાં નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે. જે મહિલાઓના સશકિતકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે.. નારી ગૌરવ નીતિ-૨૦૨૪માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે ૮ ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે, જેમાં શિક્ષણ અને રમતગમત, હિંસા અને સુરક્ષા, આરોગ...

સપ્ટેમ્બર 1, 2024 3:57 પી એમ(PM)

views 13

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટના ત્રણ પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 831 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવા...

સપ્ટેમ્બર 1, 2024 3:55 પી એમ(PM)

views 14

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ થઈ ગયો છે, અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકોને મેળાનું મનોરંજન મળતું થયું છે. જો કે, ખાણી પીણીના સ્ટોલ, આઈસ્ક્રીમ બુ...

સપ્ટેમ્બર 1, 2024 3:53 પી એમ(PM)

views 17

જ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચમાં, મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. તેમ જ વડોદરા, છોટાઉદેપુરમાં ભારેથી ...

સપ્ટેમ્બર 1, 2024 3:51 પી એમ(PM)

views 13

દાહોદજિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી.

દાહોદજિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી. મંત્રીએ ધાનપુર તાલુકાના 31 કાચા મકાનો અને પશુઓ માટે કુલ 1 લાખ 24 હજાર જેટલી સહાયના ચેકનું વિતરણ કર્યું. મંત્રીએ સરપંચો તેમજ ગામ અગ્રણીઓ સાથે વરસાદથી થયેલ નુકસાન અને ગામના વિકાસકાર્યો વિશે ચર્ચા પણ ...

સપ્ટેમ્બર 1, 2024 3:50 પી એમ(PM)

views 17

રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ થયો છે.

રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી 30 સપ્ટેમ્બર સુધી સાતમા "રાષ્ટ્રીય પોષણ માસ"ની ઉજવણી શરૂ થઇ છે. આ વર્ષનો ઉદેશ દેશમાં કુપોષણને નિર્મૂળ કરવાનો છે અને ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ તેમજ 6 વર્ષ સુધીના બાળકો માટે પોષણન...

સપ્ટેમ્બર 1, 2024 3:04 પી એમ(PM)

views 11

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે.

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે. તેમ જ માનવરહિત વિમાન એરક્રાફ્ટને પણ નષ્ટ કરી દીધું છે. રશિયન હવાઈ સુરક્ષા દળે મોસ્કો તરફ ઉડાન ભરનારા એક ડ્રૉનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, મોસ્કૉ સહિત અનેક વિસ્તાર યુક્રેનના આ ડ્રોનન...

સપ્ટેમ્બર 1, 2024 3:03 પી એમ(PM)

views 15

જનતા દળ યુનાઇટેડ-જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના પ્રવક્તા પદે પરથી રાજીનામું આપ્યું.

જનતા દળ યુનાઇટેડ-જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના પ્રવક્તા પદે પરથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને હવે રાજીવ રંજન આ જવાબદારી સંભાળશે.. કે.સી. ત્યાગીએ, અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેડીયુના મહાસચિવ અફાક અહેમદ ખાને જણાવ્યું કે, પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકારી ...

સપ્ટેમ્બર 1, 2024 3:02 પી એમ(PM)

views 28

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે.

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ દેશમાં બને છે. તેણે કહ્યું કે આ વર્ષે એ...