સપ્ટેમ્બર 22, 2024 7:22 પી એમ(PM)

views 11

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ડાંગના સાપુતારામાં રમતગમત સંકુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ડાંગના સાપુતારામાં કાર્યરત રમત ગમત સંકુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલમ્પિક યોજાશે, તેના માટે ખેલાડીઓ મહેનત કરવી જોઇએ. તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૪૭મા આઝાદીના સો વર્ષ પૂર્ણ કરે ત્યારે, દેશન...

સપ્ટેમ્બર 22, 2024 7:21 પી એમ(PM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દિવમાં વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યુ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બે દિવસના દીવ પ્રવાસે હતા. દરમિયાન તેમણે વિવિધ યોજનાનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યુ હતું.

સપ્ટેમ્બર 22, 2024 7:21 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ૧ હજાર ૨૦ કિ.મી લંબાઈના ૭૮૭ માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા ૧ હજાર ૨૦ કિલોમીટર લંબાઈના ૭૮૭ માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાવાની તેમજ રસ્તા ધોવાઇ જવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપ...

સપ્ટેમ્બર 22, 2024 2:55 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલની પી.જી હોસ્ટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલની પી.જી હોસ્ટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીને વિકાસનાં વિક્રમ સર્જ્યા છે. 16 માળની આ બિલ્ડીંગમાં 192 રૂમ બનાવ...

સપ્ટેમ્બર 22, 2024 2:54 પી એમ(PM)

views 9

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે ખેડૂતોને સ્થાનિક હવામાન આગાહીની માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી વેધર સ્ટેશનની સ્થાપવા કરવામાં આવી

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે ખેડૂતોને સ્થાનિક હવામાન આગાહીની માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી વેધર સ્ટેશનની સ્થાપવા કરવામાં આવી છે. આનાથી ખેડૂતોને SMS અને ટેલિફોન દ્વારા હવામાન આધારિત પાક સલાહ ઉપલબ્ધ થશે. ખેડૂતોને પવનની દિશા અને ગતિ, તેમજ જમીનના તાપમાન અને ભેજ સહિતની જાણકારી આપવામાં આવશે...

સપ્ટેમ્બર 22, 2024 2:54 પી એમ(PM)

views 17

સુરતના સરથાણા વિસ્તારમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ-એસઓજી દ્વારા નકલી નોટનું મીની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું

સુરતના સરથાણા વિસ્તારમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ-એસઓજી દ્વારા નકલી નોટનું મીની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. રેડ દરમિયાન નકલી નોટો, કોમ્પ્યુટર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલિસને જાણવા મળ્યું કે, આ લોકો છેલ્લાં એક મહિનાથી ચલણી નોટ ...

સપ્ટેમ્બર 22, 2024 2:53 પી એમ(PM)

views 11

પંચમહાલ જિલ્લામાં ગોધરા રેલવે સ્ટેશન પર એક ટ્રેનના બાથરુમમાંથી ત્યજી દેવાયું બાળક મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

પંચમહાલ જિલ્લામાં ગોધરા રેલવે સ્ટેશન પર એક ટ્રેનના બાથરુમમાંથી ત્યજી દેવાયું બાળક મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઉભેલી કોટા– વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના શૌચાલયમાંથી બાળકના રડવાનો અવાજ આવતા મુસાફરોએ રેલવે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલ...

સપ્ટેમ્બર 22, 2024 2:52 પી એમ(PM)

views 10

દિવાળી પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને રોકવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

દિવાળી પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને રોકવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ માટે રાજ્યવ્યાપી તપાસ શરૂ કરાશે. ખાસ કરીને મીઠાઈની દુકાનોમાં રૉ મટિરિયલ, ઘી સહિતના સંગ્રહિત ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે 2 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન થત...

સપ્ટેમ્બર 22, 2024 2:52 પી એમ(PM)

views 12

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર અને સાબરકાંઠાના હિંમતનગર ખાતે સ્વચ્છતા મેરથોન દોડ યોજાઇ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર અને સાબરકાંઠાના હિંમતનગર ખાતે સ્વચ્છતા મેરથોન દોડ યોજાઇ. પાલનપુરની સરકારી શાળા ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે લીલીઝંડી આપીને આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, શશિવન ખાતેથી શરૂ થયેલી આ મેરથોન દો...

સપ્ટેમ્બર 22, 2024 2:49 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે તેર ગોળ ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે તેર ગોળ ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે સેવા કાર્યો આપણી ફરજ છે. અને આ ફરજ જે નિષ્ઠાપૂર્વક નિભાવી શકે તેના કાર્યો સરળતાથી થતા જ રહે છે. કાર્યક્રમ દરમિયાન મ...