સપ્ટેમ્બર 12, 2024 8:27 પી એમ(PM)

views 18

કેરળમાં યોજાયેલા સંમેલનમાં બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓએ રાજ્યોને મળતા કરનો હિસ્સો વધારવાની માગ કરી

બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓનું એક દિવસનું સંમેલન આજે કેરળના તિરુવનંથપુરમ્ ખાતે યોજાયું હતું. સંમેલનમાં તેલંગાણા, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન 16મા નાણાપંચ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય સંબંધો સાથે સંકળાયેલા અનેક મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો હતો...

સપ્ટેમ્બર 12, 2024 8:23 પી એમ(PM)

views 11

ભારતીય સામ્યવાદી પક્ષ– માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નવી દિલ્હી ખાતે આજે 72 વર્ષની વયે નિધન

ભારતીય સામ્યવાદી પક્ષ – માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બિમાર યેચુરીએ નવી દિલ્હીના એઈમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે એક નિવેદનમાં જણાવ્યું છે કે,શનિવારે તેમનો પાર્થિવ દેહ નવી દિલ્હીમાં આવેલા પાર્ટીના મુખ્યમથક એ.કે....

સપ્ટેમ્બર 12, 2024 8:19 પી એમ(PM)

views 16

નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ઉડ્ડયન ક્ષેત્રનો મહત્વનો ફાળો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે અને તે નાગરિકો માટે મુસાફરીની સરળતા અને જોડાણ વધારી રહ્યું છે.નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરની પરિષદમાં મોદીએ આ મુજબ જણાવ્યું હતું. પરિષદમાં પ્રધાનમંત્...

સપ્ટેમ્બર 12, 2024 7:59 પી એમ(PM)

views 23

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે માઇભક્તોનો ધસારો

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો આરંભ થયો છે.શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાને આજે જિલ્લા કલેકટર મિહિર પટેલે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે પૂજા- અર્ચના કરીને ખુલ્લો મૂક્યો.આગામી ૧૮ મી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં માં આંબાના દર્શનાર્થે આવતાં લાખો ભક્તોને કલે...

સપ્ટેમ્બર 12, 2024 7:55 પી એમ(PM)

views 11

પાલનપુરમાં ત્રિમાર્ગી રોટરી રેલવે ઓવર બ્રીજનું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રેલવે ઓવર બ્રીજનું લોકાર્પણ કરાયું હતું.રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને  27ને જોડતો, 17 મીટરની ઉંચાઈ પર રોટરી વાળો આ દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રીજ છે. તે રાજ્યનો આ પ્રથમ પિલ્લર અને ત્રી માર્ગી બ્રીજ છે.જેને તૈયાર કરવા માટે 3...

સપ્ટેમ્બર 12, 2024 7:50 પી એમ(PM)

views 23

રાજ્યના પરિવહનમંત્રી હર્ષ સંઘવીએ નવી 20 અત્યાધુનિક વૉલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો

રાજ્યના પરિવહનમંત્રી હર્ષ સંઘવીએ નવી 20 વૉલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો છે.સંઘવીએ ગાંધીનગર એસ ટી ડેપોથી 20 નવી વૉલ્વો બસોને લીલી ઝંડી આપી હતી.આ પ્રસંગે પત્રકારોને સંબોધતા પરિવહનમંત્રી એ જણાવ્યું કે વરિષ્ઠ નાગરિક પ્રવાસીઓ માટે આ વૉલ્વો બસોમાં ખાસ સુવિધા મૂકવામાં આવી છે.આ નવી બસ સેવા અંતર્ગત અમદાવ...

સપ્ટેમ્બર 12, 2024 7:45 પી એમ(PM)

views 20

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો છે. આ પૈકી 4 થી 5 ના મોત અન્ય કારણોસર કે હાર્ટને કારણે થયા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે પ્રભારી સચિવ તેમજ આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે જિલ્લા કલેક...

સપ્ટેમ્બર 12, 2024 7:41 પી એમ(PM)

views 14

રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે – તો રાજ્ય સરકારે વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારોના વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી

રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના, લઘુ અને મધ્મય વર્ગના વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત અને બચાવ પેકેજની જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડોદરામાં વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોનું ઝડપી પુનર્વસન કરાવવું એ રાજ્ય સરક...

સપ્ટેમ્બર 12, 2024 3:59 પી એમ(PM)

views 26

યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત્ રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે

યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત્ રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે.જિલ્લા કલેક્ટર મિહીર પટેલે રથને પ્રસ્થાન કરાવી શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.મેળાનો પ્રારંભ થતાં જ જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઊઠી હતી.જિલ્લા કલેક્ટર મિહીર પટેલે વિવિધ સેવા કેમ...

સપ્ટેમ્બર 12, 2024 2:48 પી એમ(PM)

views 10

પશ્ચિમબંગાળના આરોગ્ય વિભાગના મુખ્યાલયની સામે જુનિયર ડોકટરો દ્વારા ચાલી રહેલું વિરોધપ્રદર્શન ગુરુવારે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું

પશ્ચિમબંગાળના આરોગ્ય વિભાગના મુખ્યાલયની સામે જુનિયર ડોકટરો દ્વારા ચાલી રહેલું વિરોધપ્રદર્શન ગુરુવારે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. આર.જી.કર મેડિકલ કોલેજમાં સહયોગી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આંદોલન કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ દ્વારા સ્પષ્ટ કરી દેવાયું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પ...