ડિસેમ્બર 21, 2024 8:51 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 8:51 એ એમ (AM)

views 27

આજે વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે

આજે વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આજે કરા...

ડિસેમ્બર 21, 2024 8:48 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 8:48 એ એમ (AM)

views 3

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ગઇકાલે જીલ્લા સ્તરીય યુવા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ગઇકાલે જીલ્લા સ્તરીય યુવા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે આ યુવા ઉત્સવમાં લોક નૃત્ય, ફોટોગ્રાફી, વકૃત્વ સ્પર્ધા, વિજ્ઞાન પ્રદર્શન વગેરે સ્પર્ધાઓ યોજાઇ જેમાં નહેરુ યુવા કેન્દ્ર ના વિવિધ યુવા, ...

ડિસેમ્બર 21, 2024 8:43 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 8:43 એ એમ (AM)

views 5

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. શ્રી ચૌહાણે ઉમેર્યું કે, તાપમાનનો પારો સામાન્ય કરતા 4.5 ડિગ્ર...

ડિસેમ્બર 21, 2024 8:40 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 8:40 એ એમ (AM)

views 4

ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસમથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસમથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો

ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસમથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસમથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સત્તાવાર યાદી મુજબ, કાયદો અને વ્યવસ્થામાં વિશેષ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ મથકને પુરસ્કાર એનાયત કરાયો હતો. ઈચ્છાપોર પોલીસ મથકમા વર્ષ 2022થી 2024 વચ્ચે મિલકત સંબંધી ગુનાઓમ...

ડિસેમ્બર 21, 2024 8:38 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 8:38 એ એમ (AM)

views 6

ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો

દરિયાકિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો છે. આ પ્રસંગે ગૃહરાજ્યમ...

ડિસેમ્બર 21, 2024 8:35 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 8:35 એ એમ (AM)

views 3

રાજ્ય સરકાર નાં પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રનાં સહકારથી તેમજ એક NGO દ્વારા આજે વર્લ્ડ સનકન સિટી ડે નિમિતે શ્રી કૃષ્ણ જલ જપા દીક્ષા કાર્યક્રમ યોજાશે

રાજ્ય સરકાર નાં પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રનાં સહકારથી તેમજ એક NGO દ્વારા આજે વર્લ્ડ સનકન સિટી ડે નિમિતે શ્રી કૃષ્ણ જલ જપા દીક્ષા કાર્યક્રમ યોજાશે. સવારે 9 વાગ્યા થી પંચ કુઈ સમુદ્રકાંઠે 7 સ્કુબા ડ્રાઇવરો દરિયામાં જઈને શ્રી ક્રિષ્ના જલાં જપા દીક્ષા કરશે અને ...

ડિસેમ્બર 21, 2024 8:25 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 8:25 એ એમ (AM)

views 7

કચ્છ પૂર્વ વન વિભાગની રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં પાંચ વ્યક્તિઓ પાસેથી એક કરોડ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા જપ્ત કરાયો

કચ્છ પૂર્વ વન વિભાગની રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા પાંચ વ્યક્તિઓ પાસેથી મશીનો સહિત કુલ એક કરોડ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા જપ્ત કરાયો છે. પૂર્વ કચ્છ વન વિભાગ રેન્જ અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર વિભાગની પેટ્રોલિંગ ...

ડિસેમ્બર 20, 2024 7:59 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:59 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસની કુવૈતની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ-જાબીર અલ સબાહના આમંત્રણ પર આવતીકાલે બે દિવસની કુવૈતની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કુવૈતના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સચિવ અરુણ કુમાર ચ...

ડિસેમ્બર 20, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:57 પી એમ(PM)

views 11

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા

સરકારે કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2018 માં ઝારખંડની રાજધાની રાંચીમાં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ, દરેક પરિવારને હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. આરોગ્ય...

ડિસેમ્બર 20, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:34 પી એમ(PM)

views 5

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે. સત્તાવાર યાદી મુજબ, “રવિ માર્કેટિંગ સિઝન 2025-26” અંતર્ગત ખેડૂતો પાસેથી 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરાશે. ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માગતા ખેડૂતો પહેલી જાન્યુઆરી 2025થી ઑનલાઈન નોંધણી કરાવી શકશે એમ ગુજરા...